ઈસ્લામિક સ્કોલર તારીક ફતેહનું કેનેડામાં નિધન, પાકિસ્તાન કરતા ભારતમાં ઘણા લોકપ્રિય હતા


  • Published By :
  • Published Date : 2023-04-24 19:56:28

પાકિસ્તાની મૂળના ઈસ્લામિક વિદ્વાન તારેક ફતેહનું આજે સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમની પુત્રી નતાશાએ સોશિયલ મીડિયા મારફતે ફતેહના નિધનની જાણકારી આપી હતી. 73 વર્ષીય ફતેહ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય હતા. તે ઘણીવાર ટીવી ડિબેટમાં જોવા મળતા હતા. તારેક ફતેહ જેહાદના કટ્ટર વિરોધી હતો. તે હંમેશા કહેતો કે બીજાનો જીવ લેવો એ જેહાદ નથી. ફતેહ હંમેશા પાકિસ્તાનની સરકાર અને સેનાનો વિરોધી રહ્યા હતા. તે પોતાને હિન્દુસ્તાની કહેતા હતા. 


ફતેહ પર પાકિસ્તાનમાં હતો પ્રતિબંધ


તારીક ફતેહનો જન્મ 20 નવેમ્બર 1949ના રોજ પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. 1960 અને 70ના દાયકામાં તેઓ ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા. તે દરમિયાન પાકિસ્તાનમાં લશ્કરી શાસન હતું. ફતેહને બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1977માં જનરલ ઝિયા-ઉલ-હકે તેમના પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો અને તેમને અખબારોમાં કૉલમ લખવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, વર્ષ 1987માં, તેમણે કેનેડા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.