ઈસ્લામિક સ્કોલર તારીક ફતેહનું કેનેડામાં નિધન, પાકિસ્તાન કરતા ભારતમાં ઘણા લોકપ્રિય હતા


  • Published By :
  • Published Date : 2023-04-24 19:56:28

પાકિસ્તાની મૂળના ઈસ્લામિક વિદ્વાન તારેક ફતેહનું આજે સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમની પુત્રી નતાશાએ સોશિયલ મીડિયા મારફતે ફતેહના નિધનની જાણકારી આપી હતી. 73 વર્ષીય ફતેહ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય હતા. તે ઘણીવાર ટીવી ડિબેટમાં જોવા મળતા હતા. તારેક ફતેહ જેહાદના કટ્ટર વિરોધી હતો. તે હંમેશા કહેતો કે બીજાનો જીવ લેવો એ જેહાદ નથી. ફતેહ હંમેશા પાકિસ્તાનની સરકાર અને સેનાનો વિરોધી રહ્યા હતા. તે પોતાને હિન્દુસ્તાની કહેતા હતા. 


ફતેહ પર પાકિસ્તાનમાં હતો પ્રતિબંધ


તારીક ફતેહનો જન્મ 20 નવેમ્બર 1949ના રોજ પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. 1960 અને 70ના દાયકામાં તેઓ ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા. તે દરમિયાન પાકિસ્તાનમાં લશ્કરી શાસન હતું. ફતેહને બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1977માં જનરલ ઝિયા-ઉલ-હકે તેમના પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો અને તેમને અખબારોમાં કૉલમ લખવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, વર્ષ 1987માં, તેમણે કેનેડા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.