જાપાનના એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર બાદ ભયાનક આગ, 379 મુસાફરોનો આબાદ બચાવ


  • Published By :
  • Published Date : 2024-01-02 19:43:49

જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવ્યાને 24 કલાક પણ વીત્યા નથી, ત્યારે વધુ એક દુર્ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. મંગળવારે જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહેલા પ્લેનમાં આગ લાગી હતી. આ વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. જાપાનની સરકારી NHK ટીવીએ પણ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રનવે પર પાર્ક કરાયેલા એરક્રાફ્ટની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. નિપ્પોન ટીવીના રિપોર્ટ મુજબ, કોસ્ટ ગાર્ડના વિમાન સાથે સંભવિત ટક્કરને કારણે વિમાનમાં આગ લાગી હતી. જો કે, તપાસકર્તાઓ દરેક એંગલથી અકસ્માતની તપાસ કરી રહ્યા છે.


શું ટક્કરને કારણે આગ લાગી હતી?


કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સંભવતઃ જાપાન કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટે આ પ્લેનને ટક્કર મારી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તે તેના એરક્રાફ્ટ અને પ્લેન વચ્ચે અથડામણના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે.


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ શું કહ્યું?


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન હોક્કાઇડોના શિન-ચિટોઝ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તેમાં 300 થી વધુ મુસાફરો હતા. AFP એ NHK ને ટાંકીને જણાવ્યું હતું કે સળગતા વિમાનમાંથી તમામ 367 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?


આ દુર્ઘટનાને કારણે રનવે પર પણ આગ ફાટી નીકળી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન જાપાન એરલાઈન્સનું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે વિમાન, JAL 516, હોક્કાઇડોથી ઉડાન ભરી હતી. NHK એ આગ બુઝાવવા માટે કામ કરતા અગ્નિશામકોને પણ બતાવ્યા હતા. 



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.