ફોન ગ્રાહકોની સંખ્યા વધીને 117.03 કરોડ થઈ, જાણો કઈ કંપની છે ટોપ પર


  • Published By :
  • Published Date : 2023-02-17 18:08:36

દેશભરમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર 2022માં નજીવી વધી છે. દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા વધીને 117.03 કરોડ થઈ હતી. ફિક્સ લાઇન કનેક્શનની સંખ્યામાં વૃધ્ધી આમાં મોટો ફાળો રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં ફોન ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં 117.01 કરોડથી વધીને ડિસેમ્બરમાં 117.03 કરોડ થઈ ગઈ છે. આ રીતે, માસિક ધોરણે 0.02 ટકાનો વધારો નોંધાયો છે.


TRAIનો રિપોર્ટ શું કહે છે?


ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ તેના માસિક સબસ્ક્રાઈબર રિપોર્ટમાં જણાવ્યું છે કે ડિસેમ્બરમાં વાયરલાઈન સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 2.74 કરોડ થઈ છે જે નવેમ્બરમાં 2.71 કરોડ હતી. રિલાયન્સ જિયોના 2.92 લાખ નવા ગ્રાહકોની સંખ્યાએ ફિક્સ ફોન ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન ભારતી એરટેલે 1.46 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા જ્યારે BSNLએ 13,189 અને ક્વાડ્રન્ટે 6,355 નવા ગ્રાહકો ઉમેર્યા.


રિલાયન્સ જિયોના ગ્રાહકો વધ્યા


બીજી તરફ, MTNLએ આ મહિના દરમિયાન 1.10 લાખ ગ્રાહકો ગુમાવ્યા જ્યારે વોડાફોન ઇન્ડિયાએ 15,920 લેન્ડલાઇન ગ્રાહકો ગુમાવ્યા. ડિસેમ્બરમાં મોબાઈલ ફોન ધારકોની સંખ્યા નજીવી રીતે ઘટીને 114.29 કરોડ થઈ છે. નવેમ્બરમાં આ સંખ્યા 114.30 કરોડ હતી. વોડાફોન આઈડિયાના 24.7 લાખ ગ્રાહકોનો ઘટાડો આની  પાછળનું મુખ્ય કારણ હતું. રિલાયન્સ જિયોએ ડિસેમ્બરમાં 17 લાખ નવા મોબાઇલ ફોન કનેક્શન ઉમેર્યા, જ્યારે ભારતી એરટેલે 15.2  લાખ નવા ગ્રાહકો ઉમેર્યા. જ્યારે BSNLએ 8.76 લાખ ગ્રાહકો ગુમાવ્યા. બ્રોડબેન્ડ કનેક્શન ધારકોની સંખ્યા નવેમ્બરમાં 82.53 કરોડથી વધીને ડિસેમ્બરમાં 83.22 કરોડ થઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.