અમેરિકામાં ફરી બેફામ ફાયરિંગ, ટેક્સાસના મોલમાં થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત, 7 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-05-07 13:54:31

અમેરિકાના ટેક્સાસમાં એક હુમલાખોરે ગોળીબાર કરીને 8 લોકોની હત્યા કરી નાખી છે. આ ગોળીબાર મોલમાં એ સમયે થયો હતો જ્યાંરે મોટી સંખ્યામાં લોકો વીકએન્ડ શોપિંગ માટે આવ્યા હતા. એલન શહેરની ભયાનક ઘટનામાં એક બાળકનું પણ મોત થયું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર પણ માર્યો ગયો છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના તેણે એકલા હાથે કરી હતી. હાલ હોસ્પિટલમાં સાત લોકો સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ મહિલાઓની હાલત નાજુક છે.


લોકોના ઘટના સ્થળે જ મોત  


એલન સિટીના ફાયર ચીફ જોનાથન બોયડે જણાવ્યું હતું કે હુમલાખોર સહિત કેટલાક લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. એલનના પોલીસ વડા બ્રાયન હાર્વેએ જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળીને એક પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરને ઘેરી લીધો હતો. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું છે કે આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.


ગવર્નર ગ્રેગ એબોટે 'અકથ્ય દુર્ઘટના' ગણાવી હતી. તેમણે કહ્યું કે પોલીસ સ્થાનિક અધિકારીઓને તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. પોલીસે મોલમાં આવેલા લોકોને ઘટના સમયે બનાવેલા વીડિયો માટે પૂછ્યું છે. આવા લોકોને FBIનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?