હવેથી તારક મહેતા શોમાં નહીં જોવા મળે ટપ્પુ


  • Published By :
  • Published Date : 2022-12-07 12:09:01

છેલ્લા 14 વર્ષથી સબ ટીવી પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. શોના કિરકાદર લોકોને પસંદ આવી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. ત્યારે ટપ્પુનું કિરદાર નિભાવતા રાજ અનાદકટે પણ શોને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ અંગેની માહિતી દર્શકોને આપી હતી. પોતાની પોસ્ટમાં લખ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો સાથ ખતમ થઈ રહ્યો છે આ એક સારી સફર હતી.


સોશિયલ મીડિયા પર આપી જાણકારી

છેલ્લા અનેક સમયથી ટપ્પુ એટલે કે રાજે શુટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમયથી તે શુટિંગ નતા કરી રહ્યા જેને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ શો છોડી રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે તેમણે હવે જાહેર કર્યું છે. રાજે કયા કારણોસર શો છોડ્યો તે અંગે માહિતી આપી ન હતી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કરિયરના ગ્રોથ માટે રાજે આ શો છોડ્યો હોઈ શકે છે. 


અનેક કલાકારો શોને કહી દીધું છે અલવિદા

ટપ્પુએ શો છોડ્યો એ પહેલા અનેક કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણીએ શોને કયારનું અલવિદા કહી દીધું છે પરંતુ હજી સુધી નવા દયાભાભીની એન્ટ્રી શોમાં નથી થઈ. પરંતુ મહેતા સાહેબ, અંજલી ભાભી, રોશનસિંહ સોઠી સહિતના કલાકારોનું રિપેસ્મેન્ટ આવી ગયું છે. ત્યારે ટપ્પુએ પણ શોને અલવિદા કહી દીધું છે. અનેક કલાકારો શોને છોડીને જઈ રહ્યા છે જેને કારણે દર્શકોમાં ધીરે ધીરે શોની લોકચાહના ઓછી થઈ રહી છે.     




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .