યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આતંકી હુમલો, ગોળીબારમાં ઈઝરાયેલના ત્રણ લોકોના મોત, હુમલાખોરો પણ ઠાર


  • Published By :
  • Published Date : 2023-11-30 18:08:36

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આ આતંકી હુમલો થયો છે. જેરુસલેમમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે 7.40 વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બે પેલેસ્ટિનિયન હુમલાખોરો વેઈઝમેન સ્ટ્રીટ પર વાહનમાંથી ઉતર્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. છ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. ઘટના સ્થળે હાજર બે ઑફ-ડ્યુટી સૈનિકો અને એક સશસ્ત્ર નાગરિકે પણ તરત જ  હુમલાખોરો પર વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. લગભગ 47 દિવસના યુદ્ધ બાદ બંને વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ થયો હતો.


હુમલાનો વીડિયો વાયરલ


આ હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો બસ સ્ટોપ પર ઉભા રહીને રાહ જોઈ રહ્યા છે, ત્યારે અચાનક બે હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોના નામ મુરાદ નામ્ર (38) અને ઈબ્રાહિમ છે. નમ્ર (30) છે. આ બંને હમાસ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી બદલ જેલમાં જઈ ચૂક્યા છે.


હથિયારો મળી આવ્યા


જેરુસલેમ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો પાસે એમ-16 એસોલ્ટ રાઈફલ અને એક હેન્ડગન હતી. હુમલાખોરોના વાહનમાંથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ આસપાસના વિસ્તારની પણ તપાસ કરી રહી છે. આ હુમલામાં 24 વર્ષની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા અને એક પુરૂષનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ આતંકવાદી હુમલો થયો હતો તે બસ સ્ટોપ પર પણ બરાબર એક વર્ષ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલો ગુરુવારે સવારે એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાયેલ અને હમાસ અસ્થાયી યુદ્ધવિરામને વધુ એક દિવસ વધારવા માટે સહમત થયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.