પાકિસ્તાનનો ઝિમ્બાબ્વે સામે કારમો પરાજય, વર્લ્ડ કપમાંથી બહાર?


  • Published By :
  • Published Date : 2022-10-27 21:59:52

T20 વર્લ્ડ કપના ઈતિહાસની પ્રથમ મેચમાં પહેલાથી જ અપસેટ કરનાર ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં ગુરુવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવીને વધુ એક મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 8 વિકેટે 130 રન બનાવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનને સમગ્ર 20 ઓવરમાં 8 વિકેટે 129 રન પર રોકી દીધું હતું. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને મોટું આશ્ચર્ય સર્જ્યું છે.


પાકિસ્તાનની જીતનું ખાતું ન ખૂલ્યું


આ હાર બાદ સુપર-12ના ગ્રુપ-2માં પાકિસ્તાનની જીતનું ખાતું હજુ ખૂલ્યું નથી. ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે અને તે હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. આ સાથે જ ઝિમ્બાબ્વેએ બે મેચમાં પ્રથમ જીત સાથે પોતાની દાવેદારી મજબુત બનાવી દીધી છે. ટીમના ખાતામાં હવે ત્રણ પોઈન્ટ છે.


ટોપ ઓર્ડરના ધબડકાના કારણે હાર


ઝિમ્બાબ્વે તરફથી મળેલા 131 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત પણ સારી રહી ન હતી અને ટીમે 23 રનના સ્કોર પર તેના બંને ઓપનર - કેપ્ટન બાબર આઝમ (4) અને મોહમ્મદ રિઝવાન (14)ની વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને ત્રીજો ફટકો 36ના સ્કોર સાથે ઈફ્તિખાર અહેમદ (5)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી શાન મસૂદ (44) અને શાદાબ ખાને (17) ચોથી વિકેટ માટે 36 બોલમાં 52 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પણ ઝિમ્બાબ્વે મેચ જીતવામાં સફળ રહ્યું હતું.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે