હવેથી તારક મહેતા શોમાં નહીં જોવા મળે ટપ્પુ


  • Published By :
  • Published Date : 2022-12-07 12:09:01

છેલ્લા 14 વર્ષથી સબ ટીવી પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. શોના કિરકાદર લોકોને પસંદ આવી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. ત્યારે ટપ્પુનું કિરદાર નિભાવતા રાજ અનાદકટે પણ શોને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ અંગેની માહિતી દર્શકોને આપી હતી. પોતાની પોસ્ટમાં લખ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો સાથ ખતમ થઈ રહ્યો છે આ એક સારી સફર હતી.


સોશિયલ મીડિયા પર આપી જાણકારી

છેલ્લા અનેક સમયથી ટપ્પુ એટલે કે રાજે શુટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમયથી તે શુટિંગ નતા કરી રહ્યા જેને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ શો છોડી રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે તેમણે હવે જાહેર કર્યું છે. રાજે કયા કારણોસર શો છોડ્યો તે અંગે માહિતી આપી ન હતી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કરિયરના ગ્રોથ માટે રાજે આ શો છોડ્યો હોઈ શકે છે. 


અનેક કલાકારો શોને કહી દીધું છે અલવિદા

ટપ્પુએ શો છોડ્યો એ પહેલા અનેક કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણીએ શોને કયારનું અલવિદા કહી દીધું છે પરંતુ હજી સુધી નવા દયાભાભીની એન્ટ્રી શોમાં નથી થઈ. પરંતુ મહેતા સાહેબ, અંજલી ભાભી, રોશનસિંહ સોઠી સહિતના કલાકારોનું રિપેસ્મેન્ટ આવી ગયું છે. ત્યારે ટપ્પુએ પણ શોને અલવિદા કહી દીધું છે. અનેક કલાકારો શોને છોડીને જઈ રહ્યા છે જેને કારણે દર્શકોમાં ધીરે ધીરે શોની લોકચાહના ઓછી થઈ રહી છે.     




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી