Heart Attackને કારણે શિક્ષકનું થયું મોત, સભ્યનું મોત થતા તહેવાર માતમમાં ફેરવાયો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 12:22:37

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકને કારણે આટલા લોકોના મોત થયા. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાબરકાંઠાના તલોડમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કરમીપુરામાં ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું મોત થઈ ગયું છે. 35 વર્ષીય શિક્ષકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત 

એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા. કોરોના થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો વધારે જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ક્રિકેટ રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે કોરોનાને કારણે. 

Fisherman of Rajpara died after accidentally falling into the sea |  અકસ્માતે દરિયામાં પડી જતા રાજપરાના માછીમારનું મોત - Divya Bhaskar

ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું થયું હાર્ટ એટેકને કારણે મોત 

વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠાના તલોદમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કરમીપુરામાં ક્રિકેટ રમતી વખતે શિક્ષકને હાર્ટ એટેકને આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજકુમાર પટેલ 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તહેવાર દરમિયાન યુવકનું મોત થતાં પરિવાર શોકમગ્ન છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.