દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત... રોહિત શર્માને ટેસ્ટનું સુકાન, સૂર્યા અને રાહુલને મળી મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-30 22:16:25

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે ગુરુવારે (30 નવેમ્બર) દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ટી-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીની કમાન સંભાળશે. ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને વિનંતી કરી હતી કે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI નહીં રમે. જ્યારે મોહમ્મદ શમી હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર છે.


રજત પાટીદાર, સાંઈ સુદર્શન નવા ચહેરા


સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલની વનડે ટીમમાં વાપસી થઈ છે. નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાંઈ સુદર્શનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને આ મોટી તક મળી છે. જ્યારે શુભમન ગિલને વનડે ટીમમાં તક મળી નથી. સૂર્યા પણ ODI ટીમમાંથી ગાયબ છે. જ્યારે કેએસ ભરતને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે ટેસ્ટ ટીમમાં નિષ્ણાત વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઈશાન કિશન  છે. જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હશે.


ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ 


T20ની કેપ્ટનશિપ માટે ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા રહેશે. એટલે કે રવિન્દ્ર જાડેજાને પહેલીવાર મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .