અમેરિકામાં ફરી બેફામ ફાયરિંગ, ટેક્સાસના મોલમાં થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત, 7 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-05-07 13:54:31

અમેરિકાના ટેક્સાસમાં એક હુમલાખોરે ગોળીબાર કરીને 8 લોકોની હત્યા કરી નાખી છે. આ ગોળીબાર મોલમાં એ સમયે થયો હતો જ્યાંરે મોટી સંખ્યામાં લોકો વીકએન્ડ શોપિંગ માટે આવ્યા હતા. એલન શહેરની ભયાનક ઘટનામાં એક બાળકનું પણ મોત થયું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર પણ માર્યો ગયો છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના તેણે એકલા હાથે કરી હતી. હાલ હોસ્પિટલમાં સાત લોકો સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ મહિલાઓની હાલત નાજુક છે.


લોકોના ઘટના સ્થળે જ મોત  


એલન સિટીના ફાયર ચીફ જોનાથન બોયડે જણાવ્યું હતું કે હુમલાખોર સહિત કેટલાક લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. એલનના પોલીસ વડા બ્રાયન હાર્વેએ જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળીને એક પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરને ઘેરી લીધો હતો. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું છે કે આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.


ગવર્નર ગ્રેગ એબોટે 'અકથ્ય દુર્ઘટના' ગણાવી હતી. તેમણે કહ્યું કે પોલીસ સ્થાનિક અધિકારીઓને તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. પોલીસે મોલમાં આવેલા લોકોને ઘટના સમયે બનાવેલા વીડિયો માટે પૂછ્યું છે. આવા લોકોને FBIનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'