તન્મયને બહાર કાઢવામાં તો સફળતા મળી પરંતુ તેનો જીવ બચી ન શક્યો


  • Published By :
  • Published Date : 2022-12-10 10:38:20

મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના માંડવી ગામમાં અંદાજીત 55 ફીટ ઉંડા બોરવેલમાં તન્મય ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા રેસ્ક્યુંની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 84 કલાકથી વધુ બોરવેલમાં ફસાઈ ગયેલા તન્મયને બહાર કાઢવામાં આવ્યો હતો. બોરવેલમાંથી બહાર નિકાળ્યા બાદ તન્મયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો.  

તન્મયને બહાર નિકાળવા રેસ્ક્યુ કરનારી ટીમે ઘણી મહેનત કરી  

મંગળવાર સાંજે પાંચ વાગ્યે તન્મય પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો તે દરમિયાન તન્મય 55 ફીટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમે અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત કરી. તન્મયને બહાર કાઢવા 30 ફીટની દૂરી પર બીજો ખાડો ખોદવામાં આવ્યો અને તન્મય સુધી પહોંચવાનો પ્રયત્ન કરાયો.

 

શિવરાજસિંહ ચૌહાણે કરી વળતર ચૂકવાની જાહેરાત

84 કલાક સુધી તન્મયને બચાવવાની કામગીરી કરવામાં આવી. ઘણી મહેનત કર્યા બાદ તન્મયને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તેની મૃત્યુ થઈ ગયું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તન્મયની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી છે. ઉપરાંત તન્મયના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.        




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.