પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સર્જાઈ તંગદીલી, ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-09-06 18:30:12

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાતા તોરખમ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દંશો વચ્ચે થઈ રહેલા ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર ટર્મિનલ પરિવહન માટે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વણસતા પાકિસ્તાની સેના બોર્ડર પર પહોંચી ગઈ છે. પાક આર્મી પરિસ્થિતીને યથાવત રાખવાના પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત બંને દેશના અધિકારીઓ શાંતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તોરખમ બોર્ડરના મુદ્દે  બંને દેશો આમને-સામને આવી ગયા છે.  


શા માટે સર્જાઈ તંગદીલી?


તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પ્રવક્તા અને એક મુખ્ય કમાન્ડરે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવેશ્યા છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનના કુનાર, નુરિસ્તાન અને બદખ્શાન પ્રાંતને અડીને આવેલો છે. TTP કમાન્ડરે દાવો કર્યો, 'TTPએ ચિત્રાલ જિલ્લામાં ઓપરેશન શરૂ કર્યું છે અને અમે ઘણા ગામોને કબજે કર્યા છે. આ ઝુંબેશ આજે સવારે 4 વાગ્યે શરૂ થઈ હતી. તાલિબાન સૈનિકો ટીટીપી લડવૈયાઓને અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ પાર કરવામાં મદદ કરી રહ્યા છે. જેના કારણે બંને દેશોને વિભાજિત કરતી ડ્યુરાન્ડ લાઇન પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે.  


તાલિબાનોએ પાકિસ્તાનને આપી ચિમકી 


પાકિસ્તાન દ્વારા તાલિબાન પર કરવામાં આવેલા હુમલા અંગે અફઘાન સરકારે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને કડક સૂચના આપી હતી કે જો આગામી સમયમાં આવી કોઈ ઘટના બનશે તો તે પાકિસ્તાન માટે સારું નહીં હોય. તાલિબાનની આ ધમકી પર પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સેનાને કાર્યવાહી કરવાથી રોકી દેવામાં આવી છે કારણ કે આ કાર્યવાહીથી બંને દેશોના સંબંધો બગડશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.