રિતેશ દેશમુખની અપકમિંગ ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’ના પોસ્ટરને લઇ આ એક્ટરે લગાવ્યો ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-10-29 14:08:15

બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસુઝા લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં ફરી ઘમાલ મચાવા પરત ફરી રહ્યી છે. મહત્વનું છે કે, જેનેલિયા લગભગ દસ વર્ષ પછી એક્ટિંગની દુનિયામાં કમબેક કરી રહી છે. જેનેલિયા છેલ્લે રિતેશ દેશમુખ સાથે ફિલ્મ ‘તેરે નાલ લવ હો ગયા’માં જોવા મળી હતી. ત્યારે ફરી એકવાર આ કપલ તેની અપકમિંગ ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’માં સાથે જોવા મળશે. કપલે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી ફિલ્મના ટ્રેલર અંગે માહિતી આપી છે.

Mister Mummy Trailer|Mister Mummy Trailer Ritesh Deshmukh|Mister Mummy  Movie|Mister Mummy First Look - YouTube

ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં રિતેશ દેશમુખ પોતાનો બેબી બમ્પ બતાવતો જોવા મળી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફિલ્મના પોસ્ટરને લઇ અભિનેતા કમલ આર ખાને મેકર્સ પર ચોરીનો આરોપ લગાવ્યો છે.


આ સાથે કેઆરકેએ ટ્વીટમાં લખ્યું છે કે, આમ તો ભાઇ રિતેશ કોઇ પણ કહાની વિશે બધું જાણે જ છે. તમે એમને કોઇ પણ સ્ક્રિપ્ટ સંભળાવો છો ત્યારે એ તમને સામે 10 સુચન આપશે. પરંતુ જ્યારે ફિલ્મ માટે તે હા પાડે છે ત્યારે તે સપનામાં ચાલ્યા જાય છે. જેને પગલે તે આ પ્રકારની ફિલ્મો કરે છે. અન્યની જેમ બેંકચોર,બંગિસ્તાન તેમજ બેંજો વગેરે.


KRKએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે ‘જો મેકર્સ આવી ફિલ્મો બનાવે છે તો ફિલ્મ મેકર્સ કોઈને કેવી રીતે દોષી ઠેરવી શકે? જે આ પ્રકારની ફિલ્મો બનાવે છે, તેને ભગવાન પણ બરબાદ થતા બચાવી શકે નહીં.


કેઆરકેના નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સૌરભ નામના યૂઝરે લખ્યું કે ‘હવે તમે પણ રિતેશ પર કોમેન્ટ કરશો, એ તો તમારો મિત્ર છે. તો મીના નામની એક યૂઝરે કહ્યું હતું કે, ભાઇ આ ફિલ્મમાં તમારો મિત્ર રિતેશ છે. તમે એને બક્ષો કે હવે તેની સાથે પણ નથી બનતું. જ્યારે અન્ય એક યૂઝરે ટિપ્પણી કરી છે કે, ભાઇ તમારી દેશદ્રોહી તો ક્યાંક કોપી નથી ને? તેનો બીજો ભાગ ક્યારે રિલીઝ થશે?



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.