T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર, આ તારીખે યોજાશે IND Vs PAK મુકાબલો


  • Published By :
  • Published Date : 2024-01-04 21:02:20

આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. ટી-20 વર્લ્ડ કપ 4 જૂનથી શરૂ થશે અને ફાઇનલ મેચ 29 અથવા 30 જૂને રમાશે. 2007માં જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં વન ડે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 16 ટીમો રમી હતી. આ વખતે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની સૌથી મોટી ટુર્નામેન્ટમાં 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે.


પાકિસ્તાનની ટીમને ભારતના ગ્રુપમાં સ્થાન


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની ટીમને ભારતના ગ્રુપમાં રાખવામાં આવી શકે છે. આ સિવાય આયર્લેન્ડ, કેનેડા અને યજમાન અમેરિકાને પણ ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં સ્થાન મળી શકે છે. ICCએ તમામ ટીમોને સૂચિત શેડ્યૂલ મોકલી દીધો છે. તે ક્રિસમસ પહેલા શેડ્યૂલ જાહેર કરવા માંગતું હતું, પરંતુ BCCI અને બ્રોડકાસ્ટર સહમત ન હતા. આવી સ્થિતિમાં ICCના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.


9 જૂને ભારત-પાકિસ્તાનની મેચ 


મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમી શકે છે. આ પછી 9 જૂને પાકિસ્તાન અને 12 જૂને યજમાન અમેરિકા સામે મેચ રમાઈ શકે છે. ત્રણેય મેચ ન્યૂયોર્કમાં યોજાય તેવી શક્યતા છે. ભારત ગ્રુપમાં તેની ચોથી મેચ કેનેડા સામે 15 જૂને ફ્લોરિડામાં રમી શકે છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ રાઉન્ડમાં પોતાની તમામ મેચ ન્યૂયોર્કમાં જ રમે તેવી પૂરી સંભાવના છે.


સેમી ફાઈનલ અને ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે


દરેક ગ્રુપમાંથી બે ટીમ આગળના રાઉન્ડમાં જશે. આ રીતે ચાર ગ્રુપમાંથી આઠ ટીમો આગળ વધશે. ગ્રુપ રાઉન્ડમાં જ 12 ટીમો બહાર થઈ જશે. બીજા રાઉન્ડમાં ભારતે તેની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમવી પડી શકે છે. આ માટે બાર્બાડોસ, એન્ટિગુઆ અને સેન્ટ લુસિયાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ બીજા રાઉન્ડમાં ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ 26 જૂને ગુયાનામાં રમાઈ શકે છે. જ્યારે, બીજી સેમિફાઇનલ ત્રિનિદાદમાં 27 અથવા 28 જૂને યોજાઈ શકે છે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .