રાજકોટ ખાતે રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે T-20I મેચ


  • Published By :
  • Published Date : 2023-01-07 09:23:40

રાજકોટ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી ત્રણ ટી-20 શ્રેણીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. આ મેચનું આયોજન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચમાં એક વખત ભારતે વિજય મેળવ્યો છે જ્યારે એક વખત શ્રીલંકાની જીત થઈ છે. 1-1ની બરાબરી હોવાને કારણે આ મેચ નિર્ણાયક રહેવાની છે. દરેક ટીમ આ મેચને જીતવા તમામ પ્રયાસો કરી રહી છે.


સાંજે 7 વાગ્યે શરૂ થશે મેચ 

જો મેચની વાત કરીએ તો આ શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. માત્ર 2 રનથી ભારતનો વિજય થયો હતો. બીજી મેચ પૂણે ખાતે રમાઈ હતી જેમાં શ્રીલંકાએ જીત હાંસલ કરી હતી. 16 રનથી શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. 1-1ની બરાબરી હોવાને કારણે  આ મેચ રસપ્રદ બની રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. 


બેટ્સમેનની પીચ માનવામાં આવે છે

જો રાજકોટના પીચની વાત કરીએ તો આ સ્ટેડિયમની પીચ સપાટ છે અને આ પીચ બેટ્સમેનની પીચ માનવામાં આવે છે. આ પીચ બેટિંગ કરતી ટીમને મદદરૂપ થઈ થાય છે. રાજકોટ ખાતે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 2 વખત જીતી છે. એટલે એવું મનાઈ રહ્યું છે કે જે પણ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શક છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.