ફ્લાઈટમાં થતી હરકત આવી ચર્ચામાં! મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિને પોલીસે લીધા કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-23 16:11:23

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પેસેન્જરો દ્વારા કરવામાં આવતી હરકતને કારણે ફ્લાઈટ હેડલાઈન્સમાં આવતી હોય છે. ત્યારે મુંબઈ પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે. વાત એમ છે કે વિસ્ટારા ફ્લાઈટના કર્મચારીઓએ એક વ્યક્તિને ફોન પર હાઈજેકિંગની વાત કરતા સાંભળ્યા હતા. આ વાત સાંભળતા કર્મચારીએ પોતાના ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મળતી માહિતી અનુસાર તે પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે.    


ફોન પર હાઈજેકિંગની વાત કરતો હતો વ્યક્તિ 

હાઈજેકિંગ, આ શબ્દ સાંભળતા જ આપણી આંખોની સામે અનેક ફિલ્મોના સીન આવી જતા હોય છે. એવી અનેક ફિલ્મો છે જેમાં આ પ્રકારના સીન બતાવવામાં આવ્યા છે. ત્યારે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટને હાઈજેક કરવાની વાત ફોન પર કરી રહ્યો હતો. એરપોર્ટ પર ઉભેલા વિસ્ટા ફ્લાઈટના કર્મચારીએ આ વાત સાંભળી લીધી અને આ વાત અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરી. દિલ્હી આ મામલે ત્વરીત એક્શન લેવામાં આવ્યા. પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં પણ લઈ લીધો. તપાસ દરમિયાન એવી જાણકારી સામે આવી કે તે વ્યક્તિ માનસિક રીતે નાદુરસ્ત છે અને ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી છે..       


ફ્લાઈટથી અનેક વખત સામે આવી છે ઘટના 

મહત્વનું છે કે ફ્લાઈટમાં થતી ઘટનાઓ ઘણા સમયથી ચર્ચામાં આવી રહી છે. ઘણા સમય પહેલા નશામાં આવેલા પેસેન્જરે પોતાની બાજુમાં બેઠેલા મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. તે સિવાય થોડા દિવસ પહેલા ફ્લાઈટના ટોઈલેટમાં બેસી એક વ્યક્તિએ સીગેરટ પીધી હતી. તે સિવાય પણ પેસેન્જરો વચ્ચે થતી મારપીટ સહિત એવી અનેક ઘટનાઓ સામે આવી છે જે ચર્ચાનો વિષય બનતી હોય છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.