Heart Attackને કારણે શિક્ષકનું થયું મોત, સભ્યનું મોત થતા તહેવાર માતમમાં ફેરવાયો! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 12:22:37

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકને કારણે આટલા લોકોના મોત થયા. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાબરકાંઠાના તલોડમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કરમીપુરામાં ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું મોત થઈ ગયું છે. 35 વર્ષીય શિક્ષકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત 

એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા. કોરોના થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો વધારે જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ક્રિકેટ રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે કોરોનાને કારણે. 

Fisherman of Rajpara died after accidentally falling into the sea |  અકસ્માતે દરિયામાં પડી જતા રાજપરાના માછીમારનું મોત - Divya Bhaskar

ક્રિકેટ રમતા રમતા શિક્ષકનું થયું હાર્ટ એટેકને કારણે મોત 

વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠાના તલોદમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કરમીપુરામાં ક્રિકેટ રમતી વખતે શિક્ષકને હાર્ટ એટેકને આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજકુમાર પટેલ 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તહેવાર દરમિયાન યુવકનું મોત થતાં પરિવાર શોકમગ્ન છે.  



બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક વખથ આક્રામક દેખાયા છે ત્યારે પાટણમાં કોંગ્રેસની જનસભાને સંબોધતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત પીએમ મોદીનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.