દક્ષિણ આફ્રિકા સામે ભારતનો ધબડકો, માર્કરમ અને મિલર બન્યા મેચ વિનર


  • Published By :
  • Published Date : 2022-10-30 21:53:36

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે  ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલી મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં ડેવિડ મિલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. ટીમ માટે એડિન માર્કરમે પણ અડધી સદી ફટકારી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. ટીમ માટે સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. 


કેવું રહ્યું દક્ષિણ આફ્રિકાની ટીમનું પર્ફોરમન્સ?


ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા 134 રનના ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ડી કોક 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બાવુમા 15 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રિલે રુસો પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. તેને અર્શદીપ સિંહે પોતાનો શિકાર બનાવ્યો હતો. એડિન માર્કરામે અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. માર્કરમની ઇનિંગમાં 6 ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે.


ડેવિડ મિલરે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 46 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. મિલરે આ ઇનિંગમાં 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેણે દક્ષિણ આફ્રિકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાર્નેલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.



રવિચંદ્રન અશ્વિન ઘણો મોંઘો સાબિત થયો 


ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને એક વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 3.4 ઓવરમાં 21 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી ન હતી.


ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો


કેપ્ટન રોહિત શર્મા 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 14 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. કેએલ રાહુલ 9 રન બનાવીને આઉટ થયો હતો અને હાર્દિક પંડ્યાએ 2 રન બનાવ્યા હતા. ટીમ માટે સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.