એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-08-21 16:00:17

આગામી 30 ઓગસ્ટથી એશિયા કપ શરુ થવા જઈ રહ્યો છે, જે માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. BCCIએ આજે અજીત અગરકરની આગેવાનીમાં બોર્ડની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં એશિયા કપની ટીમ ફાઈનલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આગામી વિશ્વ કપ પહેલા એશિયા કપ રમાઈ રહ્યો છે, તેથી આ વર્ષનો એશિયા કપ ટી20 ફોર્મેટની જગ્યાએ વન-ડે ફોર્મેટમાં રમાવાનો છે. જેને લઈને ટીમમાં મહત્વના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

રોહિત શર્મા સંભાળશે કમાન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન 


એશિયા કપ માટે જાહેર કરાયેલી ટીમમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓને શામેલ કરવામાં આવ્યાં છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા થી લઈને વિરાટ કોહલી સુધીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપ માટે રોહિત શર્માને કેપ્ટન તરીકે જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ હમણાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી અને આ પહેલાં પણ હાર્દિક પંડ્યાએ ઘણી ટી20 શ્રેણીઓમાં કેપ્ટનશીપ કરેલી છે, જેથી એશિયા કપમાં તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.


આ ખેલાડીઓએ ટીમમાં કર્યુ કમબેક, આ ખેલાડીઓને પડતાં મુકાયા 


એશિયા કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી ઉપરાંત સૂર્યકુમાર યાદવ, કે એલ રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ જેવા મહત્વના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કે એલ રાહુલે ટીમમાં કમબેક કર્યુ છે, તેમજ ભારતીય સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ એશિયા કપથી પરત ફરી રહ્યાં છે. આ સિવાય  પ્રસિદ્ધ ક્રિષ્ના અને તિલક વર્મા જેવા ખેલાડીઓ પેહલી વખત એશિયા કપ રમશે. આ સિવાય જો બોલર્સની વાત કરવામાં આવે તો મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદિપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટાર બોલર રિવચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.આ ઉપરાંત યુઝવેન્દ્રિય ચહલને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે સંજુ સેમસનને બેકઅપ કિપર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 


હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ 


આ એશિયા કપની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આખી ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે કે ત્રણથી ચાર જ મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ અને ફાઈનલ મેચ શ્રીલંકા ખાતે રમાવાની છે.


એશિયા કપ માટે ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી , કુલદીપ યાદવ , પ્રસિદ્ધ કૃષ્ણા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.