તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચતા ચીન લાલઘુમ, અમેરિકાને આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-30 17:06:51

ચીનના સખત વિરોધ છતાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચ્યા છે. તેઓ બુધવારે ન્યૂયોર્ક પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા એકઠા થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ લોસ એન્જલસમાં અમેરિકાની કોંગ્રેસના સ્પિકર કેવિન મેક્કાર્થી સાથે મુલાકાત કરી શકે છે.


ચીને ત્સાઈની યાત્રાનો કર્યો વિરોધ 


તાઈવાન પર પોતાનો દાવો કરનારા ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે. ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે, તેણે ચેતવણી આપી છે કે જો આ મુલાકાત થશે તો ગંભીર ઘર્ષણ થઈ શકે છે. ચીનના રાજદુતે વોંશિંગ્ટનમાં અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે ત્સાઈને પોતાના દેશમાં આવવાની મંજુરી આપીને તાઈવાનની સ્વતંત્રતાની વકીલાત કરી રહ્યું છે. ચીનના અમેરિકા સ્થિત પ્રભારી જૂ જ્યૂયુઆને કહ્યું કે ' તાઈવાનના નેતા અમેરિકા આવે  કે અમેરિકાના નેતા ચીન જાય તે બાબત ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં ગંભીર,ગંભીર ઘર્ષણનું કારણ બની શકે છે. 


ચીનની અમેરિકાને ગંભીર ચેતવણી


જૂ જ્યૂયુઆને અમેરિકાને ચેતવણી આપતા  કહ્યું કે ત્સાઈની યાત્રાને મંજુરી આપીને વોશિંગ્ટને ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતા પર સવાલ ઉઠાવ્યો છે. જૂ એ કહ્યું કે અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે તાઈવાન મુદ્દે આગ સાથે રમત રમવાનું બંધ કરે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઈવાન ખુદને  એક સ્વાયત્ત રાષ્ટ્ર માને છે. આ પહેલા પણ જ્યારે પૂર્વ હાઉસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનનો પ્રવાસ કર્યો તે વખતે પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તંગદીલી જોવા મળી હતી.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.