જાપાનના એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર બાદ ભયાનક આગ, 379 મુસાફરોનો આબાદ બચાવ


  • Published By :
  • Published Date : 2024-01-02 19:43:49

જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવ્યાને 24 કલાક પણ વીત્યા નથી, ત્યારે વધુ એક દુર્ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. મંગળવારે જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહેલા પ્લેનમાં આગ લાગી હતી. આ વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. જાપાનની સરકારી NHK ટીવીએ પણ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રનવે પર પાર્ક કરાયેલા એરક્રાફ્ટની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. નિપ્પોન ટીવીના રિપોર્ટ મુજબ, કોસ્ટ ગાર્ડના વિમાન સાથે સંભવિત ટક્કરને કારણે વિમાનમાં આગ લાગી હતી. જો કે, તપાસકર્તાઓ દરેક એંગલથી અકસ્માતની તપાસ કરી રહ્યા છે.


શું ટક્કરને કારણે આગ લાગી હતી?


કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સંભવતઃ જાપાન કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટે આ પ્લેનને ટક્કર મારી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તે તેના એરક્રાફ્ટ અને પ્લેન વચ્ચે અથડામણના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે.


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ શું કહ્યું?


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન હોક્કાઇડોના શિન-ચિટોઝ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તેમાં 300 થી વધુ મુસાફરો હતા. AFP એ NHK ને ટાંકીને જણાવ્યું હતું કે સળગતા વિમાનમાંથી તમામ 367 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?


આ દુર્ઘટનાને કારણે રનવે પર પણ આગ ફાટી નીકળી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન જાપાન એરલાઈન્સનું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે વિમાન, JAL 516, હોક્કાઇડોથી ઉડાન ભરી હતી. NHK એ આગ બુઝાવવા માટે કામ કરતા અગ્નિશામકોને પણ બતાવ્યા હતા. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.