અફઘાનિસ્તાનમાં સ્કૂલ પર આતંકી હુમલો, 100થી વધુ બાળકોના મોત, હ્રદયદ્રાવક વિડીયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:19:47

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી પણ આત્મઘાતી હુમલાની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. આજે રાજધાની કાબુલની એક સ્કૂલમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 બાળકોના મોત થયા છે. સ્થાનિક મિડીયાના જણાવ્યા પ્રમાણે વિષ્ફોટના સ્થળે હ્રદય દ્વાવક દ્રશ્યો જોવા મળ્યો હતો. શાળાની આસપાસના મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી. કોઈના હાથ ક્યાંક પડ્યા હતા તો ક્યાંક પગ હતા.

  ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાને (Iskp)કર્યો હુમલો


ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતે હુમલાની જવાબદારી લીધી છે, મૃતકોમાં મોટાભાગના હજારા અને શિયા સમુદાયના વિદ્નેયાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલમાં કાબુલમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં વિસ્ફોટ થયા હતા, તેમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બંને શાળાઓ કાબુલના દશ્તે બરચી વિસ્તારમાં પણ આવેલી હતી.


શિયા અને હજારા સમુદાય Iskpના નિશાન પર


કાબુલના દશ્તે બરચીમાં સ્થિત આ સ્કૂલ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે આવેલી છે. ઘાયલ વિદ્યાર્થીઓથી હોસ્પિટલના તમામ બેડ ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં 100થી વધુ મૃતકોની ગણતરી કરવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી તે સમયે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પાછળનો હેતું શિયા અને હજારા સમુદાયને નિશાન બનાવવાનો હતો. તમામ મૃતક વિદ્યાર્થી શિયા અને હજારા સમુદાયના હતા. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે