હાથીઓ સાથે સેલ્ફી લેવી યુવાનોને પડી ભારે! હાથીના ટોળાએ એટલું દોડાવ્યા કે સેલ્ફી લેતા પહેલા કરશે વિચાર!


  • Published By :
  • Published Date : 2023-07-05 17:35:20

સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લાઈક મેળવાનો ચસ્કો આજકાલની જનરેશનમાં જોવા મળી રહ્યો છે. હવે તો નાના બાળકો તો ઠીક વડીલો પણ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા થઈ ગયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે દુધવા ટાઈગર રિઝવર્સનો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરાઓ દોડી રહ્યા છે અને તેમની પાછળ હાથીઓનું ઝુંડ દોડી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છોકરાઓ હાથીઓ સાથે સેલ્ફી લઈ રહ્યા હતા અને તે બાદ હાથીઓ તેમની પાછળ દોડવા લાગ્યા.


   

સેલ્ફી લેવું યુવાનોને ભારે પડ્યું!

આપણે કોઈ નવી જગ્યાએ જઈએ અથવા કોઈ નવી વસ્તુઓ જોઈએ ત્યારે આપણે સેલ્ફી લેતા હોઈએ છીએ. એમાં પણ જો આપણે કોઈ નેશનલ પાર્ક અથવા તો રિઝવર્સમાં હોઈએ તો તો સેલ્ફી આપણે ખાસ લેતા હોઈએ છીએ. એમાં પણ હાથીને જોવાનો, હાથ સાથે સેલ્ફી લેવાનું શક્ય હોય તો લોકો ચૂકતા નથી.ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરાઓ ભાગતા દેખાય છે અને તેમની પાછળ હાથીઓ દોડી રહ્યા છે. 


હિંસક બની યુવાનો પાછળ ભાગ્યા હાથી

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે લખીમપુર ખેરીના દુધવા ટાઈગર રિઝર્વના પાલિયા માર્ગનો છે. વીડિયો અંગેની માહિતી અનુસાર 100 હાથીઓનું ટોળું રસ્તા પર ઉભું હતું. તે સમયે બે ત્રણ યુવકો હાથીઓ સાથે સેલ્ફી પાડવાનો પ્રયાસ કરે છે. હાથીઓની નજીક યુવકો પહોંચી જાય છે ત્યાં સુધી હાથી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પરંતુ જ્યારે યુવકોએ સેલ્ફી લેવાનું શરૂ કર્યું ત્યારે હાથીઓનું ટોળું હિંસક બની યુવકોની પાછળ હાથી ભાગી રહ્યા છે. હાથી જાણે સેલ્ફીને લઈ ગુસ્સે થઈ ગયા હોય તેવું લાગે છે. હાથીઓએ દોડવાનું શરૂ કર્યું તે જોઈ યુવકો પણ દોડી રહ્યા હતા. ત્રણ યુવકો દોડી રહ્યા છે તેમાં એક યુવક દોડતા દોડતા પડી જાય છે. 


આમ તો હાથી હોય છે શાંતિપ્રિય પ્રાણી   

થોડા સમય પહેલા પણ આવો વીડિયો વાયરલ થયો હતો જેમાં હાથીઓ પ્રવાસીની ગાડીની પાછળ ભાગી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે.ત્યારે આ વીડિયોને પણ લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. આમ તો હાથીને શાંતિપ્રિય પ્રાણી માનવામાં આવે છે પરંતુ કોઈ વખત તેઓ પણ હિંસક બની જતા હોય છે. પરંતુ જો માનવોનું ટોળું તેમની નજીક જતા હોય છે ત્યારે હાથીઓ હુમલાખોર બની જતા હોય છે      

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.