તિસ્તા સેતલવાડને જલ્દી કરવું પડશે આત્મસર્મપણ, ગુજરાત હાઈકોર્ટે ફગાવી જામીન અરજી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-01 14:27:03

વર્ષ 2002માં ગુજરાતમાં ભયંકર રમખાણો ફાટી નિકળ્યા હતા. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગોધરા કાંડને લોકો ભૂલી શકે તેમ નથી. ત્યારે ગુજરાત રમખાણો બાદ તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી હતી. સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા જેને લઈ સેતલવાડ ધરપકડને ટાળી શક્યા હતા. પરંતુ ગુજરાત હાઈકોર્ટે શનિવારે તિસ્તા સેતલવાડીની જામીન અરજીને ફગાવી દીધી છે. અને તત્કાળ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 


ગયા વર્ષે જામીન માટે કરી હતી અરજી 

અમદાવાદના સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. કુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ કેસની સૂનાવણી ચાલી રહી હતી. આ ત્રણેય સામે એસઆઈટીની તપાસ ચાલી રહી હતી. મુંબઈના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ પર 2002 ગુજરાત રમખાણ સાથે જોડાયેલા પુરાવા બનાવવાનો આરોપ છે. ત્યારે આજે એટલે કે ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજીને નામંજુર કરી છે અને તરત હાજર કરવા આદેશ આપ્યો છે. ગયા વર્ષે તેમણે જામીન અરજી દાખલ કરી હતી. 25 જૂન 2022માં ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.