આજથી IND vs WI વચ્ચે શરુ થશે T20 સીરીઝ, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન


  • Published By :
  • Published Date : 2023-08-03 14:03:56

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમની નજર ટેસ્ટ શ્રેણી અને વન-ડે શ્રેણી જીત્યાં બાદ આજથી શરુ થતી ટી20 શ્રેણી પર રહેશે. આજથી વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી20 શ્રેણીની શરુઆત થવા જઈ રહી છે, જેનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરી રહ્યાં છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવની નિયુક્તી કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે કોહલી,રોહિત અને રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને ટી20 શ્રેણી માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, તેથી તે ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 

ભારતીય ટીમ આજે અનોખો રેકોર્ડ સ્થાપશે, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ


વેસ્ટ ઈન્ડિઝ સામે આજે ટી20 શ્રેણી રમવા ઉતરનાર ભારતીય ટીમ આજે એક અનોખો વિશ્વ રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે, ભારત આજે તેની 200મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમશે, અને આવું કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બનશે. આ પહેલાં પાકિસ્તાને પોતાની 200મી આંતરરાષ્ટ્રીય મેચ પૂર્ણ કરી છે, પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી કુલ 223 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. 


આજથી શરુ થતી ટી20 શ્રેણીમાં ભારત તરફથી 2 ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે. આ બંને ખેલાડીઓ IPLના સ્ટાર ખેલાડીઓ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના ધમાકેદાર બેટર તિલક વર્મા આજે પોતાનું ટી20 ડેબ્યૂ કરી શકે છે, જ્યારે બીજી તરફ રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ પણ સંભવત રીતે પોતાનું ડેબ્યૂ કરી શકે છે. 


જાણો વેસ્ટ ઈન્ડિઝમાં ક્યાં રમાશે આ ટી20 શ્રેણી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ થતી આ ટી20 શ્રેણીની પહેલી મેચ આજે એટલે કે 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં રમાશે, જ્યારે બીજી મેચ 6 ઓગસ્ટના રોજ ગુયાનામાં અને ત્રીજી મેચ પણ 8 ઓગસ્ટના રોજ ગુયાના ખાતે જ રમાવાની છે, ઉપરાંત ચોથી મેચ 12 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં અને છેલ્લી તેમજ પાંચમી મેચ પણ 13 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં જ રમાશે. જે માટેની સંભવિત ટીમ કંઈક આ પ્રમાણે છે.


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીની સંભવિત ભારતીય ટીમ 


ભારત : ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટે કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશેન થોમસ



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.