ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ કરનાર આરોપીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે ઉકેલાયો આ સમગ્ર કેસ


  • Published By :
  • Published Date : 2023-04-17 10:44:43

થોડા દિવસ પહેલા પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફાયરિંગ કોણે કર્યું તેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે એક જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

   

આ મામલે કરવામાં આવી સઘન તપાસ! 

આ મામલે એસએસપીએ જણાવ્યું કે પોલીસ આ ઘટનાને લઈ કડક કાર્યવાહી કરી રહી હતી. પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તે દરમિયાન પોલીસ દ્વારા આ ઘટનાને પોતાની નજરે જોનાર દિસાઈ મોહનની કડક પૂછપરછ કરવામાં આવી હતી. કડક પૂછપરછ કરાતા દિસાઈ મોહને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો હતો. જેમાં દિસાઈએ કહ્યું કે વ્યક્તિગત કારણોને કારણે તેણે આ હુમલો કર્યો હતો. ચાર જવાનોની હત્યા કરવા માટે પહેલા બંદૂક ખરીદી, અને પછી ચાર જવાનોને મારી નાખ્યા હતા. 


સીસીટીવી ફૂટેજના આધારે મળ્યા પૂરાવા!    

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેની મદદથી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ પોલીસે આગળ વધારી હતી. સીસીટીવીમાં સામે આવ્યું કે આ ઘટના બની તે પહેલા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કૈંટ એરિયાની આસપાસ એવું કોઈ ન હતું જે જવાનોને મારવાની ઘટનાને અંજામ આપી શકે. તપાસ દરમિયાન એટલું તો સામે આવ્યું હતું કે હુમલો કરનાર અંદરથી જ આવ્યો હતો. જે બાદ આ ઘટનાને પોતાની નજરે જોનાર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે બે વ્યક્તિ સફેદ કપડા પહેરી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ વાતને ધ્યાનમાં રાખી આરોપી વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.