ટીમ ઈન્ડિયાનો 9 વિકેટથી પરાજય, ઓસ્ટ્રેલિયા 6 વર્ષે ભારતમાં ટેસ્ટ મેચ જીત્યું


  • Published By :
  • Published Date : 2023-03-03 13:34:46

ઓસ્ટ્રેલિયાએ આજે 3 માર્ચ 2023ના દિવસે 9 વિકેટથી હરાવ્યું છે, 4 મેચની સીરીઝની શરૂઆતની બંને મેચ ભારતે જીતી હતી. આ પ્રકારે સીરીઝમાં હવે ભારત 2-1થી આગળ છે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  યોજાશે.


ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાય કર્યું


ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં યોજાયેલી આ ટેસ્ટ મેચમાં જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારત પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે. પરંતું હવે તેણે અમદાવાદમાં કોઈ પણ ભોગે જીત મેળવવી જ પડશે, નહીં તો પેંચ ફસાઈ શકે છે.


લંચ પહેલા જ સમાપ્ત થઈ મેચ


ત્રીજી ટેસ્ટનું પરીણામ બે દિવસ અને કેટલાક કલાકોમાં આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે લંચ પહેલા જ એક વિકેટ પર 78 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. ટ્રેવિસ હેડ 53 બોલમાં 49 રન અને માર્નસ લાબુશેન 58 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો. હેડએ તેની ઈંનિંગ દરમિયાન 6 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો. ત્યાં જ લાબુશેનએ 6 છક્કા લગાવ્યા. 


ભારત ટોસ જીત્યું, પણ ટેસ્ટ હાર્યુ


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ એક માર્ચે શરૂ થઈ હતી, પહેલા દિવસે રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માનો આ નિર્ણય યોગ્ય સાબિત ન થયો. ભારતીય ટીમ પહેલી ઈંનિંગમાં 109 રન પર જ ધરાશાઈ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 197 રન બનાવ્યા આ પ્રકારે તેણે 88 રનની લીડ પ્રાપ્ત કરી લીધી. ભારતીય ટીમ બીજી ઈંનિંગમાં કોઈ કમાલ કરી શકી નહીં અને 163 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. આ પ્રકારે આસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનું લક્ષ્ય મળ્યું, જે તેણે માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું.  

 

ઓસ્ટ્રેલિયાએ 6 વર્ષે ટેસ્ટ જીતી


ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 6 વર્ષ બાદ કોઈ ટેસ્ટ જીતી લીધી છે. આ પહેલા ફેબ્રુઆરી 2017માં પુનામાં યોજાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 333 રનથી હરાવ્યું હતું, આસ્ટ્રેલિયા ત્યાર બાદ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમ્યું છે પણ અને ત્યાર બાદ હવે ઈન્દોરમાં જીત મેળવી શક્યું છે. આ દરમિયાન તેને 4 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો રહી હતી.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.