ફ્લાઈટમાં થતી હરકત આવી ચર્ચામાં! મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિને પોલીસે લીધા કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-23 16:11:23

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પેસેન્જરો દ્વારા કરવામાં આવતી હરકતને કારણે ફ્લાઈટ હેડલાઈન્સમાં આવતી હોય છે. ત્યારે મુંબઈ પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે. વાત એમ છે કે વિસ્ટારા ફ્લાઈટના કર્મચારીઓએ એક વ્યક્તિને ફોન પર હાઈજેકિંગની વાત કરતા સાંભળ્યા હતા. આ વાત સાંભળતા કર્મચારીએ પોતાના ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મળતી માહિતી અનુસાર તે પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે.    


ફોન પર હાઈજેકિંગની વાત કરતો હતો વ્યક્તિ 

હાઈજેકિંગ, આ શબ્દ સાંભળતા જ આપણી આંખોની સામે અનેક ફિલ્મોના સીન આવી જતા હોય છે. એવી અનેક ફિલ્મો છે જેમાં આ પ્રકારના સીન બતાવવામાં આવ્યા છે. ત્યારે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટને હાઈજેક કરવાની વાત ફોન પર કરી રહ્યો હતો. એરપોર્ટ પર ઉભેલા વિસ્ટા ફ્લાઈટના કર્મચારીએ આ વાત સાંભળી લીધી અને આ વાત અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરી. દિલ્હી આ મામલે ત્વરીત એક્શન લેવામાં આવ્યા. પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં પણ લઈ લીધો. તપાસ દરમિયાન એવી જાણકારી સામે આવી કે તે વ્યક્તિ માનસિક રીતે નાદુરસ્ત છે અને ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી છે..       


ફ્લાઈટથી અનેક વખત સામે આવી છે ઘટના 

મહત્વનું છે કે ફ્લાઈટમાં થતી ઘટનાઓ ઘણા સમયથી ચર્ચામાં આવી રહી છે. ઘણા સમય પહેલા નશામાં આવેલા પેસેન્જરે પોતાની બાજુમાં બેઠેલા મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. તે સિવાય થોડા દિવસ પહેલા ફ્લાઈટના ટોઈલેટમાં બેસી એક વ્યક્તિએ સીગેરટ પીધી હતી. તે સિવાય પણ પેસેન્જરો વચ્ચે થતી મારપીટ સહિત એવી અનેક ઘટનાઓ સામે આવી છે જે ચર્ચાનો વિષય બનતી હોય છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.