એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-08-21 16:00:17

આગામી 30 ઓગસ્ટથી એશિયા કપ શરુ થવા જઈ રહ્યો છે, જે માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. BCCIએ આજે અજીત અગરકરની આગેવાનીમાં બોર્ડની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં એશિયા કપની ટીમ ફાઈનલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આગામી વિશ્વ કપ પહેલા એશિયા કપ રમાઈ રહ્યો છે, તેથી આ વર્ષનો એશિયા કપ ટી20 ફોર્મેટની જગ્યાએ વન-ડે ફોર્મેટમાં રમાવાનો છે. જેને લઈને ટીમમાં મહત્વના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

રોહિત શર્મા સંભાળશે કમાન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન 


એશિયા કપ માટે જાહેર કરાયેલી ટીમમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓને શામેલ કરવામાં આવ્યાં છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા થી લઈને વિરાટ કોહલી સુધીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપ માટે રોહિત શર્માને કેપ્ટન તરીકે જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ હમણાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી અને આ પહેલાં પણ હાર્દિક પંડ્યાએ ઘણી ટી20 શ્રેણીઓમાં કેપ્ટનશીપ કરેલી છે, જેથી એશિયા કપમાં તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.


આ ખેલાડીઓએ ટીમમાં કર્યુ કમબેક, આ ખેલાડીઓને પડતાં મુકાયા 


એશિયા કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી ઉપરાંત સૂર્યકુમાર યાદવ, કે એલ રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ જેવા મહત્વના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કે એલ રાહુલે ટીમમાં કમબેક કર્યુ છે, તેમજ ભારતીય સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ એશિયા કપથી પરત ફરી રહ્યાં છે. આ સિવાય  પ્રસિદ્ધ ક્રિષ્ના અને તિલક વર્મા જેવા ખેલાડીઓ પેહલી વખત એશિયા કપ રમશે. આ સિવાય જો બોલર્સની વાત કરવામાં આવે તો મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદિપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટાર બોલર રિવચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.આ ઉપરાંત યુઝવેન્દ્રિય ચહલને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે સંજુ સેમસનને બેકઅપ કિપર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 


હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ 


આ એશિયા કપની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આખી ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે કે ત્રણથી ચાર જ મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ અને ફાઈનલ મેચ શ્રીલંકા ખાતે રમાવાની છે.


એશિયા કપ માટે ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી , કુલદીપ યાદવ , પ્રસિદ્ધ કૃષ્ણા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.