ફોન ગ્રાહકોની સંખ્યા વધીને 117.03 કરોડ થઈ, જાણો કઈ કંપની છે ટોપ પર


  • Published By :
  • Published Date : 2023-02-17 18:08:36

દેશભરમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર 2022માં નજીવી વધી છે. દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા વધીને 117.03 કરોડ થઈ હતી. ફિક્સ લાઇન કનેક્શનની સંખ્યામાં વૃધ્ધી આમાં મોટો ફાળો રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં ફોન ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં 117.01 કરોડથી વધીને ડિસેમ્બરમાં 117.03 કરોડ થઈ ગઈ છે. આ રીતે, માસિક ધોરણે 0.02 ટકાનો વધારો નોંધાયો છે.


TRAIનો રિપોર્ટ શું કહે છે?


ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ તેના માસિક સબસ્ક્રાઈબર રિપોર્ટમાં જણાવ્યું છે કે ડિસેમ્બરમાં વાયરલાઈન સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 2.74 કરોડ થઈ છે જે નવેમ્બરમાં 2.71 કરોડ હતી. રિલાયન્સ જિયોના 2.92 લાખ નવા ગ્રાહકોની સંખ્યાએ ફિક્સ ફોન ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન ભારતી એરટેલે 1.46 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા જ્યારે BSNLએ 13,189 અને ક્વાડ્રન્ટે 6,355 નવા ગ્રાહકો ઉમેર્યા.


રિલાયન્સ જિયોના ગ્રાહકો વધ્યા


બીજી તરફ, MTNLએ આ મહિના દરમિયાન 1.10 લાખ ગ્રાહકો ગુમાવ્યા જ્યારે વોડાફોન ઇન્ડિયાએ 15,920 લેન્ડલાઇન ગ્રાહકો ગુમાવ્યા. ડિસેમ્બરમાં મોબાઈલ ફોન ધારકોની સંખ્યા નજીવી રીતે ઘટીને 114.29 કરોડ થઈ છે. નવેમ્બરમાં આ સંખ્યા 114.30 કરોડ હતી. વોડાફોન આઈડિયાના 24.7 લાખ ગ્રાહકોનો ઘટાડો આની  પાછળનું મુખ્ય કારણ હતું. રિલાયન્સ જિયોએ ડિસેમ્બરમાં 17 લાખ નવા મોબાઇલ ફોન કનેક્શન ઉમેર્યા, જ્યારે ભારતી એરટેલે 15.2  લાખ નવા ગ્રાહકો ઉમેર્યા. જ્યારે BSNLએ 8.76 લાખ ગ્રાહકો ગુમાવ્યા. બ્રોડબેન્ડ કનેક્શન ધારકોની સંખ્યા નવેમ્બરમાં 82.53 કરોડથી વધીને ડિસેમ્બરમાં 83.22 કરોડ થઈ છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.