દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત... રોહિત શર્માને ટેસ્ટનું સુકાન, સૂર્યા અને રાહુલને મળી મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-30 22:16:25

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે ગુરુવારે (30 નવેમ્બર) દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ટી-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીની કમાન સંભાળશે. ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને વિનંતી કરી હતી કે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI નહીં રમે. જ્યારે મોહમ્મદ શમી હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર છે.


રજત પાટીદાર, સાંઈ સુદર્શન નવા ચહેરા


સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલની વનડે ટીમમાં વાપસી થઈ છે. નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાંઈ સુદર્શનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને આ મોટી તક મળી છે. જ્યારે શુભમન ગિલને વનડે ટીમમાં તક મળી નથી. સૂર્યા પણ ODI ટીમમાંથી ગાયબ છે. જ્યારે કેએસ ભરતને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે ટેસ્ટ ટીમમાં નિષ્ણાત વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઈશાન કિશન  છે. જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હશે.


ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ 


T20ની કેપ્ટનશિપ માટે ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા રહેશે. એટલે કે રવિન્દ્ર જાડેજાને પહેલીવાર મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.