ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ કરનાર આરોપીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે ઉકેલાયો આ સમગ્ર કેસ


  • Published By :
  • Published Date : 2023-04-17 10:44:43

થોડા દિવસ પહેલા પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફાયરિંગ કોણે કર્યું તેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે એક જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

   

આ મામલે કરવામાં આવી સઘન તપાસ! 

આ મામલે એસએસપીએ જણાવ્યું કે પોલીસ આ ઘટનાને લઈ કડક કાર્યવાહી કરી રહી હતી. પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તે દરમિયાન પોલીસ દ્વારા આ ઘટનાને પોતાની નજરે જોનાર દિસાઈ મોહનની કડક પૂછપરછ કરવામાં આવી હતી. કડક પૂછપરછ કરાતા દિસાઈ મોહને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો હતો. જેમાં દિસાઈએ કહ્યું કે વ્યક્તિગત કારણોને કારણે તેણે આ હુમલો કર્યો હતો. ચાર જવાનોની હત્યા કરવા માટે પહેલા બંદૂક ખરીદી, અને પછી ચાર જવાનોને મારી નાખ્યા હતા. 


સીસીટીવી ફૂટેજના આધારે મળ્યા પૂરાવા!    

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેની મદદથી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ પોલીસે આગળ વધારી હતી. સીસીટીવીમાં સામે આવ્યું કે આ ઘટના બની તે પહેલા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કૈંટ એરિયાની આસપાસ એવું કોઈ ન હતું જે જવાનોને મારવાની ઘટનાને અંજામ આપી શકે. તપાસ દરમિયાન એટલું તો સામે આવ્યું હતું કે હુમલો કરનાર અંદરથી જ આવ્યો હતો. જે બાદ આ ઘટનાને પોતાની નજરે જોનાર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે બે વ્યક્તિ સફેદ કપડા પહેરી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ વાતને ધ્યાનમાં રાખી આરોપી વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.