ફ્લાઈટમાં મહિલા પર પેસાબ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-07 12:45:31

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પૈસાબ કરી લીધો હતો. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ફ્લાઈટ ન્યુયોર્કથી દિલ્હી આવી રહી હતી. તે વખતે નશામાં ઘૂત વ્યક્તિએ 70 વર્ષીય મહિલા પર પેસાબ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી શંકર મિશ્રાની બેંગ્લુરૂથી ધરપકડ કરી લીધી છે.

 


નશામાં ઘૂત થઈ મહિલા પર કર્યો હતો પેસાબ 

આજકાલ ફ્લાઈટમાં એવા એવા બનાવો બની રહ્યા છે જે વિચારવા મજબૂર કરે છે. થોડા દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર નશામાં ધૂત થઈ પેસાબ કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાએ એરઈન્ડિયાને પણ જાણ કરી હતી. કંપનીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ કરી હતી  અને શંકર મિશ્રાને બેંગ્લુરુથી ઝડપી લેવામાં આવ્યો છે. 


ઘટના બાદ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો 

પોલીસ ફરિયાદ થતા તેમજ કિસ્સો સામે આવતા આરોપી સતત પોાતનું લોકેશન બદલતો રહેતો હતો. આરોપી એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો પરંતુ આ ઘટના બાદ તેને કંપનીમાંથી કાઠી મૂકવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી લીધો હતો. આ કેસમાં એરઈન્ડિયાના પાયલટ અને કો પાયલટ સહિતના સહકર્મીઓને સમન્સ પણ પાઠવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા હતા.       


બેંગ્લૂરુથી થઈ આરોપીની ધરપકડ 

આરોપીનું અંતિમ લોકેશન બેંગ્લુરૂ હતું. તે બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે આ લોકેશન ઉપરથી આરોપીની શોધ કરી હતી. 3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો ફોન એક્ટિવ હતો અને જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યો છે.  

 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.