તિસ્તા સેતલવાડને જલ્દી કરવું પડશે આત્મસર્મપણ, ગુજરાત હાઈકોર્ટે ફગાવી જામીન અરજી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-01 14:27:03

વર્ષ 2002માં ગુજરાતમાં ભયંકર રમખાણો ફાટી નિકળ્યા હતા. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગોધરા કાંડને લોકો ભૂલી શકે તેમ નથી. ત્યારે ગુજરાત રમખાણો બાદ તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી હતી. સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા જેને લઈ સેતલવાડ ધરપકડને ટાળી શક્યા હતા. પરંતુ ગુજરાત હાઈકોર્ટે શનિવારે તિસ્તા સેતલવાડીની જામીન અરજીને ફગાવી દીધી છે. અને તત્કાળ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 


ગયા વર્ષે જામીન માટે કરી હતી અરજી 

અમદાવાદના સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. કુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ કેસની સૂનાવણી ચાલી રહી હતી. આ ત્રણેય સામે એસઆઈટીની તપાસ ચાલી રહી હતી. મુંબઈના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ પર 2002 ગુજરાત રમખાણ સાથે જોડાયેલા પુરાવા બનાવવાનો આરોપ છે. ત્યારે આજે એટલે કે ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજીને નામંજુર કરી છે અને તરત હાજર કરવા આદેશ આપ્યો છે. ગયા વર્ષે તેમણે જામીન અરજી દાખલ કરી હતી. 25 જૂન 2022માં ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.