થાઈલેન્ડની ઘટના , પૂર્વ પોલીસએ ચાઇલ્ડ કેર કેન્ટરમાં કરી ફાઇરિનગ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:57:44

ગુરુવારે થાઈલેન્ડમાં એક મોટી ઘટના બની જેમાં એક હુમલાખોરે એક ચાઇલ્ડકેર સેન્ટરમાં ફાઇરિનગની ઘટના સામે આવી છે ઘટનામાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે. ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી. અને હુમલાખોર પૂર્વ પોલીસ અધિકારી હતો એને ડ્રગ્સના કેસમાં કાઢી મૂકવામાં આવ્યો હતો અને ઘટના ને અંજામ આપી તેને આત્મહત્યા કરી લીધી અને આની પેહલા તેને તેની પત્ની અને પુત્રની પણ હત્યા કરીનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે પહેલા ચાઈલ્ડ કેર સેન્ટરના સ્ટાફના 5 લોકોને માર્યા હતા, જેમાં 8 માસની ગર્ભવતી શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે લોકોને લાગ્યું કે ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે.

 

ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ પોલ એલટી જનરલ તોરસાક સુખવિમોલે જણાવ્યું હતું કે 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. તેમણે પુષ્ટિ કરી છે કે પૂર્વ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 12 લોકો ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ગંભીર છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .