આજે 1.14 લાખ ઉમેદવારો આપશે TAT-HSની પરીક્ષા, 5 જિલ્લા મથકોના 452 કેન્દ્ર પર યોજાશે પ્રિલિમ કસોટી


  • Published By :
  • Published Date : 2023-08-06 11:17:25

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવાની આશા રાખી રહેલા લાખો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે TAT-HSની પરીક્ષા આજે લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે બપોરે 12થી 3 દરમિયાન શિક્ષક અભિરૂચી કસોટી – ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ  હાયર સેકન્ડરી)  લેવામાં આવશે. જોકે, રવિવારે માત્ર ગુજરાતી માધ્યમના ઉમેદવારોની જ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજ્યના 1.14 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા રાજ્યના 5 જિલ્લા મથકો પર લેવાશે. પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 452 સેન્ટર પર 4137 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. રવિવારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટના રોજ હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. TAT-HSની આ પરીક્ષા બપોરે 12થી 3 દરમિયાન કુલ 20 વિષયોની આ ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. 


આ  5 જિલ્લા મથકો પર પરીક્ષા


ગુજરાતમાં ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી જ થઈ નથી. જેથી આ પરીક્ષા માટે 1.14 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 14923, અમદાવાદ શહેરમાં 27177, રાજકોટમાં 22762, સુરતમાં 24255 અને વડોદરામાં 25753 સહિત 114870 ઉમેદવારો નોંધાયા છે. આ પરીક્ષા આજે બપોરે 12થી 3 દરમિયાન રાજ્યના 452 કેન્દ્રોમાં 4137 બ્લોકમાં લેવાશે.


કુલ 200 માર્ક્સની ટેસ્ટ


શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ (TAT-HS)-2023 પરીક્ષા કુલ 200 માર્ક્સની MCQ આધારિત ટેસ્ટ હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર પરીક્ષા લેશે


શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ TAT-HS-2023 પરીક્ષાના આયોજન બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.


ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે કસોટી


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચી કસોટી (ઉચ્ચતર માધ્યમિક)-2023 લેવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલુ હતી ત્યાં સરકારે નવી લાયકાતોનો ઉમેરો કર્યો હતો. જેના પગલે આવેદનપત્રો સ્વીકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. જે અનુસાર TAT-HS માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 20 જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. 


GPSC પેટર્ન હેઠળ પરીક્ષા


સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની TAT-HS પરીક્ષામાં પદ્ધતિ-નિયમો બદલીને GPSC પેટર્ન મુજબની દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે. જેમાં પ્રિલિમ અને મેઈન પરીક્ષા લેવામાં આવે છે. માધ્યમિક શિક્ષક બનવા માટેની TAT પ્રિલિમ અને મેઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની TATની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવના૨ છે.


ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી  માધ્યમની અલગ પરીક્ષા


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિષયોની સંખ્યા વધુ હોવાના લીધે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ લેવાનું નક્કી કર્યું હતું. જે અનુસાર રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની TAT-HSની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતી માધ્યમની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે બાકી રહેલા હિન્દી અને અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.