તિસ્તા સેતલવાડને જલ્દી કરવું પડશે આત્મસર્મપણ, ગુજરાત હાઈકોર્ટે ફગાવી જામીન અરજી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-01 14:27:03

વર્ષ 2002માં ગુજરાતમાં ભયંકર રમખાણો ફાટી નિકળ્યા હતા. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગોધરા કાંડને લોકો ભૂલી શકે તેમ નથી. ત્યારે ગુજરાત રમખાણો બાદ તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી હતી. સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા જેને લઈ સેતલવાડ ધરપકડને ટાળી શક્યા હતા. પરંતુ ગુજરાત હાઈકોર્ટે શનિવારે તિસ્તા સેતલવાડીની જામીન અરજીને ફગાવી દીધી છે. અને તત્કાળ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 


ગયા વર્ષે જામીન માટે કરી હતી અરજી 

અમદાવાદના સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. કુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ કેસની સૂનાવણી ચાલી રહી હતી. આ ત્રણેય સામે એસઆઈટીની તપાસ ચાલી રહી હતી. મુંબઈના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ પર 2002 ગુજરાત રમખાણ સાથે જોડાયેલા પુરાવા બનાવવાનો આરોપ છે. ત્યારે આજે એટલે કે ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજીને નામંજુર કરી છે અને તરત હાજર કરવા આદેશ આપ્યો છે. ગયા વર્ષે તેમણે જામીન અરજી દાખલ કરી હતી. 25 જૂન 2022માં ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.