રાજકોટ ખાતે રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે T-20I મેચ


  • Published By :
  • Published Date : 2023-01-07 09:23:40

રાજકોટ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી ત્રણ ટી-20 શ્રેણીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. આ મેચનું આયોજન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચમાં એક વખત ભારતે વિજય મેળવ્યો છે જ્યારે એક વખત શ્રીલંકાની જીત થઈ છે. 1-1ની બરાબરી હોવાને કારણે આ મેચ નિર્ણાયક રહેવાની છે. દરેક ટીમ આ મેચને જીતવા તમામ પ્રયાસો કરી રહી છે.


સાંજે 7 વાગ્યે શરૂ થશે મેચ 

જો મેચની વાત કરીએ તો આ શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. માત્ર 2 રનથી ભારતનો વિજય થયો હતો. બીજી મેચ પૂણે ખાતે રમાઈ હતી જેમાં શ્રીલંકાએ જીત હાંસલ કરી હતી. 16 રનથી શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. 1-1ની બરાબરી હોવાને કારણે  આ મેચ રસપ્રદ બની રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. 


બેટ્સમેનની પીચ માનવામાં આવે છે

જો રાજકોટના પીચની વાત કરીએ તો આ સ્ટેડિયમની પીચ સપાટ છે અને આ પીચ બેટ્સમેનની પીચ માનવામાં આવે છે. આ પીચ બેટિંગ કરતી ટીમને મદદરૂપ થઈ થાય છે. રાજકોટ ખાતે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 2 વખત જીતી છે. એટલે એવું મનાઈ રહ્યું છે કે જે પણ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શક છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.