ભાજપના નેતાએ ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ આપ્યું ચોંકાવનારુ નિવેદન! નિવેદન આપતા કહ્યું 'TMCનું ષડયંત્ર છે ઓડિશા ટ્રેન અકસ્માત, ટેપ થયા રેલ્વે અધિકારીઓના ફોન'


  • Published By :
  • Published Date : 2023-06-06 10:09:15

થોડા દિવસો પહેલા ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 250 જેટલા લોકોના મોત થયા હતાં જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર હેઠળ છે. સીબીઆઈ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટીએમસી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. નેતાએ બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતને તૃણુમુલ કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું છે. શુભેન્દુ અધિકારીનું કહેવું છે કે સીબીઆઈની તપાસમાં આ હકીકત બહાર આવવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ રેલવે અધિકારીના ફોન ટેપ કર્યા હતા.

  

ઘટનાને લઈ ભાજપના નેતાએ ટીએમસી પર લગાવ્યો આરોપ!

રાજનીતિનું સ્તર દિવસને દિવસે નીચે જઈ રહ્યું છે એવી વાતો અનેક વખત કરવામાં આવે છે. ઘટનાની ગંભીરતાને ન જોતા માત્ર રાજનીતિ કરવા, પોતાના રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ એવા નિવદેનો આપે છે જે આ વાતને સાચી સાબિત કરી દે છે. થોડા દિવસો પહેલા ઓડિશામાં બનેલી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો શોકમાંથી નીકળી પણ શક્યા નથી ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના નેતાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ઘટનાને ટીએમસીનું કાવતરૂ ભાજપના નેતાએ ગણાવ્યું છે.   


CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? - સુવેન્દુ અધિકારી

આ ઘટના અંગે શુભેન્દુ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે 'આ ઘટના ટીએમસીનું કાવતરું છે. CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? અકસ્માત અન્ય રાજ્યમાં થયો હતો, તો મમતા બેનર્જી તપાસથી કેમ ડરી રહ્યા છે? તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ પોલીસની મદદથી રેલવેના બે અધિકારીઓના ફોન ટેપ કર્યા. બે અધિકારીઓ વચ્ચેની વાતચીત વિશે તેને કેવી રીતે ખબર પડી? વાતચીત કેવી રીતે લીક થઈ તે પણ તપાસનો વિષય છે. સીબીઆઈ તપાસ દરમિયાન આની પણ તપાસ થવી જોઈએ, નહીં તો હું કોર્ટમાં જઈશ.' ત્યારે શું ખરેખર આ સમય આવી રાજનીતિ કરવાનો છે? પાર્ટી તેમજ નેતાઓ દ્વારા આ પ્રકારના આરોપો લગાવવા શું ઉચિત છે?   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.