ભાજપના નેતાએ ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ આપ્યું ચોંકાવનારુ નિવેદન! નિવેદન આપતા કહ્યું 'TMCનું ષડયંત્ર છે ઓડિશા ટ્રેન અકસ્માત, ટેપ થયા રેલ્વે અધિકારીઓના ફોન'


  • Published By :
  • Published Date : 2023-06-06 10:09:15

થોડા દિવસો પહેલા ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 250 જેટલા લોકોના મોત થયા હતાં જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર હેઠળ છે. સીબીઆઈ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટીએમસી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. નેતાએ બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતને તૃણુમુલ કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું છે. શુભેન્દુ અધિકારીનું કહેવું છે કે સીબીઆઈની તપાસમાં આ હકીકત બહાર આવવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ રેલવે અધિકારીના ફોન ટેપ કર્યા હતા.

  

ઘટનાને લઈ ભાજપના નેતાએ ટીએમસી પર લગાવ્યો આરોપ!

રાજનીતિનું સ્તર દિવસને દિવસે નીચે જઈ રહ્યું છે એવી વાતો અનેક વખત કરવામાં આવે છે. ઘટનાની ગંભીરતાને ન જોતા માત્ર રાજનીતિ કરવા, પોતાના રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ એવા નિવદેનો આપે છે જે આ વાતને સાચી સાબિત કરી દે છે. થોડા દિવસો પહેલા ઓડિશામાં બનેલી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો શોકમાંથી નીકળી પણ શક્યા નથી ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના નેતાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ઘટનાને ટીએમસીનું કાવતરૂ ભાજપના નેતાએ ગણાવ્યું છે.   


CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? - સુવેન્દુ અધિકારી

આ ઘટના અંગે શુભેન્દુ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે 'આ ઘટના ટીએમસીનું કાવતરું છે. CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? અકસ્માત અન્ય રાજ્યમાં થયો હતો, તો મમતા બેનર્જી તપાસથી કેમ ડરી રહ્યા છે? તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ પોલીસની મદદથી રેલવેના બે અધિકારીઓના ફોન ટેપ કર્યા. બે અધિકારીઓ વચ્ચેની વાતચીત વિશે તેને કેવી રીતે ખબર પડી? વાતચીત કેવી રીતે લીક થઈ તે પણ તપાસનો વિષય છે. સીબીઆઈ તપાસ દરમિયાન આની પણ તપાસ થવી જોઈએ, નહીં તો હું કોર્ટમાં જઈશ.' ત્યારે શું ખરેખર આ સમય આવી રાજનીતિ કરવાનો છે? પાર્ટી તેમજ નેતાઓ દ્વારા આ પ્રકારના આરોપો લગાવવા શું ઉચિત છે?   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.