ટીમ ઈન્ડિયાનો 9 વિકેટથી પરાજય, ઓસ્ટ્રેલિયા 6 વર્ષે ભારતમાં ટેસ્ટ મેચ જીત્યું


  • Published By :
  • Published Date : 2023-03-03 13:34:46

ઓસ્ટ્રેલિયાએ આજે 3 માર્ચ 2023ના દિવસે 9 વિકેટથી હરાવ્યું છે, 4 મેચની સીરીઝની શરૂઆતની બંને મેચ ભારતે જીતી હતી. આ પ્રકારે સીરીઝમાં હવે ભારત 2-1થી આગળ છે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  યોજાશે.


ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાય કર્યું


ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં યોજાયેલી આ ટેસ્ટ મેચમાં જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારત પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે. પરંતું હવે તેણે અમદાવાદમાં કોઈ પણ ભોગે જીત મેળવવી જ પડશે, નહીં તો પેંચ ફસાઈ શકે છે.


લંચ પહેલા જ સમાપ્ત થઈ મેચ


ત્રીજી ટેસ્ટનું પરીણામ બે દિવસ અને કેટલાક કલાકોમાં આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે લંચ પહેલા જ એક વિકેટ પર 78 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. ટ્રેવિસ હેડ 53 બોલમાં 49 રન અને માર્નસ લાબુશેન 58 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો. હેડએ તેની ઈંનિંગ દરમિયાન 6 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો. ત્યાં જ લાબુશેનએ 6 છક્કા લગાવ્યા. 


ભારત ટોસ જીત્યું, પણ ટેસ્ટ હાર્યુ


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ એક માર્ચે શરૂ થઈ હતી, પહેલા દિવસે રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માનો આ નિર્ણય યોગ્ય સાબિત ન થયો. ભારતીય ટીમ પહેલી ઈંનિંગમાં 109 રન પર જ ધરાશાઈ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 197 રન બનાવ્યા આ પ્રકારે તેણે 88 રનની લીડ પ્રાપ્ત કરી લીધી. ભારતીય ટીમ બીજી ઈંનિંગમાં કોઈ કમાલ કરી શકી નહીં અને 163 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. આ પ્રકારે આસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનું લક્ષ્ય મળ્યું, જે તેણે માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું.  

 

ઓસ્ટ્રેલિયાએ 6 વર્ષે ટેસ્ટ જીતી


ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 6 વર્ષ બાદ કોઈ ટેસ્ટ જીતી લીધી છે. આ પહેલા ફેબ્રુઆરી 2017માં પુનામાં યોજાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 333 રનથી હરાવ્યું હતું, આસ્ટ્રેલિયા ત્યાર બાદ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમ્યું છે પણ અને ત્યાર બાદ હવે ઈન્દોરમાં જીત મેળવી શક્યું છે. આ દરમિયાન તેને 4 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો રહી હતી.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.