જાપાનના એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર બાદ ભયાનક આગ, 379 મુસાફરોનો આબાદ બચાવ


  • Published By :
  • Published Date : 2024-01-02 19:43:49

જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવ્યાને 24 કલાક પણ વીત્યા નથી, ત્યારે વધુ એક દુર્ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. મંગળવારે જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહેલા પ્લેનમાં આગ લાગી હતી. આ વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. જાપાનની સરકારી NHK ટીવીએ પણ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રનવે પર પાર્ક કરાયેલા એરક્રાફ્ટની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. નિપ્પોન ટીવીના રિપોર્ટ મુજબ, કોસ્ટ ગાર્ડના વિમાન સાથે સંભવિત ટક્કરને કારણે વિમાનમાં આગ લાગી હતી. જો કે, તપાસકર્તાઓ દરેક એંગલથી અકસ્માતની તપાસ કરી રહ્યા છે.


શું ટક્કરને કારણે આગ લાગી હતી?


કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સંભવતઃ જાપાન કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટે આ પ્લેનને ટક્કર મારી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તે તેના એરક્રાફ્ટ અને પ્લેન વચ્ચે અથડામણના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે.


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ શું કહ્યું?


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન હોક્કાઇડોના શિન-ચિટોઝ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તેમાં 300 થી વધુ મુસાફરો હતા. AFP એ NHK ને ટાંકીને જણાવ્યું હતું કે સળગતા વિમાનમાંથી તમામ 367 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?


આ દુર્ઘટનાને કારણે રનવે પર પણ આગ ફાટી નીકળી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન જાપાન એરલાઈન્સનું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે વિમાન, JAL 516, હોક્કાઇડોથી ઉડાન ભરી હતી. NHK એ આગ બુઝાવવા માટે કામ કરતા અગ્નિશામકોને પણ બતાવ્યા હતા. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?