Heart Attackને કારણે શિક્ષકનું થયું મોત, સભ્યનું મોત થતા તહેવાર માતમમાં ફેરવાયો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 12:22:37

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકને કારણે આટલા લોકોના મોત થયા. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાબરકાંઠાના તલોડમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કરમીપુરામાં ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું મોત થઈ ગયું છે. 35 વર્ષીય શિક્ષકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત 

એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા. કોરોના થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો વધારે જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ક્રિકેટ રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે કોરોનાને કારણે. 

Fisherman of Rajpara died after accidentally falling into the sea |  અકસ્માતે દરિયામાં પડી જતા રાજપરાના માછીમારનું મોત - Divya Bhaskar

ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું થયું હાર્ટ એટેકને કારણે મોત 

વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠાના તલોદમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કરમીપુરામાં ક્રિકેટ રમતી વખતે શિક્ષકને હાર્ટ એટેકને આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજકુમાર પટેલ 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તહેવાર દરમિયાન યુવકનું મોત થતાં પરિવાર શોકમગ્ન છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.