ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ કરનાર આરોપીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે ઉકેલાયો આ સમગ્ર કેસ


  • Published By :
  • Published Date : 2023-04-17 10:44:43

થોડા દિવસ પહેલા પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફાયરિંગ કોણે કર્યું તેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે એક જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

   

આ મામલે કરવામાં આવી સઘન તપાસ! 

આ મામલે એસએસપીએ જણાવ્યું કે પોલીસ આ ઘટનાને લઈ કડક કાર્યવાહી કરી રહી હતી. પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તે દરમિયાન પોલીસ દ્વારા આ ઘટનાને પોતાની નજરે જોનાર દિસાઈ મોહનની કડક પૂછપરછ કરવામાં આવી હતી. કડક પૂછપરછ કરાતા દિસાઈ મોહને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો હતો. જેમાં દિસાઈએ કહ્યું કે વ્યક્તિગત કારણોને કારણે તેણે આ હુમલો કર્યો હતો. ચાર જવાનોની હત્યા કરવા માટે પહેલા બંદૂક ખરીદી, અને પછી ચાર જવાનોને મારી નાખ્યા હતા. 


સીસીટીવી ફૂટેજના આધારે મળ્યા પૂરાવા!    

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેની મદદથી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ પોલીસે આગળ વધારી હતી. સીસીટીવીમાં સામે આવ્યું કે આ ઘટના બની તે પહેલા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કૈંટ એરિયાની આસપાસ એવું કોઈ ન હતું જે જવાનોને મારવાની ઘટનાને અંજામ આપી શકે. તપાસ દરમિયાન એટલું તો સામે આવ્યું હતું કે હુમલો કરનાર અંદરથી જ આવ્યો હતો. જે બાદ આ ઘટનાને પોતાની નજરે જોનાર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે બે વ્યક્તિ સફેદ કપડા પહેરી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ વાતને ધ્યાનમાં રાખી આરોપી વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.