T-20: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 18:35:31

ભારતે ટી-20 વર્લ્ડ કપ 2022નો સૌથી મોટો વર્લ્ડ કપ મેચ જીતી લીધો છે. પાકિસ્તાનને ભારતે 4 વિકેટથી હરાવ્યું છે. આ મેચના હીરો વિરાટ કોહલી રહ્યા છે કારણ કે તેમણે અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 31 રન પર જ્યારે 4 વિકેટ પડી ગઈ હતી ત્યારથી મેચ પોતાના હાથમાં લઈ લીધી હતી. 


છેલ્લી ઓવરે કરી દીધા શ્વાસ અધ્ધર

છેલ્લી ઓવરમાં જ્યારે 16 રનની જરૂર હતી ત્યારે કોહલીએ જ નો બોલમાં 6 રન ફટકારી ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લી ઓવરના પહેલા બોલમાં  વિકેટ ગઈ હતી. બીજા બોલ પર એક રન આવ્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર બે રન આવ્યા હતા. હવે ચોથા બોલ પર વિરાટ કોહલી સ્ટ્રાઈક પર હતા, વિરાટ કોહલીએ નો બોલ પર સિક્સ ફટકારી દીધી હતી અને ત્યાર બાદ બોલર પ્રેશરમાં આવી જતાં વાઈડ બોલ ફેંકી દીધો હતો. ત્યાર બાદ ચોથા બોલમાં વિરાટે ત્રણ રન કર્યા હતા અને સ્ટ્રાઈક બદલાઈ હતી. પાંચમા બોલ પર વિકેટ ગઈ હતી અને વિકેટ બાદ વાઈડ બોલ ગયો હતો અને છેલ્લા બોલે અશ્વિને 1 રન ફટકારી ભારતને જીત અપાવી હતી. 


પાકિસ્તાનના વિરાટ કોહલી રહ્યા ઈફ્તિકાર-મસૂદ 

પાકિસ્તાન તરફથી ઈફ્તિકાર અહમદે 51 રનની ઈનિંગ રમી હતી. શાન મસૂદે પણ 52 રન બનાવ્યા હતા. આ જ બંને બલ્લેબાજોએ પાકિસ્તાનની ટીમને સંભાળી હતી. બંને ઓપનર્સે ફિફ્ટી પણ પૂરી કરી હતી. ઈફ્તિકારની વાત કરીએ તો શમીના બોલ પર તેમનો એક કેચ આશ્વિનથી છૂટ્યો હતો. પાકિસ્તાનના 6 બેટ્સમેન બે આંકડાના રન નહોતા બનાવી શક્યા 




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે