ઈસ્લામિક સ્કોલર તારીક ફતેહનું કેનેડામાં નિધન, પાકિસ્તાન કરતા ભારતમાં ઘણા લોકપ્રિય હતા


  • Published By :
  • Published Date : 2023-04-24 19:56:28

પાકિસ્તાની મૂળના ઈસ્લામિક વિદ્વાન તારેક ફતેહનું આજે સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમની પુત્રી નતાશાએ સોશિયલ મીડિયા મારફતે ફતેહના નિધનની જાણકારી આપી હતી. 73 વર્ષીય ફતેહ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય હતા. તે ઘણીવાર ટીવી ડિબેટમાં જોવા મળતા હતા. તારેક ફતેહ જેહાદના કટ્ટર વિરોધી હતો. તે હંમેશા કહેતો કે બીજાનો જીવ લેવો એ જેહાદ નથી. ફતેહ હંમેશા પાકિસ્તાનની સરકાર અને સેનાનો વિરોધી રહ્યા હતા. તે પોતાને હિન્દુસ્તાની કહેતા હતા. 


ફતેહ પર પાકિસ્તાનમાં હતો પ્રતિબંધ


તારીક ફતેહનો જન્મ 20 નવેમ્બર 1949ના રોજ પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. 1960 અને 70ના દાયકામાં તેઓ ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા. તે દરમિયાન પાકિસ્તાનમાં લશ્કરી શાસન હતું. ફતેહને બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1977માં જનરલ ઝિયા-ઉલ-હકે તેમના પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો અને તેમને અખબારોમાં કૉલમ લખવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, વર્ષ 1987માં, તેમણે કેનેડા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?