પાકિસ્તાનનો ઝિમ્બાબ્વે સામે કારમો પરાજય, વર્લ્ડ કપમાંથી બહાર?


  • Published By :
  • Published Date : 2022-10-27 21:59:52

T20 વર્લ્ડ કપના ઈતિહાસની પ્રથમ મેચમાં પહેલાથી જ અપસેટ કરનાર ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં ગુરુવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવીને વધુ એક મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 8 વિકેટે 130 રન બનાવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનને સમગ્ર 20 ઓવરમાં 8 વિકેટે 129 રન પર રોકી દીધું હતું. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને મોટું આશ્ચર્ય સર્જ્યું છે.


પાકિસ્તાનની જીતનું ખાતું ન ખૂલ્યું


આ હાર બાદ સુપર-12ના ગ્રુપ-2માં પાકિસ્તાનની જીતનું ખાતું હજુ ખૂલ્યું નથી. ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે અને તે હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. આ સાથે જ ઝિમ્બાબ્વેએ બે મેચમાં પ્રથમ જીત સાથે પોતાની દાવેદારી મજબુત બનાવી દીધી છે. ટીમના ખાતામાં હવે ત્રણ પોઈન્ટ છે.


ટોપ ઓર્ડરના ધબડકાના કારણે હાર


ઝિમ્બાબ્વે તરફથી મળેલા 131 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત પણ સારી રહી ન હતી અને ટીમે 23 રનના સ્કોર પર તેના બંને ઓપનર - કેપ્ટન બાબર આઝમ (4) અને મોહમ્મદ રિઝવાન (14)ની વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને ત્રીજો ફટકો 36ના સ્કોર સાથે ઈફ્તિખાર અહેમદ (5)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી શાન મસૂદ (44) અને શાદાબ ખાને (17) ચોથી વિકેટ માટે 36 બોલમાં 52 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પણ ઝિમ્બાબ્વે મેચ જીતવામાં સફળ રહ્યું હતું.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.