તન્મયને બહાર કાઢવામાં તો સફળતા મળી પરંતુ તેનો જીવ બચી ન શક્યો


  • Published By :
  • Published Date : 2022-12-10 10:38:20

મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના માંડવી ગામમાં અંદાજીત 55 ફીટ ઉંડા બોરવેલમાં તન્મય ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા રેસ્ક્યુંની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 84 કલાકથી વધુ બોરવેલમાં ફસાઈ ગયેલા તન્મયને બહાર કાઢવામાં આવ્યો હતો. બોરવેલમાંથી બહાર નિકાળ્યા બાદ તન્મયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો.  

તન્મયને બહાર નિકાળવા રેસ્ક્યુ કરનારી ટીમે ઘણી મહેનત કરી  

મંગળવાર સાંજે પાંચ વાગ્યે તન્મય પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો તે દરમિયાન તન્મય 55 ફીટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમે અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત કરી. તન્મયને બહાર કાઢવા 30 ફીટની દૂરી પર બીજો ખાડો ખોદવામાં આવ્યો અને તન્મય સુધી પહોંચવાનો પ્રયત્ન કરાયો.

 

શિવરાજસિંહ ચૌહાણે કરી વળતર ચૂકવાની જાહેરાત

84 કલાક સુધી તન્મયને બચાવવાની કામગીરી કરવામાં આવી. ઘણી મહેનત કર્યા બાદ તન્મયને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તેની મૃત્યુ થઈ ગયું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તન્મયની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી છે. ઉપરાંત તન્મયના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે