અમેરિકામાં ફરી બેફામ ફાયરિંગ, ટેક્સાસના મોલમાં થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત, 7 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-05-07 13:54:31

અમેરિકાના ટેક્સાસમાં એક હુમલાખોરે ગોળીબાર કરીને 8 લોકોની હત્યા કરી નાખી છે. આ ગોળીબાર મોલમાં એ સમયે થયો હતો જ્યાંરે મોટી સંખ્યામાં લોકો વીકએન્ડ શોપિંગ માટે આવ્યા હતા. એલન શહેરની ભયાનક ઘટનામાં એક બાળકનું પણ મોત થયું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર પણ માર્યો ગયો છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના તેણે એકલા હાથે કરી હતી. હાલ હોસ્પિટલમાં સાત લોકો સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ મહિલાઓની હાલત નાજુક છે.


લોકોના ઘટના સ્થળે જ મોત  


એલન સિટીના ફાયર ચીફ જોનાથન બોયડે જણાવ્યું હતું કે હુમલાખોર સહિત કેટલાક લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. એલનના પોલીસ વડા બ્રાયન હાર્વેએ જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળીને એક પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરને ઘેરી લીધો હતો. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું છે કે આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.


ગવર્નર ગ્રેગ એબોટે 'અકથ્ય દુર્ઘટના' ગણાવી હતી. તેમણે કહ્યું કે પોલીસ સ્થાનિક અધિકારીઓને તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. પોલીસે મોલમાં આવેલા લોકોને ઘટના સમયે બનાવેલા વીડિયો માટે પૂછ્યું છે. આવા લોકોને FBIનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.