ફ્લાઈટમાં મહિલા પર પેસાબ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-07 12:45:31

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પૈસાબ કરી લીધો હતો. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ફ્લાઈટ ન્યુયોર્કથી દિલ્હી આવી રહી હતી. તે વખતે નશામાં ઘૂત વ્યક્તિએ 70 વર્ષીય મહિલા પર પેસાબ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી શંકર મિશ્રાની બેંગ્લુરૂથી ધરપકડ કરી લીધી છે.

 


નશામાં ઘૂત થઈ મહિલા પર કર્યો હતો પેસાબ 

આજકાલ ફ્લાઈટમાં એવા એવા બનાવો બની રહ્યા છે જે વિચારવા મજબૂર કરે છે. થોડા દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર નશામાં ધૂત થઈ પેસાબ કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાએ એરઈન્ડિયાને પણ જાણ કરી હતી. કંપનીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ કરી હતી  અને શંકર મિશ્રાને બેંગ્લુરુથી ઝડપી લેવામાં આવ્યો છે. 


ઘટના બાદ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો 

પોલીસ ફરિયાદ થતા તેમજ કિસ્સો સામે આવતા આરોપી સતત પોાતનું લોકેશન બદલતો રહેતો હતો. આરોપી એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો પરંતુ આ ઘટના બાદ તેને કંપનીમાંથી કાઠી મૂકવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી લીધો હતો. આ કેસમાં એરઈન્ડિયાના પાયલટ અને કો પાયલટ સહિતના સહકર્મીઓને સમન્સ પણ પાઠવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા હતા.       


બેંગ્લૂરુથી થઈ આરોપીની ધરપકડ 

આરોપીનું અંતિમ લોકેશન બેંગ્લુરૂ હતું. તે બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે આ લોકેશન ઉપરથી આરોપીની શોધ કરી હતી. 3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો ફોન એક્ટિવ હતો અને જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યો છે.  

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.