ફ્લાઈટમાં મહિલા પર પેસાબ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-07 12:45:31

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પૈસાબ કરી લીધો હતો. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ફ્લાઈટ ન્યુયોર્કથી દિલ્હી આવી રહી હતી. તે વખતે નશામાં ઘૂત વ્યક્તિએ 70 વર્ષીય મહિલા પર પેસાબ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી શંકર મિશ્રાની બેંગ્લુરૂથી ધરપકડ કરી લીધી છે.

 


નશામાં ઘૂત થઈ મહિલા પર કર્યો હતો પેસાબ 

આજકાલ ફ્લાઈટમાં એવા એવા બનાવો બની રહ્યા છે જે વિચારવા મજબૂર કરે છે. થોડા દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર નશામાં ધૂત થઈ પેસાબ કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાએ એરઈન્ડિયાને પણ જાણ કરી હતી. કંપનીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ કરી હતી  અને શંકર મિશ્રાને બેંગ્લુરુથી ઝડપી લેવામાં આવ્યો છે. 


ઘટના બાદ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો 

પોલીસ ફરિયાદ થતા તેમજ કિસ્સો સામે આવતા આરોપી સતત પોાતનું લોકેશન બદલતો રહેતો હતો. આરોપી એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો પરંતુ આ ઘટના બાદ તેને કંપનીમાંથી કાઠી મૂકવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી લીધો હતો. આ કેસમાં એરઈન્ડિયાના પાયલટ અને કો પાયલટ સહિતના સહકર્મીઓને સમન્સ પણ પાઠવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા હતા.       


બેંગ્લૂરુથી થઈ આરોપીની ધરપકડ 

આરોપીનું અંતિમ લોકેશન બેંગ્લુરૂ હતું. તે બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે આ લોકેશન ઉપરથી આરોપીની શોધ કરી હતી. 3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો ફોન એક્ટિવ હતો અને જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યો છે.  

 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.