પાકિસ્તાનનો ઝિમ્બાબ્વે સામે કારમો પરાજય, વર્લ્ડ કપમાંથી બહાર?


  • Published By :
  • Published Date : 2022-10-27 21:59:52

T20 વર્લ્ડ કપના ઈતિહાસની પ્રથમ મેચમાં પહેલાથી જ અપસેટ કરનાર ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં ગુરુવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવીને વધુ એક મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 8 વિકેટે 130 રન બનાવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનને સમગ્ર 20 ઓવરમાં 8 વિકેટે 129 રન પર રોકી દીધું હતું. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને મોટું આશ્ચર્ય સર્જ્યું છે.


પાકિસ્તાનની જીતનું ખાતું ન ખૂલ્યું


આ હાર બાદ સુપર-12ના ગ્રુપ-2માં પાકિસ્તાનની જીતનું ખાતું હજુ ખૂલ્યું નથી. ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે અને તે હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. આ સાથે જ ઝિમ્બાબ્વેએ બે મેચમાં પ્રથમ જીત સાથે પોતાની દાવેદારી મજબુત બનાવી દીધી છે. ટીમના ખાતામાં હવે ત્રણ પોઈન્ટ છે.


ટોપ ઓર્ડરના ધબડકાના કારણે હાર


ઝિમ્બાબ્વે તરફથી મળેલા 131 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત પણ સારી રહી ન હતી અને ટીમે 23 રનના સ્કોર પર તેના બંને ઓપનર - કેપ્ટન બાબર આઝમ (4) અને મોહમ્મદ રિઝવાન (14)ની વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને ત્રીજો ફટકો 36ના સ્કોર સાથે ઈફ્તિખાર અહેમદ (5)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી શાન મસૂદ (44) અને શાદાબ ખાને (17) ચોથી વિકેટ માટે 36 બોલમાં 52 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પણ ઝિમ્બાબ્વે મેચ જીતવામાં સફળ રહ્યું હતું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.