તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચતા ચીન લાલઘુમ, અમેરિકાને આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-30 17:06:51

ચીનના સખત વિરોધ છતાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચ્યા છે. તેઓ બુધવારે ન્યૂયોર્ક પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા એકઠા થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ લોસ એન્જલસમાં અમેરિકાની કોંગ્રેસના સ્પિકર કેવિન મેક્કાર્થી સાથે મુલાકાત કરી શકે છે.


ચીને ત્સાઈની યાત્રાનો કર્યો વિરોધ 


તાઈવાન પર પોતાનો દાવો કરનારા ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે. ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે, તેણે ચેતવણી આપી છે કે જો આ મુલાકાત થશે તો ગંભીર ઘર્ષણ થઈ શકે છે. ચીનના રાજદુતે વોંશિંગ્ટનમાં અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે ત્સાઈને પોતાના દેશમાં આવવાની મંજુરી આપીને તાઈવાનની સ્વતંત્રતાની વકીલાત કરી રહ્યું છે. ચીનના અમેરિકા સ્થિત પ્રભારી જૂ જ્યૂયુઆને કહ્યું કે ' તાઈવાનના નેતા અમેરિકા આવે  કે અમેરિકાના નેતા ચીન જાય તે બાબત ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં ગંભીર,ગંભીર ઘર્ષણનું કારણ બની શકે છે. 


ચીનની અમેરિકાને ગંભીર ચેતવણી


જૂ જ્યૂયુઆને અમેરિકાને ચેતવણી આપતા  કહ્યું કે ત્સાઈની યાત્રાને મંજુરી આપીને વોશિંગ્ટને ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતા પર સવાલ ઉઠાવ્યો છે. જૂ એ કહ્યું કે અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે તાઈવાન મુદ્દે આગ સાથે રમત રમવાનું બંધ કરે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઈવાન ખુદને  એક સ્વાયત્ત રાષ્ટ્ર માને છે. આ પહેલા પણ જ્યારે પૂર્વ હાઉસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનનો પ્રવાસ કર્યો તે વખતે પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તંગદીલી જોવા મળી હતી.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .