યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આતંકી હુમલો, ગોળીબારમાં ઈઝરાયેલના ત્રણ લોકોના મોત, હુમલાખોરો પણ ઠાર


  • Published By :
  • Published Date : 2023-11-30 18:08:36

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આ આતંકી હુમલો થયો છે. જેરુસલેમમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે 7.40 વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બે પેલેસ્ટિનિયન હુમલાખોરો વેઈઝમેન સ્ટ્રીટ પર વાહનમાંથી ઉતર્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. છ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. ઘટના સ્થળે હાજર બે ઑફ-ડ્યુટી સૈનિકો અને એક સશસ્ત્ર નાગરિકે પણ તરત જ  હુમલાખોરો પર વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. લગભગ 47 દિવસના યુદ્ધ બાદ બંને વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ થયો હતો.


હુમલાનો વીડિયો વાયરલ


આ હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો બસ સ્ટોપ પર ઉભા રહીને રાહ જોઈ રહ્યા છે, ત્યારે અચાનક બે હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોના નામ મુરાદ નામ્ર (38) અને ઈબ્રાહિમ છે. નમ્ર (30) છે. આ બંને હમાસ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી બદલ જેલમાં જઈ ચૂક્યા છે.


હથિયારો મળી આવ્યા


જેરુસલેમ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો પાસે એમ-16 એસોલ્ટ રાઈફલ અને એક હેન્ડગન હતી. હુમલાખોરોના વાહનમાંથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ આસપાસના વિસ્તારની પણ તપાસ કરી રહી છે. આ હુમલામાં 24 વર્ષની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા અને એક પુરૂષનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ આતંકવાદી હુમલો થયો હતો તે બસ સ્ટોપ પર પણ બરાબર એક વર્ષ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલો ગુરુવારે સવારે એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાયેલ અને હમાસ અસ્થાયી યુદ્ધવિરામને વધુ એક દિવસ વધારવા માટે સહમત થયા હતા.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.