રાજકોટ ખાતે રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે T-20I મેચ


  • Published By :
  • Published Date : 2023-01-07 09:23:40

રાજકોટ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી ત્રણ ટી-20 શ્રેણીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. આ મેચનું આયોજન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચમાં એક વખત ભારતે વિજય મેળવ્યો છે જ્યારે એક વખત શ્રીલંકાની જીત થઈ છે. 1-1ની બરાબરી હોવાને કારણે આ મેચ નિર્ણાયક રહેવાની છે. દરેક ટીમ આ મેચને જીતવા તમામ પ્રયાસો કરી રહી છે.


સાંજે 7 વાગ્યે શરૂ થશે મેચ 

જો મેચની વાત કરીએ તો આ શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. માત્ર 2 રનથી ભારતનો વિજય થયો હતો. બીજી મેચ પૂણે ખાતે રમાઈ હતી જેમાં શ્રીલંકાએ જીત હાંસલ કરી હતી. 16 રનથી શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. 1-1ની બરાબરી હોવાને કારણે  આ મેચ રસપ્રદ બની રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. 


બેટ્સમેનની પીચ માનવામાં આવે છે

જો રાજકોટના પીચની વાત કરીએ તો આ સ્ટેડિયમની પીચ સપાટ છે અને આ પીચ બેટ્સમેનની પીચ માનવામાં આવે છે. આ પીચ બેટિંગ કરતી ટીમને મદદરૂપ થઈ થાય છે. રાજકોટ ખાતે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 2 વખત જીતી છે. એટલે એવું મનાઈ રહ્યું છે કે જે પણ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શક છે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .