વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો પહેલી મેચમાં જ ધબડકો, ન્યૂઝિલેન્ડએ 89 રને હરાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 17:32:11

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલ મેચ યોજાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું. એક વર્ષ બાદ આજે યોજાયેલી મેચમાં ન્યૂઝીલેંન્ડની ટીમે બદલો લેતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પહેલી જ મેચમાં કીવી ટીમે ઓસ્ટ્રેલિયાને 89 રને હરાવ્યું હતું.


ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવ્યા


ઓસ્ટ્ર્લિયાની ટીમના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેનો આ નિર્ણય ઉંધો પડ્યો હતો કેમ કે ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવી દીધા હતા. ન્યૂઝિલેન્ડની ટીમ માટે ડેવન કોનવેએ 92 રન બનાવ્યા હતા જ્યારે ફિન એલને 46 રન બનાવ્યા હતા. 


ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલ આઉટ


ઓસ્ટ્રેલિયાની ટીમનો ધબડકો થયો હતો. કાંગારૂ ટીમની 5 વિકેટ માત્ર 68 રનમાં પડી ગઈ હતી. આખી ટીમ 17.1 ઓવરમાં 111 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. ન્યૂઝિલેન્ડના માટે મિચેલ સેન્ટરે ખતરનાક બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ લીધી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે