તન્મયને બહાર કાઢવામાં તો સફળતા મળી પરંતુ તેનો જીવ બચી ન શક્યો


  • Published By :
  • Published Date : 2022-12-10 10:38:20

મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના માંડવી ગામમાં અંદાજીત 55 ફીટ ઉંડા બોરવેલમાં તન્મય ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા રેસ્ક્યુંની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 84 કલાકથી વધુ બોરવેલમાં ફસાઈ ગયેલા તન્મયને બહાર કાઢવામાં આવ્યો હતો. બોરવેલમાંથી બહાર નિકાળ્યા બાદ તન્મયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો.  

તન્મયને બહાર નિકાળવા રેસ્ક્યુ કરનારી ટીમે ઘણી મહેનત કરી  

મંગળવાર સાંજે પાંચ વાગ્યે તન્મય પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો તે દરમિયાન તન્મય 55 ફીટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમે અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત કરી. તન્મયને બહાર કાઢવા 30 ફીટની દૂરી પર બીજો ખાડો ખોદવામાં આવ્યો અને તન્મય સુધી પહોંચવાનો પ્રયત્ન કરાયો.

 

શિવરાજસિંહ ચૌહાણે કરી વળતર ચૂકવાની જાહેરાત

84 કલાક સુધી તન્મયને બચાવવાની કામગીરી કરવામાં આવી. ઘણી મહેનત કર્યા બાદ તન્મયને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તેની મૃત્યુ થઈ ગયું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તન્મયની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી છે. ઉપરાંત તન્મયના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.