તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચતા ચીન લાલઘુમ, અમેરિકાને આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-30 17:06:51

ચીનના સખત વિરોધ છતાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચ્યા છે. તેઓ બુધવારે ન્યૂયોર્ક પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા એકઠા થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ લોસ એન્જલસમાં અમેરિકાની કોંગ્રેસના સ્પિકર કેવિન મેક્કાર્થી સાથે મુલાકાત કરી શકે છે.


ચીને ત્સાઈની યાત્રાનો કર્યો વિરોધ 


તાઈવાન પર પોતાનો દાવો કરનારા ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે. ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે, તેણે ચેતવણી આપી છે કે જો આ મુલાકાત થશે તો ગંભીર ઘર્ષણ થઈ શકે છે. ચીનના રાજદુતે વોંશિંગ્ટનમાં અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે ત્સાઈને પોતાના દેશમાં આવવાની મંજુરી આપીને તાઈવાનની સ્વતંત્રતાની વકીલાત કરી રહ્યું છે. ચીનના અમેરિકા સ્થિત પ્રભારી જૂ જ્યૂયુઆને કહ્યું કે ' તાઈવાનના નેતા અમેરિકા આવે  કે અમેરિકાના નેતા ચીન જાય તે બાબત ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં ગંભીર,ગંભીર ઘર્ષણનું કારણ બની શકે છે. 


ચીનની અમેરિકાને ગંભીર ચેતવણી


જૂ જ્યૂયુઆને અમેરિકાને ચેતવણી આપતા  કહ્યું કે ત્સાઈની યાત્રાને મંજુરી આપીને વોશિંગ્ટને ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતા પર સવાલ ઉઠાવ્યો છે. જૂ એ કહ્યું કે અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે તાઈવાન મુદ્દે આગ સાથે રમત રમવાનું બંધ કરે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઈવાન ખુદને  એક સ્વાયત્ત રાષ્ટ્ર માને છે. આ પહેલા પણ જ્યારે પૂર્વ હાઉસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનનો પ્રવાસ કર્યો તે વખતે પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તંગદીલી જોવા મળી હતી.  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?