Heart Attackને કારણે શિક્ષકનું થયું મોત, સભ્યનું મોત થતા તહેવાર માતમમાં ફેરવાયો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 12:22:37

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકને કારણે આટલા લોકોના મોત થયા. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાબરકાંઠાના તલોડમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કરમીપુરામાં ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું મોત થઈ ગયું છે. 35 વર્ષીય શિક્ષકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત 

એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા. કોરોના થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો વધારે જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ક્રિકેટ રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે કોરોનાને કારણે. 

Fisherman of Rajpara died after accidentally falling into the sea |  અકસ્માતે દરિયામાં પડી જતા રાજપરાના માછીમારનું મોત - Divya Bhaskar

ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું થયું હાર્ટ એટેકને કારણે મોત 

વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠાના તલોદમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કરમીપુરામાં ક્રિકેટ રમતી વખતે શિક્ષકને હાર્ટ એટેકને આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજકુમાર પટેલ 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તહેવાર દરમિયાન યુવકનું મોત થતાં પરિવાર શોકમગ્ન છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.