ટીમ ઈન્ડિયાનો 9 વિકેટથી પરાજય, ઓસ્ટ્રેલિયા 6 વર્ષે ભારતમાં ટેસ્ટ મેચ જીત્યું


  • Published By :
  • Published Date : 2023-03-03 13:34:46

ઓસ્ટ્રેલિયાએ આજે 3 માર્ચ 2023ના દિવસે 9 વિકેટથી હરાવ્યું છે, 4 મેચની સીરીઝની શરૂઆતની બંને મેચ ભારતે જીતી હતી. આ પ્રકારે સીરીઝમાં હવે ભારત 2-1થી આગળ છે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  યોજાશે.


ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાય કર્યું


ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં યોજાયેલી આ ટેસ્ટ મેચમાં જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારત પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે. પરંતું હવે તેણે અમદાવાદમાં કોઈ પણ ભોગે જીત મેળવવી જ પડશે, નહીં તો પેંચ ફસાઈ શકે છે.


લંચ પહેલા જ સમાપ્ત થઈ મેચ


ત્રીજી ટેસ્ટનું પરીણામ બે દિવસ અને કેટલાક કલાકોમાં આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે લંચ પહેલા જ એક વિકેટ પર 78 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. ટ્રેવિસ હેડ 53 બોલમાં 49 રન અને માર્નસ લાબુશેન 58 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો. હેડએ તેની ઈંનિંગ દરમિયાન 6 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો. ત્યાં જ લાબુશેનએ 6 છક્કા લગાવ્યા. 


ભારત ટોસ જીત્યું, પણ ટેસ્ટ હાર્યુ


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ એક માર્ચે શરૂ થઈ હતી, પહેલા દિવસે રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માનો આ નિર્ણય યોગ્ય સાબિત ન થયો. ભારતીય ટીમ પહેલી ઈંનિંગમાં 109 રન પર જ ધરાશાઈ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 197 રન બનાવ્યા આ પ્રકારે તેણે 88 રનની લીડ પ્રાપ્ત કરી લીધી. ભારતીય ટીમ બીજી ઈંનિંગમાં કોઈ કમાલ કરી શકી નહીં અને 163 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. આ પ્રકારે આસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનું લક્ષ્ય મળ્યું, જે તેણે માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું.  

 

ઓસ્ટ્રેલિયાએ 6 વર્ષે ટેસ્ટ જીતી


ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 6 વર્ષ બાદ કોઈ ટેસ્ટ જીતી લીધી છે. આ પહેલા ફેબ્રુઆરી 2017માં પુનામાં યોજાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 333 રનથી હરાવ્યું હતું, આસ્ટ્રેલિયા ત્યાર બાદ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમ્યું છે પણ અને ત્યાર બાદ હવે ઈન્દોરમાં જીત મેળવી શક્યું છે. આ દરમિયાન તેને 4 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો રહી હતી.  



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.