ફ્લાઈટમાં થતી હરકત આવી ચર્ચામાં! મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિને પોલીસે લીધા કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-23 16:11:23

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પેસેન્જરો દ્વારા કરવામાં આવતી હરકતને કારણે ફ્લાઈટ હેડલાઈન્સમાં આવતી હોય છે. ત્યારે મુંબઈ પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે. વાત એમ છે કે વિસ્ટારા ફ્લાઈટના કર્મચારીઓએ એક વ્યક્તિને ફોન પર હાઈજેકિંગની વાત કરતા સાંભળ્યા હતા. આ વાત સાંભળતા કર્મચારીએ પોતાના ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મળતી માહિતી અનુસાર તે પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે.    


ફોન પર હાઈજેકિંગની વાત કરતો હતો વ્યક્તિ 

હાઈજેકિંગ, આ શબ્દ સાંભળતા જ આપણી આંખોની સામે અનેક ફિલ્મોના સીન આવી જતા હોય છે. એવી અનેક ફિલ્મો છે જેમાં આ પ્રકારના સીન બતાવવામાં આવ્યા છે. ત્યારે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટને હાઈજેક કરવાની વાત ફોન પર કરી રહ્યો હતો. એરપોર્ટ પર ઉભેલા વિસ્ટા ફ્લાઈટના કર્મચારીએ આ વાત સાંભળી લીધી અને આ વાત અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરી. દિલ્હી આ મામલે ત્વરીત એક્શન લેવામાં આવ્યા. પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં પણ લઈ લીધો. તપાસ દરમિયાન એવી જાણકારી સામે આવી કે તે વ્યક્તિ માનસિક રીતે નાદુરસ્ત છે અને ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી છે..       


ફ્લાઈટથી અનેક વખત સામે આવી છે ઘટના 

મહત્વનું છે કે ફ્લાઈટમાં થતી ઘટનાઓ ઘણા સમયથી ચર્ચામાં આવી રહી છે. ઘણા સમય પહેલા નશામાં આવેલા પેસેન્જરે પોતાની બાજુમાં બેઠેલા મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. તે સિવાય થોડા દિવસ પહેલા ફ્લાઈટના ટોઈલેટમાં બેસી એક વ્યક્તિએ સીગેરટ પીધી હતી. તે સિવાય પણ પેસેન્જરો વચ્ચે થતી મારપીટ સહિત એવી અનેક ઘટનાઓ સામે આવી છે જે ચર્ચાનો વિષય બનતી હોય છે.   




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.