ફ્લાઈટમાં થતી હરકત આવી ચર્ચામાં! મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિને પોલીસે લીધા કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-23 16:11:23

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પેસેન્જરો દ્વારા કરવામાં આવતી હરકતને કારણે ફ્લાઈટ હેડલાઈન્સમાં આવતી હોય છે. ત્યારે મુંબઈ પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે. વાત એમ છે કે વિસ્ટારા ફ્લાઈટના કર્મચારીઓએ એક વ્યક્તિને ફોન પર હાઈજેકિંગની વાત કરતા સાંભળ્યા હતા. આ વાત સાંભળતા કર્મચારીએ પોતાના ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મળતી માહિતી અનુસાર તે પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે.    


ફોન પર હાઈજેકિંગની વાત કરતો હતો વ્યક્તિ 

હાઈજેકિંગ, આ શબ્દ સાંભળતા જ આપણી આંખોની સામે અનેક ફિલ્મોના સીન આવી જતા હોય છે. એવી અનેક ફિલ્મો છે જેમાં આ પ્રકારના સીન બતાવવામાં આવ્યા છે. ત્યારે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટને હાઈજેક કરવાની વાત ફોન પર કરી રહ્યો હતો. એરપોર્ટ પર ઉભેલા વિસ્ટા ફ્લાઈટના કર્મચારીએ આ વાત સાંભળી લીધી અને આ વાત અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરી. દિલ્હી આ મામલે ત્વરીત એક્શન લેવામાં આવ્યા. પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં પણ લઈ લીધો. તપાસ દરમિયાન એવી જાણકારી સામે આવી કે તે વ્યક્તિ માનસિક રીતે નાદુરસ્ત છે અને ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી છે..       


ફ્લાઈટથી અનેક વખત સામે આવી છે ઘટના 

મહત્વનું છે કે ફ્લાઈટમાં થતી ઘટનાઓ ઘણા સમયથી ચર્ચામાં આવી રહી છે. ઘણા સમય પહેલા નશામાં આવેલા પેસેન્જરે પોતાની બાજુમાં બેઠેલા મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. તે સિવાય થોડા દિવસ પહેલા ફ્લાઈટના ટોઈલેટમાં બેસી એક વ્યક્તિએ સીગેરટ પીધી હતી. તે સિવાય પણ પેસેન્જરો વચ્ચે થતી મારપીટ સહિત એવી અનેક ઘટનાઓ સામે આવી છે જે ચર્ચાનો વિષય બનતી હોય છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.