અફઘાનિસ્તાનમાં સ્કૂલ પર આતંકી હુમલો, 100થી વધુ બાળકોના મોત, હ્રદયદ્રાવક વિડીયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:19:47

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી પણ આત્મઘાતી હુમલાની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. આજે રાજધાની કાબુલની એક સ્કૂલમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 બાળકોના મોત થયા છે. સ્થાનિક મિડીયાના જણાવ્યા પ્રમાણે વિષ્ફોટના સ્થળે હ્રદય દ્વાવક દ્રશ્યો જોવા મળ્યો હતો. શાળાની આસપાસના મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી. કોઈના હાથ ક્યાંક પડ્યા હતા તો ક્યાંક પગ હતા.

  ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાને (Iskp)કર્યો હુમલો


ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતે હુમલાની જવાબદારી લીધી છે, મૃતકોમાં મોટાભાગના હજારા અને શિયા સમુદાયના વિદ્નેયાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલમાં કાબુલમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં વિસ્ફોટ થયા હતા, તેમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બંને શાળાઓ કાબુલના દશ્તે બરચી વિસ્તારમાં પણ આવેલી હતી.


શિયા અને હજારા સમુદાય Iskpના નિશાન પર


કાબુલના દશ્તે બરચીમાં સ્થિત આ સ્કૂલ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે આવેલી છે. ઘાયલ વિદ્યાર્થીઓથી હોસ્પિટલના તમામ બેડ ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં 100થી વધુ મૃતકોની ગણતરી કરવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી તે સમયે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પાછળનો હેતું શિયા અને હજારા સમુદાયને નિશાન બનાવવાનો હતો. તમામ મૃતક વિદ્યાર્થી શિયા અને હજારા સમુદાયના હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .