તમિલ નેતાએ પ્રભાકરનને લઈ કર્યો મોટો દાવો, કહ્યું જલદી જ સામે આવશે પ્રભાકરન


  • Published By :
  • Published Date : 2023-02-13 18:20:24

તમિલનાડુના પૂર્વ કોંગ્રેસના નેતા અને વર્લ્ડ કોન્ફડરેશન ઓફ તમિળના અધ્યક્ષ પાઝા નેદુમારે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે LTTE વેલુપિલ્લઈ પ્રભાકરન જીવિત છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ જીવિત છે. અમને વિશ્વાસ છે કે તેમના મૃત્યુની ચર્ચાઓને વિરામ મળશે. તેઓ જલ્દી જ દુનિયા સામે આવશે. 


શ્રીલંકાઈ સેનાએ પ્રભાકરણ માર્યાની કરી હતી જાહેરાત 

પી નેદુમારને તંજાવુરમાં નિવેદન આપ્યું છે કે પ્રભાકરણ જીવે છે... આ નિવેદન સાથે જ જાણે હોબાળો મચી ગયો... 13 વર્ષ પહેલા શ્રીલંકાઈ સેનાએ સૈન્ય અભિયાન ચલાવ્યું.. જેમાં પ્રભાકરણને માર્યાની જાહેરાત કરાઈ હતી.. 

18 મે 2009એ LTTE ચીફ પ્રભાકરનના મૃત્યુ સાથે જ શ્રીલંકા સરકારે LTTEને ખતમ કરવાની ઘોષણા કરી હતી

કોણ છે પ્રભાકરણ?

પ્રભાકરણ એ સંગઠનના નેતા છે જેણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરી હતી. 1954માં શ્રીલંકામાં તેમનો જન્મ થયો.. 1972માં જ્યારે શ્રીલંકામાં તમીલ લોકો પોતાની જમીનની માગ કરી રહ્યા હતા ત્યારે તેણે તમિલ ન્યૂ ટાઈગરની શરૂઆત કરાવી.. પછી નામ બદલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમીલ ઈલમ રાખ્યું... શોર્ટમાં લિટ્ટે.. લિટ્ટેનું મિશન હતું શ્રીલંકામાં તમિલ રાજ્યની સ્થાપના થાય. તેના મેઈન નેતા તરીકે પ્રભાકરણ... 


જેને લડવાનું પહેલાથી જ ગમતુ.. તે છાપામાર પણ હતો.. આ બધાની સાથે તે મોટો અપરાધી પણ હતો... દુનિયાએ તેના મોટા અપરાધને ત્યારે જોયો જ્યારે તેણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવ્યા... શ્રીલંકામાં લિટ્ટેનો જે આતંક ચાલતો હતો તેની સામે રાજીવ ગાંધીએ શાંતિ સેના મોકલી હતી જેના કારણે લિટ્ટે રાજીવ ગાંધીથી  નારાજ હતા.. પછી તેમણે રાજીવગાંધીની હત્યાનો પ્લાન બનાવ્યો... રાજીવ ગાંધી સિવાય, સિંહલી નેતા રાષ્ટ્રપતિ પ્રેમદાસ,, વિદેશ મંત્રી લક્ષ્મણ સહિતના અનેક નેતાની હત્યાનો જવાબદાર છે... તેણે તો પોતાના છોકરાઓને પણ મરાવી નાખ્યા હતા..


તમીલ લેન્ડ માટેની તેમની માગમાં ત્યારે 70 હજાર જેટલા નેતા તેમના આતંકની ભેટ ચઢ્યા... શ્રીલંકાના કહ્યા મુજબ 2009માં તેણે પ્રભાકરણને મારી નાખ્યો હતો... જો કે બીજી કહાની એ પણ છે કે તેણે 300 સૈનિકો સાથે પોતાની જાતને ગોળી મારી ભેજુ ઉડાવી દીધુ હતું.. તેમના મોત બાદ શ્રીલંકાના જાફનાને આતંકથી મુક્તિ મળી હતી...  જો કે હવે નેદુમારને જાહેરાત કરી છે તો બધા ચર્ચા કરી રહ્યા છે... તેમણે જણાવ્યું કે... 


અમારા તમિલ નેતા પ્રભાકરન વિશે સત્ય જાહેર કરતાં આનંદ થાય છે કે તે ઠીક છે. દુનિયાભરના તમિલ લોકોને જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. મને આશા છે કે આ સમાચાર તેમના વિશે અત્યાર સુધી તેના વિશે ફેલાવાતી અટકળોનો અંત લાવશે. પ્રભાકરન ટૂંક સમયમાં તમિલ જાતિની મુક્તિ માટે એક યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. વિશ્વના તમામ તમિલ લોકોએ તેને એકસાથે ટેકો આપવો જોઈએ: પાઝા નેદુમારન, વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ નેદુમારન વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ છે... 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.