દક્ષિણ આફ્રિકા સામે ભારતનો ધબડકો, માર્કરમ અને મિલર બન્યા મેચ વિનર


  • Published By :
  • Published Date : 2022-10-30 21:53:36

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે  ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલી મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં ડેવિડ મિલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી. ટીમ માટે એડિન માર્કરમે પણ અડધી સદી ફટકારી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. ટીમ માટે સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. 


કેવું રહ્યું દક્ષિણ આફ્રિકાની ટીમનું પર્ફોરમન્સ?


ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા 134 રનના ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ડી કોક 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બાવુમા 15 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રિલે રુસો પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. તેને અર્શદીપ સિંહે પોતાનો શિકાર બનાવ્યો હતો. એડિન માર્કરામે અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. માર્કરમની ઇનિંગમાં 6 ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે.


ડેવિડ મિલરે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 46 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. મિલરે આ ઇનિંગમાં 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેણે દક્ષિણ આફ્રિકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાર્નેલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.



રવિચંદ્રન અશ્વિન ઘણો મોંઘો સાબિત થયો 


ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને એક વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 3.4 ઓવરમાં 21 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી ન હતી.


ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો


કેપ્ટન રોહિત શર્મા 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 14 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. કેએલ રાહુલ 9 રન બનાવીને આઉટ થયો હતો અને હાર્દિક પંડ્યાએ 2 રન બનાવ્યા હતા. ટીમ માટે સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.