આજે 1.14 લાખ ઉમેદવારો આપશે TAT-HSની પરીક્ષા, 5 જિલ્લા મથકોના 452 કેન્દ્ર પર યોજાશે પ્રિલિમ કસોટી


  • Published By :
  • Published Date : 2023-08-06 11:17:25

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવાની આશા રાખી રહેલા લાખો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે TAT-HSની પરીક્ષા આજે લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે બપોરે 12થી 3 દરમિયાન શિક્ષક અભિરૂચી કસોટી – ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ  હાયર સેકન્ડરી)  લેવામાં આવશે. જોકે, રવિવારે માત્ર ગુજરાતી માધ્યમના ઉમેદવારોની જ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજ્યના 1.14 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા રાજ્યના 5 જિલ્લા મથકો પર લેવાશે. પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 452 સેન્ટર પર 4137 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. રવિવારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટના રોજ હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. TAT-HSની આ પરીક્ષા બપોરે 12થી 3 દરમિયાન કુલ 20 વિષયોની આ ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. 


આ  5 જિલ્લા મથકો પર પરીક્ષા


ગુજરાતમાં ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી જ થઈ નથી. જેથી આ પરીક્ષા માટે 1.14 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 14923, અમદાવાદ શહેરમાં 27177, રાજકોટમાં 22762, સુરતમાં 24255 અને વડોદરામાં 25753 સહિત 114870 ઉમેદવારો નોંધાયા છે. આ પરીક્ષા આજે બપોરે 12થી 3 દરમિયાન રાજ્યના 452 કેન્દ્રોમાં 4137 બ્લોકમાં લેવાશે.


કુલ 200 માર્ક્સની ટેસ્ટ


શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ (TAT-HS)-2023 પરીક્ષા કુલ 200 માર્ક્સની MCQ આધારિત ટેસ્ટ હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર પરીક્ષા લેશે


શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ TAT-HS-2023 પરીક્ષાના આયોજન બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.


ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે કસોટી


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચી કસોટી (ઉચ્ચતર માધ્યમિક)-2023 લેવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલુ હતી ત્યાં સરકારે નવી લાયકાતોનો ઉમેરો કર્યો હતો. જેના પગલે આવેદનપત્રો સ્વીકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. જે અનુસાર TAT-HS માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 20 જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. 


GPSC પેટર્ન હેઠળ પરીક્ષા


સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની TAT-HS પરીક્ષામાં પદ્ધતિ-નિયમો બદલીને GPSC પેટર્ન મુજબની દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે. જેમાં પ્રિલિમ અને મેઈન પરીક્ષા લેવામાં આવે છે. માધ્યમિક શિક્ષક બનવા માટેની TAT પ્રિલિમ અને મેઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની TATની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવના૨ છે.


ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી  માધ્યમની અલગ પરીક્ષા


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિષયોની સંખ્યા વધુ હોવાના લીધે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ લેવાનું નક્કી કર્યું હતું. જે અનુસાર રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની TAT-HSની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતી માધ્યમની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે બાકી રહેલા હિન્દી અને અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.