T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર, આ તારીખે યોજાશે IND Vs PAK મુકાબલો


  • Published By :
  • Published Date : 2024-01-04 21:02:20

આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. ટી-20 વર્લ્ડ કપ 4 જૂનથી શરૂ થશે અને ફાઇનલ મેચ 29 અથવા 30 જૂને રમાશે. 2007માં જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં વન ડે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 16 ટીમો રમી હતી. આ વખતે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની સૌથી મોટી ટુર્નામેન્ટમાં 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે.


પાકિસ્તાનની ટીમને ભારતના ગ્રુપમાં સ્થાન


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની ટીમને ભારતના ગ્રુપમાં રાખવામાં આવી શકે છે. આ સિવાય આયર્લેન્ડ, કેનેડા અને યજમાન અમેરિકાને પણ ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં સ્થાન મળી શકે છે. ICCએ તમામ ટીમોને સૂચિત શેડ્યૂલ મોકલી દીધો છે. તે ક્રિસમસ પહેલા શેડ્યૂલ જાહેર કરવા માંગતું હતું, પરંતુ BCCI અને બ્રોડકાસ્ટર સહમત ન હતા. આવી સ્થિતિમાં ICCના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.


9 જૂને ભારત-પાકિસ્તાનની મેચ 


મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમી શકે છે. આ પછી 9 જૂને પાકિસ્તાન અને 12 જૂને યજમાન અમેરિકા સામે મેચ રમાઈ શકે છે. ત્રણેય મેચ ન્યૂયોર્કમાં યોજાય તેવી શક્યતા છે. ભારત ગ્રુપમાં તેની ચોથી મેચ કેનેડા સામે 15 જૂને ફ્લોરિડામાં રમી શકે છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ રાઉન્ડમાં પોતાની તમામ મેચ ન્યૂયોર્કમાં જ રમે તેવી પૂરી સંભાવના છે.


સેમી ફાઈનલ અને ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે


દરેક ગ્રુપમાંથી બે ટીમ આગળના રાઉન્ડમાં જશે. આ રીતે ચાર ગ્રુપમાંથી આઠ ટીમો આગળ વધશે. ગ્રુપ રાઉન્ડમાં જ 12 ટીમો બહાર થઈ જશે. બીજા રાઉન્ડમાં ભારતે તેની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમવી પડી શકે છે. આ માટે બાર્બાડોસ, એન્ટિગુઆ અને સેન્ટ લુસિયાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ બીજા રાઉન્ડમાં ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ 26 જૂને ગુયાનામાં રમાઈ શકે છે. જ્યારે, બીજી સેમિફાઇનલ ત્રિનિદાદમાં 27 અથવા 28 જૂને યોજાઈ શકે છે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.