હવેથી તારક મહેતા શોમાં નહીં જોવા મળે ટપ્પુ


  • Published By :
  • Published Date : 2022-12-07 12:09:01

છેલ્લા 14 વર્ષથી સબ ટીવી પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. શોના કિરકાદર લોકોને પસંદ આવી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. ત્યારે ટપ્પુનું કિરદાર નિભાવતા રાજ અનાદકટે પણ શોને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ અંગેની માહિતી દર્શકોને આપી હતી. પોતાની પોસ્ટમાં લખ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો સાથ ખતમ થઈ રહ્યો છે આ એક સારી સફર હતી.


સોશિયલ મીડિયા પર આપી જાણકારી

છેલ્લા અનેક સમયથી ટપ્પુ એટલે કે રાજે શુટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમયથી તે શુટિંગ નતા કરી રહ્યા જેને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ શો છોડી રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે તેમણે હવે જાહેર કર્યું છે. રાજે કયા કારણોસર શો છોડ્યો તે અંગે માહિતી આપી ન હતી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કરિયરના ગ્રોથ માટે રાજે આ શો છોડ્યો હોઈ શકે છે. 


અનેક કલાકારો શોને કહી દીધું છે અલવિદા

ટપ્પુએ શો છોડ્યો એ પહેલા અનેક કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણીએ શોને કયારનું અલવિદા કહી દીધું છે પરંતુ હજી સુધી નવા દયાભાભીની એન્ટ્રી શોમાં નથી થઈ. પરંતુ મહેતા સાહેબ, અંજલી ભાભી, રોશનસિંહ સોઠી સહિતના કલાકારોનું રિપેસ્મેન્ટ આવી ગયું છે. ત્યારે ટપ્પુએ પણ શોને અલવિદા કહી દીધું છે. અનેક કલાકારો શોને છોડીને જઈ રહ્યા છે જેને કારણે દર્શકોમાં ધીરે ધીરે શોની લોકચાહના ઓછી થઈ રહી છે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.