T-20: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 18:35:31

ભારતે ટી-20 વર્લ્ડ કપ 2022નો સૌથી મોટો વર્લ્ડ કપ મેચ જીતી લીધો છે. પાકિસ્તાનને ભારતે 4 વિકેટથી હરાવ્યું છે. આ મેચના હીરો વિરાટ કોહલી રહ્યા છે કારણ કે તેમણે અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 31 રન પર જ્યારે 4 વિકેટ પડી ગઈ હતી ત્યારથી મેચ પોતાના હાથમાં લઈ લીધી હતી. 


છેલ્લી ઓવરે કરી દીધા શ્વાસ અધ્ધર

છેલ્લી ઓવરમાં જ્યારે 16 રનની જરૂર હતી ત્યારે કોહલીએ જ નો બોલમાં 6 રન ફટકારી ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લી ઓવરના પહેલા બોલમાં  વિકેટ ગઈ હતી. બીજા બોલ પર એક રન આવ્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર બે રન આવ્યા હતા. હવે ચોથા બોલ પર વિરાટ કોહલી સ્ટ્રાઈક પર હતા, વિરાટ કોહલીએ નો બોલ પર સિક્સ ફટકારી દીધી હતી અને ત્યાર બાદ બોલર પ્રેશરમાં આવી જતાં વાઈડ બોલ ફેંકી દીધો હતો. ત્યાર બાદ ચોથા બોલમાં વિરાટે ત્રણ રન કર્યા હતા અને સ્ટ્રાઈક બદલાઈ હતી. પાંચમા બોલ પર વિકેટ ગઈ હતી અને વિકેટ બાદ વાઈડ બોલ ગયો હતો અને છેલ્લા બોલે અશ્વિને 1 રન ફટકારી ભારતને જીત અપાવી હતી. 


પાકિસ્તાનના વિરાટ કોહલી રહ્યા ઈફ્તિકાર-મસૂદ 

પાકિસ્તાન તરફથી ઈફ્તિકાર અહમદે 51 રનની ઈનિંગ રમી હતી. શાન મસૂદે પણ 52 રન બનાવ્યા હતા. આ જ બંને બલ્લેબાજોએ પાકિસ્તાનની ટીમને સંભાળી હતી. બંને ઓપનર્સે ફિફ્ટી પણ પૂરી કરી હતી. ઈફ્તિકારની વાત કરીએ તો શમીના બોલ પર તેમનો એક કેચ આશ્વિનથી છૂટ્યો હતો. પાકિસ્તાનના 6 બેટ્સમેન બે આંકડાના રન નહોતા બનાવી શક્યા 




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.