આજથી IND vs WI વચ્ચે શરુ થશે T20 સીરીઝ, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન


  • Published By :
  • Published Date : 2023-08-03 14:03:56

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમની નજર ટેસ્ટ શ્રેણી અને વન-ડે શ્રેણી જીત્યાં બાદ આજથી શરુ થતી ટી20 શ્રેણી પર રહેશે. આજથી વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી20 શ્રેણીની શરુઆત થવા જઈ રહી છે, જેનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરી રહ્યાં છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવની નિયુક્તી કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે કોહલી,રોહિત અને રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને ટી20 શ્રેણી માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, તેથી તે ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 

ભારતીય ટીમ આજે અનોખો રેકોર્ડ સ્થાપશે, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ


વેસ્ટ ઈન્ડિઝ સામે આજે ટી20 શ્રેણી રમવા ઉતરનાર ભારતીય ટીમ આજે એક અનોખો વિશ્વ રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે, ભારત આજે તેની 200મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમશે, અને આવું કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બનશે. આ પહેલાં પાકિસ્તાને પોતાની 200મી આંતરરાષ્ટ્રીય મેચ પૂર્ણ કરી છે, પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી કુલ 223 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. 


આજથી શરુ થતી ટી20 શ્રેણીમાં ભારત તરફથી 2 ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે. આ બંને ખેલાડીઓ IPLના સ્ટાર ખેલાડીઓ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના ધમાકેદાર બેટર તિલક વર્મા આજે પોતાનું ટી20 ડેબ્યૂ કરી શકે છે, જ્યારે બીજી તરફ રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ પણ સંભવત રીતે પોતાનું ડેબ્યૂ કરી શકે છે. 


જાણો વેસ્ટ ઈન્ડિઝમાં ક્યાં રમાશે આ ટી20 શ્રેણી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ થતી આ ટી20 શ્રેણીની પહેલી મેચ આજે એટલે કે 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં રમાશે, જ્યારે બીજી મેચ 6 ઓગસ્ટના રોજ ગુયાનામાં અને ત્રીજી મેચ પણ 8 ઓગસ્ટના રોજ ગુયાના ખાતે જ રમાવાની છે, ઉપરાંત ચોથી મેચ 12 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં અને છેલ્લી તેમજ પાંચમી મેચ પણ 13 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં જ રમાશે. જે માટેની સંભવિત ટીમ કંઈક આ પ્રમાણે છે.


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીની સંભવિત ભારતીય ટીમ 


ભારત : ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટે કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશેન થોમસ



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.