અફઘાનિસ્તાનમાં સ્કૂલ પર આતંકી હુમલો, 100થી વધુ બાળકોના મોત, હ્રદયદ્રાવક વિડીયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:19:47

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી પણ આત્મઘાતી હુમલાની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. આજે રાજધાની કાબુલની એક સ્કૂલમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 બાળકોના મોત થયા છે. સ્થાનિક મિડીયાના જણાવ્યા પ્રમાણે વિષ્ફોટના સ્થળે હ્રદય દ્વાવક દ્રશ્યો જોવા મળ્યો હતો. શાળાની આસપાસના મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી. કોઈના હાથ ક્યાંક પડ્યા હતા તો ક્યાંક પગ હતા.

  ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાને (Iskp)કર્યો હુમલો


ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતે હુમલાની જવાબદારી લીધી છે, મૃતકોમાં મોટાભાગના હજારા અને શિયા સમુદાયના વિદ્નેયાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલમાં કાબુલમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં વિસ્ફોટ થયા હતા, તેમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બંને શાળાઓ કાબુલના દશ્તે બરચી વિસ્તારમાં પણ આવેલી હતી.


શિયા અને હજારા સમુદાય Iskpના નિશાન પર


કાબુલના દશ્તે બરચીમાં સ્થિત આ સ્કૂલ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે આવેલી છે. ઘાયલ વિદ્યાર્થીઓથી હોસ્પિટલના તમામ બેડ ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં 100થી વધુ મૃતકોની ગણતરી કરવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી તે સમયે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પાછળનો હેતું શિયા અને હજારા સમુદાયને નિશાન બનાવવાનો હતો. તમામ મૃતક વિદ્યાર્થી શિયા અને હજારા સમુદાયના હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.