ફરી સામે આવ્યો Policeનો ક્રૂર ચહેરો! Junagadh Policeએ પૈસા માટે યુવકને ઢોર માર માર્યો! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-24 11:36:04

કાયદો અને વ્યવસ્થા આ શબ્દો પરથી દિવસે ને દિવસે ભરોસો ઊઠતો જાય છે કારણે જેને કાયદો અને વ્યવસ્થા સંભાળવાના છે તો રોજ એ કાયદાનો ડર બતાવીને સામાન્ય લોકોને જ છેતરે છે લૂંટે છે અને એની સાથે અમાનવીય વર્તન કરે છે.

પોલીસની છબી ફરી કલંકિત થઈ!

જ્યારે પોલીસના કામગીરીની વાત આવે તો આપણા મનમાં એક જ વિચાર આવે કે પોલીસ લોકોને ડરાવવાનું કામ કરે છે. પોલીસની નેગેટિવ છબી આપણા મનમાં અંકિત થઈ ગઈ છે. ત્યારે આજે જે સમાચાર કહેવા છે તે પણ આવા જ કંઈક છે. પોલીસનો એવો ચહેરો સામે આવ્યો છે જે ડરાવનો છે. પોલીસનું કામ લોકોને ન્યાય અપાવવાનું છે ના કે કાયદા અને વ્યવસ્થાને કચડીને દાદાગીરી કરવાનું..! પોલીસની ક્રૂર છબીનો પરિચય આજે ફરી તમને કરાવવો છે. વાત એમ છે કે મૂળ અમદાવાદના વતની હર્ષિલ જાદવ કે જેને તનિશ્ક ટુર ટ્રાવેલ્સનો વ્યવસાય છે હર્ષિલ જાદવે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી.


જૂનાગઢ પોલીસે યુવકને કર્યો ફોન અને કહ્યું...!

અરજી પ્રમાણે તેનો કર્મચારી કંપનીના ડેટાની માહિતી કોઈને આપી રહ્યો છે. પછી, તેમને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે અને અધિકારીઓ કહે છે કે ભાઈ તમારા સામે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદીએ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ કરી કે તમે જે ટ્રાવેલ્સ એજન્સી ચલાવો છે એમાં પૂરતી સુવિધા પૂરી પડતાં નથી. 1.20 રૂપિયાના ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપી હર્ષિલને બોડકદેવ પોલીસ સ્ટેશનથી જૂનાગઢ બી ડિવિઝન આ ફરિયાદના આધારે લઈ જવામાં આવ્યો. 

રિમાન્ડમાં માર ન મારે તે માટે કરવામાં આવી પૈસાની માગ!

ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટ તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. આ દરમિયાન પીએસઆઈ એમ.એમ. મકવાણા રિમાન્ડમાં માર ન મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગણી કરતાં હતા. હર્ષિલનો પરિવાર આ પૈસા આપવા તૈયાર ન હતો. અને પછી પોલીસને તો આ સહન ના થયું કે ભાઈ 3 લાખ કેમ નથી આપતા તો રિમાન્ડ દરમિયાન હર્ષિલ ભાઈને એટલો માર માર્યો કે યુવકના ડાબા પગમાં ફેક્ચર અને જમણા પગના લીગમેંટ ફાટી ગયા. તેમજ માથાના ભાગમાં પણ સખત ઇજા પહોંચી અને હાલ હર્ષિલભાઈની હાલત અતિશય ગંભીર છે. ડોકટરે કહ્યું છે કે પોલીસ મારના કારણે બ્લડ કલોટીંગ થતાં હાર્ટ એટેક આવ્યો છે


પોલીસ કર્મચારી વિરૂદ્ધ કરવામાં આવી ફરિયાદ 

કુરુતાની આ પરાકાષ્ઠા છે કે કોઈએ લાંચ આપવાની ના પડી એટલે એને એટલો મારવાનો કે એ જીવી પણ ન શકે! આવા કિસ્સાઓ જે સામે આવે છે તેને જોતા લાગે કે આ લોકો ખરેખર ખાખી પહેરેલા ગુંડા જ છે. આ લોકોને કોઈ શરમ નથી એમને જોઈએ છે શું તો લાંચ અને પૈસા બસ ભલેને પછી સામે વાળો મરી જાય. આ ઘટના બાદ dysp એ હર્ષિલના ભાઈની ફરિયાદ મુજબ એમ.એમ.મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 


લોકો આજે પણ પોલીસ પાસે જતા ડરે છે!

પોલીસે ફરિયાદ કરી છે તો વધારેમાં વધારે શું એ પોલીસકર્મચારીને સસ્પેન્ડ કરવા આવશે. પણ આ ઘટનાઓ બાદ કેટલા લોકો સુધરે છે? શું ફરક આવે છે સિસ્ટમમાં આજે પણ લોકો કેમ પોલીસ પાસે જતાં ડરે છે? આ છે કારણ લોકોને એવું લાગે છે કે પોલીસ પાસે જાશું તો આટલા પૈસા આપવા પડશે એ લોકો પોલીસથી જ સેફ ફિલ નથી કરતાં આવા લોકો સુધરે એ આશા



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.