વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો પહેલી મેચમાં જ ધબડકો, ન્યૂઝિલેન્ડએ 89 રને હરાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 17:32:11

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલ મેચ યોજાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું. એક વર્ષ બાદ આજે યોજાયેલી મેચમાં ન્યૂઝીલેંન્ડની ટીમે બદલો લેતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પહેલી જ મેચમાં કીવી ટીમે ઓસ્ટ્રેલિયાને 89 રને હરાવ્યું હતું.


ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવ્યા


ઓસ્ટ્ર્લિયાની ટીમના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેનો આ નિર્ણય ઉંધો પડ્યો હતો કેમ કે ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવી દીધા હતા. ન્યૂઝિલેન્ડની ટીમ માટે ડેવન કોનવેએ 92 રન બનાવ્યા હતા જ્યારે ફિન એલને 46 રન બનાવ્યા હતા. 


ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલ આઉટ


ઓસ્ટ્રેલિયાની ટીમનો ધબડકો થયો હતો. કાંગારૂ ટીમની 5 વિકેટ માત્ર 68 રનમાં પડી ગઈ હતી. આખી ટીમ 17.1 ઓવરમાં 111 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. ન્યૂઝિલેન્ડના માટે મિચેલ સેન્ટરે ખતરનાક બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ લીધી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.