સારા અલી ખાનની ફિલ્મ 'એ વતન મેરે વતન’ નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By :
  • Published Date : 2023-01-23 13:39:43

આગામી સમયમાં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની પઠાણ, અક્ષયકુમારની સેલ્ફી જેવી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે સારા અલી ખાનની ફિલ્મ પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સારાની આગામી ફિલ્મ એ વતન મેરે વતનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન એક સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળી રહી છે.

Sara Ali Khan is a freedom fighter in Ae Watan Mere Watan, watch teaser |  Bollywood - Hindustan Times

સ્વતંત્રતા સેનાનીના રોલમાં દેખાય છે સારા

આઝાદી વખતના સંઘર્ષને ધ્યાનમાં રાખી અનેક ફિલ્મો બનતી હોય છે. ત્યારે આવનાર સમયમાં અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ એ વતન મેરે વતન આવવાની છે. આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. કન્નન અય્યર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે.


ભારત છોડો આંદોલન પર આધારીત છે ફિલ્મ 

આ ફિલ્મમાં ભારત છોડો આંદોલનમાં સીક્રેટ ઓપરેટર બનીને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉષા મહેતાનો રોલ કરી રહી છે. ઉષા મહેતાએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1942માં થયેલા ભારત છોડો આંદોલન પર આધારીત છે. ટીઝરમાં સારા રેટ્રો લૂકમાં દેખાઈ રહી છે. સફેદ રંગની સાડીમાં રેડિયો સેટ કરતી દેખાઈ રહી છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.