તમિલ નેતાએ પ્રભાકરનને લઈ કર્યો મોટો દાવો, કહ્યું જલદી જ સામે આવશે પ્રભાકરન


  • Published By :
  • Published Date : 2023-02-13 18:20:24

તમિલનાડુના પૂર્વ કોંગ્રેસના નેતા અને વર્લ્ડ કોન્ફડરેશન ઓફ તમિળના અધ્યક્ષ પાઝા નેદુમારે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે LTTE વેલુપિલ્લઈ પ્રભાકરન જીવિત છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ જીવિત છે. અમને વિશ્વાસ છે કે તેમના મૃત્યુની ચર્ચાઓને વિરામ મળશે. તેઓ જલ્દી જ દુનિયા સામે આવશે. 


શ્રીલંકાઈ સેનાએ પ્રભાકરણ માર્યાની કરી હતી જાહેરાત 

પી નેદુમારને તંજાવુરમાં નિવેદન આપ્યું છે કે પ્રભાકરણ જીવે છે... આ નિવેદન સાથે જ જાણે હોબાળો મચી ગયો... 13 વર્ષ પહેલા શ્રીલંકાઈ સેનાએ સૈન્ય અભિયાન ચલાવ્યું.. જેમાં પ્રભાકરણને માર્યાની જાહેરાત કરાઈ હતી.. 

18 મે 2009એ LTTE ચીફ પ્રભાકરનના મૃત્યુ સાથે જ શ્રીલંકા સરકારે LTTEને ખતમ કરવાની ઘોષણા કરી હતી

કોણ છે પ્રભાકરણ?

પ્રભાકરણ એ સંગઠનના નેતા છે જેણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરી હતી. 1954માં શ્રીલંકામાં તેમનો જન્મ થયો.. 1972માં જ્યારે શ્રીલંકામાં તમીલ લોકો પોતાની જમીનની માગ કરી રહ્યા હતા ત્યારે તેણે તમિલ ન્યૂ ટાઈગરની શરૂઆત કરાવી.. પછી નામ બદલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમીલ ઈલમ રાખ્યું... શોર્ટમાં લિટ્ટે.. લિટ્ટેનું મિશન હતું શ્રીલંકામાં તમિલ રાજ્યની સ્થાપના થાય. તેના મેઈન નેતા તરીકે પ્રભાકરણ... 


જેને લડવાનું પહેલાથી જ ગમતુ.. તે છાપામાર પણ હતો.. આ બધાની સાથે તે મોટો અપરાધી પણ હતો... દુનિયાએ તેના મોટા અપરાધને ત્યારે જોયો જ્યારે તેણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવ્યા... શ્રીલંકામાં લિટ્ટેનો જે આતંક ચાલતો હતો તેની સામે રાજીવ ગાંધીએ શાંતિ સેના મોકલી હતી જેના કારણે લિટ્ટે રાજીવ ગાંધીથી  નારાજ હતા.. પછી તેમણે રાજીવગાંધીની હત્યાનો પ્લાન બનાવ્યો... રાજીવ ગાંધી સિવાય, સિંહલી નેતા રાષ્ટ્રપતિ પ્રેમદાસ,, વિદેશ મંત્રી લક્ષ્મણ સહિતના અનેક નેતાની હત્યાનો જવાબદાર છે... તેણે તો પોતાના છોકરાઓને પણ મરાવી નાખ્યા હતા..


તમીલ લેન્ડ માટેની તેમની માગમાં ત્યારે 70 હજાર જેટલા નેતા તેમના આતંકની ભેટ ચઢ્યા... શ્રીલંકાના કહ્યા મુજબ 2009માં તેણે પ્રભાકરણને મારી નાખ્યો હતો... જો કે બીજી કહાની એ પણ છે કે તેણે 300 સૈનિકો સાથે પોતાની જાતને ગોળી મારી ભેજુ ઉડાવી દીધુ હતું.. તેમના મોત બાદ શ્રીલંકાના જાફનાને આતંકથી મુક્તિ મળી હતી...  જો કે હવે નેદુમારને જાહેરાત કરી છે તો બધા ચર્ચા કરી રહ્યા છે... તેમણે જણાવ્યું કે... 


અમારા તમિલ નેતા પ્રભાકરન વિશે સત્ય જાહેર કરતાં આનંદ થાય છે કે તે ઠીક છે. દુનિયાભરના તમિલ લોકોને જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. મને આશા છે કે આ સમાચાર તેમના વિશે અત્યાર સુધી તેના વિશે ફેલાવાતી અટકળોનો અંત લાવશે. પ્રભાકરન ટૂંક સમયમાં તમિલ જાતિની મુક્તિ માટે એક યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. વિશ્વના તમામ તમિલ લોકોએ તેને એકસાથે ટેકો આપવો જોઈએ: પાઝા નેદુમારન, વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ નેદુમારન વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ છે... 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.