Team India, ICC World Cup 2023: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર, આ ઓલરાઉન્ડરનું પત્તું કપાયું, અશ્વિનને મળી તક


  • Published By :
  • Published Date : 2023-09-28 22:01:10

ભારતની યજમાનીમાં યોજાનારા વન ડે વર્લ્ડ કપ 2023નું બ્યુગલ ટૂંક સમયમાં વાગવા જઈ રહ્યું છે ત્યારે આજે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે, પરંતુ તે પહેલા તમામ 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. ટૂર્નામેન્ટ માટે તમામ 10 દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આ ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ 28મી સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમે આ દિવસે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે અને અંતિમ ટીમ જાહેર કરી છે. ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને બહાર કરવામાં આવ્યો છે.


ઇજાગ્રસ્ત અક્ષર આઉટ, અશ્વિનની એન્ટ્રી 


ઓલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ તક આપવામાં આવી હતી, જ્યાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે અક્ષર સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે સુધી પણ ફિટ થઈ શક્યો ન હતો. ભારતીય ટીમે વર્લ્ડ કપ પહેલા 2 પ્રેક્ટિસ મેચ રમવાની છે. ટીમને તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ માટે અશ્વિન સહિત આખી ટીમ ગુવાહાટી પહોંચી ગઈ છે.


વર્લ્ડ કપ માટે ભારતની અંતિમ ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .