T-20: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 18:35:31

ભારતે ટી-20 વર્લ્ડ કપ 2022નો સૌથી મોટો વર્લ્ડ કપ મેચ જીતી લીધો છે. પાકિસ્તાનને ભારતે 4 વિકેટથી હરાવ્યું છે. આ મેચના હીરો વિરાટ કોહલી રહ્યા છે કારણ કે તેમણે અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 31 રન પર જ્યારે 4 વિકેટ પડી ગઈ હતી ત્યારથી મેચ પોતાના હાથમાં લઈ લીધી હતી. 


છેલ્લી ઓવરે કરી દીધા શ્વાસ અધ્ધર

છેલ્લી ઓવરમાં જ્યારે 16 રનની જરૂર હતી ત્યારે કોહલીએ જ નો બોલમાં 6 રન ફટકારી ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લી ઓવરના પહેલા બોલમાં  વિકેટ ગઈ હતી. બીજા બોલ પર એક રન આવ્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર બે રન આવ્યા હતા. હવે ચોથા બોલ પર વિરાટ કોહલી સ્ટ્રાઈક પર હતા, વિરાટ કોહલીએ નો બોલ પર સિક્સ ફટકારી દીધી હતી અને ત્યાર બાદ બોલર પ્રેશરમાં આવી જતાં વાઈડ બોલ ફેંકી દીધો હતો. ત્યાર બાદ ચોથા બોલમાં વિરાટે ત્રણ રન કર્યા હતા અને સ્ટ્રાઈક બદલાઈ હતી. પાંચમા બોલ પર વિકેટ ગઈ હતી અને વિકેટ બાદ વાઈડ બોલ ગયો હતો અને છેલ્લા બોલે અશ્વિને 1 રન ફટકારી ભારતને જીત અપાવી હતી. 


પાકિસ્તાનના વિરાટ કોહલી રહ્યા ઈફ્તિકાર-મસૂદ 

પાકિસ્તાન તરફથી ઈફ્તિકાર અહમદે 51 રનની ઈનિંગ રમી હતી. શાન મસૂદે પણ 52 રન બનાવ્યા હતા. આ જ બંને બલ્લેબાજોએ પાકિસ્તાનની ટીમને સંભાળી હતી. બંને ઓપનર્સે ફિફ્ટી પણ પૂરી કરી હતી. ઈફ્તિકારની વાત કરીએ તો શમીના બોલ પર તેમનો એક કેચ આશ્વિનથી છૂટ્યો હતો. પાકિસ્તાનના 6 બેટ્સમેન બે આંકડાના રન નહોતા બનાવી શક્યા 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.