થાઈલેન્ડની ઘટના , પૂર્વ પોલીસએ ચાઇલ્ડ કેર કેન્ટરમાં કરી ફાઇરિનગ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:57:44

ગુરુવારે થાઈલેન્ડમાં એક મોટી ઘટના બની જેમાં એક હુમલાખોરે એક ચાઇલ્ડકેર સેન્ટરમાં ફાઇરિનગની ઘટના સામે આવી છે ઘટનામાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે. ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી. અને હુમલાખોર પૂર્વ પોલીસ અધિકારી હતો એને ડ્રગ્સના કેસમાં કાઢી મૂકવામાં આવ્યો હતો અને ઘટના ને અંજામ આપી તેને આત્મહત્યા કરી લીધી અને આની પેહલા તેને તેની પત્ની અને પુત્રની પણ હત્યા કરીનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે પહેલા ચાઈલ્ડ કેર સેન્ટરના સ્ટાફના 5 લોકોને માર્યા હતા, જેમાં 8 માસની ગર્ભવતી શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે લોકોને લાગ્યું કે ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે.

 

ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ પોલ એલટી જનરલ તોરસાક સુખવિમોલે જણાવ્યું હતું કે 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. તેમણે પુષ્ટિ કરી છે કે પૂર્વ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 12 લોકો ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ગંભીર છે.




ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.