દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત... રોહિત શર્માને ટેસ્ટનું સુકાન, સૂર્યા અને રાહુલને મળી મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-30 22:16:25

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે ગુરુવારે (30 નવેમ્બર) દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ટી-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીની કમાન સંભાળશે. ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને વિનંતી કરી હતી કે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI નહીં રમે. જ્યારે મોહમ્મદ શમી હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર છે.


રજત પાટીદાર, સાંઈ સુદર્શન નવા ચહેરા


સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલની વનડે ટીમમાં વાપસી થઈ છે. નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાંઈ સુદર્શનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને આ મોટી તક મળી છે. જ્યારે શુભમન ગિલને વનડે ટીમમાં તક મળી નથી. સૂર્યા પણ ODI ટીમમાંથી ગાયબ છે. જ્યારે કેએસ ભરતને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે ટેસ્ટ ટીમમાં નિષ્ણાત વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઈશાન કિશન  છે. જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હશે.


ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ 


T20ની કેપ્ટનશિપ માટે ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા રહેશે. એટલે કે રવિન્દ્ર જાડેજાને પહેલીવાર મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...