Dharm : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે માતાજીના આ સ્વરૂપની પૂજા, જાણો કયું નૈવેદ્ય અને મંત્રથી કરવું જોઈએ માતાજીનું પૂજન?


  • Published By :
  • Published Date : 2024-04-09 11:56:53

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં ચાર નવરાત્રી વર્ષ દરમિયાન આવતી હોય છે બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી છે. ચૈત્ર અને આસો નવરાત્રી આપણે ત્યાં વધારે પ્રચલિત છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવતી હોય છે. માતા શૈલપુત્રીને નવ દુર્ગાનું પ્રથમ રૂપ માનવામાં આવે છે... 

માતા શૈલપુત્રીની પૂજા થાય છે નવરાત્રીના પ્રથમ દિવસે 

નવરાત્રી એટલે શક્તિની ઉપાસના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપોની આરાધના કરવાનો વિશેષ મહિમા આપણે ત્યાં રહેલો છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો શૈલપુત્રીને પર્વતરાજની પુત્રી કહેવામાં આવે છે. હિમાલયના પૂત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. 


માતાજીની ઉત્પત્તિ પાછળનો શું છે ઈતિહાસ?  

જો માતા શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતા શૈલપુત્રી વૃષભ પર સવારી કરે છે. પ્રચલિત દંતકથાઓ અનુસાર પહેલા શક્તિએ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો. પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું. પરંતુ ભગવાન શંકરને આ યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ પિતાનું ઘર માની સતી આમંત્રણ વિના જ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રજાપતિએ યજ્ઞમાં શિવજીનું અપમાન કર્યું હતું. પોતાના પતિનું અપમાન સ્વીકાર કરી ન શક્યા. જેને કારણે તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારે શંકર સાથે મિલન કરવા શક્તિએ દેવી પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને કારણે તેઓ શૈલપુત્રી તરીકે ઓળખાય છે.      


કયાં મંત્રથી કરવી જોઈએ માતા શૈલપુત્રીની આરાધના 

એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન જો માતાજીની આરાધના ભક્તિભાવથી કરવામાં આવે છે તો તેનું ફળ અવશ્ય મળે છે. શૈલપુત્રીને સફેદ રંગ અતિશય પ્રિય હોય છે. પ્રથમ દિવસે ગાયનું ઘી પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફળ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માતા શૈલપુત્રીનો બીજ મંત્ર - ह्रीं शिवायै नम:, આ મંત્રથી માતા શૈલપુત્રીની કરવી જોઈએ પૂજા - ओम देवी शैलपुत्र्यै नमः, જ્યારે શૈલપુત્રીનો આ છે ધ્યાનમંત્ર - वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥ ઉપરાંત નવરાત્રી દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જમાવટ પરિવાર તરફથી આપ સૌને ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામના... 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.