Loksabha 2024નો માહોલ બરાબરનો જામ્યો! હવે તો C.R.Patil Chaitar Vasava પર બોલ્યા! સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-24 12:59:34

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી 24 સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે તો બે સીટો એટલે ભાવનગર તેમજ ભરૂચ લોકસભા બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ઈન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે ગઠબંધનની જાહેરાત થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.

ગઠબંધનને લઈ સી.આર.પાટીલે કહી આ વાત!

સી.આર.પાટીલ દ્વારા અનેક વખત નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થશે. પાંચ લાખના લીડ સાથે ભાજપના ઉમેદવારો જીતશે. ત્યારે આજે પણ પોતાની આ વાતને સી.આર.પાટીલે વાગોળી હતી. આપ અને કોંગ્રેસના ગઠબંધન પર પાટીલે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે. આંધળા અને બહેરા અહીં દીવાસ્વપ્નમાં રાચે છે. આ સાથે જ અમે આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાના છીએ અને હેટ્રિક કરીશું.


અગાઉની લોકસભા ચૂંટણીને કરી યાદ!

તે સિવાય તેમણે કહ્યું કે ચૈતર વસાવાને ભરૂચ સીટમાં માત્ર 13 ટકા મત મળ્યા હતા. લોકસભાની અગાઉની ચૂંટણીમાં સાતમાંથી ચાર બેઠક પર ડિપોઝિટ જમા થઈ હતી. ભરૂચ, ભાવનગરમાં જીતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યાં બંને બેઠકો પર અમે મજબૂત છીએ. ભાવનગરની બેઠક પણ અમારી મજબૂત છે. ગઠબંધન થશે તો કોંગ્રેસના કાર્યકરો નારાજ થવાના જ છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને પણ જીતની કોઈ શક્યતા નથી લાગતી. અમે અમારી તાકાત પર જ ચૂંટણી લડીએ છીએ.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .