યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આતંકી હુમલો, ગોળીબારમાં ઈઝરાયેલના ત્રણ લોકોના મોત, હુમલાખોરો પણ ઠાર


  • Published By :
  • Published Date : 2023-11-30 18:08:36

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે જેરુસલેમમાં આ આતંકી હુમલો થયો છે. જેરુસલેમમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે 7.40 વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બે પેલેસ્ટિનિયન હુમલાખોરો વેઈઝમેન સ્ટ્રીટ પર વાહનમાંથી ઉતર્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. છ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. ઘટના સ્થળે હાજર બે ઑફ-ડ્યુટી સૈનિકો અને એક સશસ્ત્ર નાગરિકે પણ તરત જ  હુમલાખોરો પર વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનિય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. લગભગ 47 દિવસના યુદ્ધ બાદ બંને વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ થયો હતો.


હુમલાનો વીડિયો વાયરલ


આ હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો બસ સ્ટોપ પર ઉભા રહીને રાહ જોઈ રહ્યા છે, ત્યારે અચાનક બે હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોના નામ મુરાદ નામ્ર (38) અને ઈબ્રાહિમ છે. નમ્ર (30) છે. આ બંને હમાસ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી બદલ જેલમાં જઈ ચૂક્યા છે.


હથિયારો મળી આવ્યા


જેરુસલેમ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો પાસે એમ-16 એસોલ્ટ રાઈફલ અને એક હેન્ડગન હતી. હુમલાખોરોના વાહનમાંથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ આસપાસના વિસ્તારની પણ તપાસ કરી રહી છે. આ હુમલામાં 24 વર્ષની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા અને એક પુરૂષનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ આતંકવાદી હુમલો થયો હતો તે બસ સ્ટોપ પર પણ બરાબર એક વર્ષ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલો ગુરુવારે સવારે એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાયેલ અને હમાસ અસ્થાયી યુદ્ધવિરામને વધુ એક દિવસ વધારવા માટે સહમત થયા હતા.



મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?