પાકિસ્તાનનો ઝિમ્બાબ્વે સામે કારમો પરાજય, વર્લ્ડ કપમાંથી બહાર?


  • Published By :
  • Published Date : 2022-10-27 21:59:52

T20 વર્લ્ડ કપના ઈતિહાસની પ્રથમ મેચમાં પહેલાથી જ અપસેટ કરનાર ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં ગુરુવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવીને વધુ એક મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 8 વિકેટે 130 રન બનાવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનને સમગ્ર 20 ઓવરમાં 8 વિકેટે 129 રન પર રોકી દીધું હતું. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને મોટું આશ્ચર્ય સર્જ્યું છે.


પાકિસ્તાનની જીતનું ખાતું ન ખૂલ્યું


આ હાર બાદ સુપર-12ના ગ્રુપ-2માં પાકિસ્તાનની જીતનું ખાતું હજુ ખૂલ્યું નથી. ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે અને તે હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. આ સાથે જ ઝિમ્બાબ્વેએ બે મેચમાં પ્રથમ જીત સાથે પોતાની દાવેદારી મજબુત બનાવી દીધી છે. ટીમના ખાતામાં હવે ત્રણ પોઈન્ટ છે.


ટોપ ઓર્ડરના ધબડકાના કારણે હાર


ઝિમ્બાબ્વે તરફથી મળેલા 131 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત પણ સારી રહી ન હતી અને ટીમે 23 રનના સ્કોર પર તેના બંને ઓપનર - કેપ્ટન બાબર આઝમ (4) અને મોહમ્મદ રિઝવાન (14)ની વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને ત્રીજો ફટકો 36ના સ્કોર સાથે ઈફ્તિખાર અહેમદ (5)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી શાન મસૂદ (44) અને શાદાબ ખાને (17) ચોથી વિકેટ માટે 36 બોલમાં 52 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પણ ઝિમ્બાબ્વે મેચ જીતવામાં સફળ રહ્યું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.