સારા અલી ખાનની ફિલ્મ 'એ વતન મેરે વતન’ નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By :
  • Published Date : 2023-01-23 13:39:43

આગામી સમયમાં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની પઠાણ, અક્ષયકુમારની સેલ્ફી જેવી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે સારા અલી ખાનની ફિલ્મ પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સારાની આગામી ફિલ્મ એ વતન મેરે વતનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન એક સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળી રહી છે.

Sara Ali Khan is a freedom fighter in Ae Watan Mere Watan, watch teaser |  Bollywood - Hindustan Times

સ્વતંત્રતા સેનાનીના રોલમાં દેખાય છે સારા

આઝાદી વખતના સંઘર્ષને ધ્યાનમાં રાખી અનેક ફિલ્મો બનતી હોય છે. ત્યારે આવનાર સમયમાં અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ એ વતન મેરે વતન આવવાની છે. આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. કન્નન અય્યર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે.


ભારત છોડો આંદોલન પર આધારીત છે ફિલ્મ 

આ ફિલ્મમાં ભારત છોડો આંદોલનમાં સીક્રેટ ઓપરેટર બનીને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉષા મહેતાનો રોલ કરી રહી છે. ઉષા મહેતાએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1942માં થયેલા ભારત છોડો આંદોલન પર આધારીત છે. ટીઝરમાં સારા રેટ્રો લૂકમાં દેખાઈ રહી છે. સફેદ રંગની સાડીમાં રેડિયો સેટ કરતી દેખાઈ રહી છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી