આજે 1.14 લાખ ઉમેદવારો આપશે TAT-HSની પરીક્ષા, 5 જિલ્લા મથકોના 452 કેન્દ્ર પર યોજાશે પ્રિલિમ કસોટી


  • Published By :
  • Published Date : 2023-08-06 11:17:25

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવાની આશા રાખી રહેલા લાખો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે TAT-HSની પરીક્ષા આજે લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે બપોરે 12થી 3 દરમિયાન શિક્ષક અભિરૂચી કસોટી – ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ  હાયર સેકન્ડરી)  લેવામાં આવશે. જોકે, રવિવારે માત્ર ગુજરાતી માધ્યમના ઉમેદવારોની જ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજ્યના 1.14 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા રાજ્યના 5 જિલ્લા મથકો પર લેવાશે. પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 452 સેન્ટર પર 4137 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. રવિવારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટના રોજ હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. TAT-HSની આ પરીક્ષા બપોરે 12થી 3 દરમિયાન કુલ 20 વિષયોની આ ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. 


આ  5 જિલ્લા મથકો પર પરીક્ષા


ગુજરાતમાં ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી જ થઈ નથી. જેથી આ પરીક્ષા માટે 1.14 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 14923, અમદાવાદ શહેરમાં 27177, રાજકોટમાં 22762, સુરતમાં 24255 અને વડોદરામાં 25753 સહિત 114870 ઉમેદવારો નોંધાયા છે. આ પરીક્ષા આજે બપોરે 12થી 3 દરમિયાન રાજ્યના 452 કેન્દ્રોમાં 4137 બ્લોકમાં લેવાશે.


કુલ 200 માર્ક્સની ટેસ્ટ


શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ (TAT-HS)-2023 પરીક્ષા કુલ 200 માર્ક્સની MCQ આધારિત ટેસ્ટ હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર પરીક્ષા લેશે


શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ TAT-HS-2023 પરીક્ષાના આયોજન બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.


ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે કસોટી


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચી કસોટી (ઉચ્ચતર માધ્યમિક)-2023 લેવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલુ હતી ત્યાં સરકારે નવી લાયકાતોનો ઉમેરો કર્યો હતો. જેના પગલે આવેદનપત્રો સ્વીકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. જે અનુસાર TAT-HS માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 20 જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. 


GPSC પેટર્ન હેઠળ પરીક્ષા


સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની TAT-HS પરીક્ષામાં પદ્ધતિ-નિયમો બદલીને GPSC પેટર્ન મુજબની દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે. જેમાં પ્રિલિમ અને મેઈન પરીક્ષા લેવામાં આવે છે. માધ્યમિક શિક્ષક બનવા માટેની TAT પ્રિલિમ અને મેઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની TATની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવના૨ છે.


ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી  માધ્યમની અલગ પરીક્ષા


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિષયોની સંખ્યા વધુ હોવાના લીધે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ લેવાનું નક્કી કર્યું હતું. જે અનુસાર રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની TAT-HSની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતી માધ્યમની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે બાકી રહેલા હિન્દી અને અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.