હાથીઓ સાથે સેલ્ફી લેવી યુવાનોને પડી ભારે! હાથીના ટોળાએ એટલું દોડાવ્યા કે સેલ્ફી લેતા પહેલા કરશે વિચાર!


  • Published By :
  • Published Date : 2023-07-05 17:35:20

સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લાઈક મેળવાનો ચસ્કો આજકાલની જનરેશનમાં જોવા મળી રહ્યો છે. હવે તો નાના બાળકો તો ઠીક વડીલો પણ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા થઈ ગયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે દુધવા ટાઈગર રિઝવર્સનો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરાઓ દોડી રહ્યા છે અને તેમની પાછળ હાથીઓનું ઝુંડ દોડી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છોકરાઓ હાથીઓ સાથે સેલ્ફી લઈ રહ્યા હતા અને તે બાદ હાથીઓ તેમની પાછળ દોડવા લાગ્યા.


   

સેલ્ફી લેવું યુવાનોને ભારે પડ્યું!

આપણે કોઈ નવી જગ્યાએ જઈએ અથવા કોઈ નવી વસ્તુઓ જોઈએ ત્યારે આપણે સેલ્ફી લેતા હોઈએ છીએ. એમાં પણ જો આપણે કોઈ નેશનલ પાર્ક અથવા તો રિઝવર્સમાં હોઈએ તો તો સેલ્ફી આપણે ખાસ લેતા હોઈએ છીએ. એમાં પણ હાથીને જોવાનો, હાથ સાથે સેલ્ફી લેવાનું શક્ય હોય તો લોકો ચૂકતા નથી.ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરાઓ ભાગતા દેખાય છે અને તેમની પાછળ હાથીઓ દોડી રહ્યા છે. 


હિંસક બની યુવાનો પાછળ ભાગ્યા હાથી

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે લખીમપુર ખેરીના દુધવા ટાઈગર રિઝર્વના પાલિયા માર્ગનો છે. વીડિયો અંગેની માહિતી અનુસાર 100 હાથીઓનું ટોળું રસ્તા પર ઉભું હતું. તે સમયે બે ત્રણ યુવકો હાથીઓ સાથે સેલ્ફી પાડવાનો પ્રયાસ કરે છે. હાથીઓની નજીક યુવકો પહોંચી જાય છે ત્યાં સુધી હાથી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પરંતુ જ્યારે યુવકોએ સેલ્ફી લેવાનું શરૂ કર્યું ત્યારે હાથીઓનું ટોળું હિંસક બની યુવકોની પાછળ હાથી ભાગી રહ્યા છે. હાથી જાણે સેલ્ફીને લઈ ગુસ્સે થઈ ગયા હોય તેવું લાગે છે. હાથીઓએ દોડવાનું શરૂ કર્યું તે જોઈ યુવકો પણ દોડી રહ્યા હતા. ત્રણ યુવકો દોડી રહ્યા છે તેમાં એક યુવક દોડતા દોડતા પડી જાય છે. 


આમ તો હાથી હોય છે શાંતિપ્રિય પ્રાણી   

થોડા સમય પહેલા પણ આવો વીડિયો વાયરલ થયો હતો જેમાં હાથીઓ પ્રવાસીની ગાડીની પાછળ ભાગી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે.ત્યારે આ વીડિયોને પણ લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. આમ તો હાથીને શાંતિપ્રિય પ્રાણી માનવામાં આવે છે પરંતુ કોઈ વખત તેઓ પણ હિંસક બની જતા હોય છે. પરંતુ જો માનવોનું ટોળું તેમની નજીક જતા હોય છે ત્યારે હાથીઓ હુમલાખોર બની જતા હોય છે      

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.