તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચતા ચીન લાલઘુમ, અમેરિકાને આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-30 17:06:51

ચીનના સખત વિરોધ છતાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચ્યા છે. તેઓ બુધવારે ન્યૂયોર્ક પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા એકઠા થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ લોસ એન્જલસમાં અમેરિકાની કોંગ્રેસના સ્પિકર કેવિન મેક્કાર્થી સાથે મુલાકાત કરી શકે છે.


ચીને ત્સાઈની યાત્રાનો કર્યો વિરોધ 


તાઈવાન પર પોતાનો દાવો કરનારા ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે. ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે, તેણે ચેતવણી આપી છે કે જો આ મુલાકાત થશે તો ગંભીર ઘર્ષણ થઈ શકે છે. ચીનના રાજદુતે વોંશિંગ્ટનમાં અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે ત્સાઈને પોતાના દેશમાં આવવાની મંજુરી આપીને તાઈવાનની સ્વતંત્રતાની વકીલાત કરી રહ્યું છે. ચીનના અમેરિકા સ્થિત પ્રભારી જૂ જ્યૂયુઆને કહ્યું કે ' તાઈવાનના નેતા અમેરિકા આવે  કે અમેરિકાના નેતા ચીન જાય તે બાબત ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં ગંભીર,ગંભીર ઘર્ષણનું કારણ બની શકે છે. 


ચીનની અમેરિકાને ગંભીર ચેતવણી


જૂ જ્યૂયુઆને અમેરિકાને ચેતવણી આપતા  કહ્યું કે ત્સાઈની યાત્રાને મંજુરી આપીને વોશિંગ્ટને ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતા પર સવાલ ઉઠાવ્યો છે. જૂ એ કહ્યું કે અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે તાઈવાન મુદ્દે આગ સાથે રમત રમવાનું બંધ કરે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઈવાન ખુદને  એક સ્વાયત્ત રાષ્ટ્ર માને છે. આ પહેલા પણ જ્યારે પૂર્વ હાઉસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનનો પ્રવાસ કર્યો તે વખતે પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તંગદીલી જોવા મળી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.