પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સર્જાઈ તંગદીલી, ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-09-06 18:30:12

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાતા તોરખમ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દંશો વચ્ચે થઈ રહેલા ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર ટર્મિનલ પરિવહન માટે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વણસતા પાકિસ્તાની સેના બોર્ડર પર પહોંચી ગઈ છે. પાક આર્મી પરિસ્થિતીને યથાવત રાખવાના પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત બંને દેશના અધિકારીઓ શાંતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તોરખમ બોર્ડરના મુદ્દે  બંને દેશો આમને-સામને આવી ગયા છે.  


શા માટે સર્જાઈ તંગદીલી?


તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પ્રવક્તા અને એક મુખ્ય કમાન્ડરે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવેશ્યા છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનના કુનાર, નુરિસ્તાન અને બદખ્શાન પ્રાંતને અડીને આવેલો છે. TTP કમાન્ડરે દાવો કર્યો, 'TTPએ ચિત્રાલ જિલ્લામાં ઓપરેશન શરૂ કર્યું છે અને અમે ઘણા ગામોને કબજે કર્યા છે. આ ઝુંબેશ આજે સવારે 4 વાગ્યે શરૂ થઈ હતી. તાલિબાન સૈનિકો ટીટીપી લડવૈયાઓને અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ પાર કરવામાં મદદ કરી રહ્યા છે. જેના કારણે બંને દેશોને વિભાજિત કરતી ડ્યુરાન્ડ લાઇન પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે.  


તાલિબાનોએ પાકિસ્તાનને આપી ચિમકી 


પાકિસ્તાન દ્વારા તાલિબાન પર કરવામાં આવેલા હુમલા અંગે અફઘાન સરકારે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને કડક સૂચના આપી હતી કે જો આગામી સમયમાં આવી કોઈ ઘટના બનશે તો તે પાકિસ્તાન માટે સારું નહીં હોય. તાલિબાનની આ ધમકી પર પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સેનાને કાર્યવાહી કરવાથી રોકી દેવામાં આવી છે કારણ કે આ કાર્યવાહીથી બંને દેશોના સંબંધો બગડશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.