વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો પહેલી મેચમાં જ ધબડકો, ન્યૂઝિલેન્ડએ 89 રને હરાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 17:32:11

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલ મેચ યોજાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું. એક વર્ષ બાદ આજે યોજાયેલી મેચમાં ન્યૂઝીલેંન્ડની ટીમે બદલો લેતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પહેલી જ મેચમાં કીવી ટીમે ઓસ્ટ્રેલિયાને 89 રને હરાવ્યું હતું.


ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવ્યા


ઓસ્ટ્ર્લિયાની ટીમના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેનો આ નિર્ણય ઉંધો પડ્યો હતો કેમ કે ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવી દીધા હતા. ન્યૂઝિલેન્ડની ટીમ માટે ડેવન કોનવેએ 92 રન બનાવ્યા હતા જ્યારે ફિન એલને 46 રન બનાવ્યા હતા. 


ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલ આઉટ


ઓસ્ટ્રેલિયાની ટીમનો ધબડકો થયો હતો. કાંગારૂ ટીમની 5 વિકેટ માત્ર 68 રનમાં પડી ગઈ હતી. આખી ટીમ 17.1 ઓવરમાં 111 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. ન્યૂઝિલેન્ડના માટે મિચેલ સેન્ટરે ખતરનાક બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ લીધી હતી.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.