કેન્દ્ર સરકારે વધુ 14 એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ! જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ એપ્લિકેશનની મદદ કરતા હતા પાકિસ્તાનનો સંપર્ક!


  • Published By :
  • Published Date : 2023-05-01 15:20:04

ભારતમાં અનેક વખત આતંકવાદી હુમલા થતા રહ્યા છે. જેને લઈ અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આતંકવાદ પર કાબુ મેળવવા ભારત સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે. અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે 14 મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરી દીધી છે. આ એપ્લિકેશન એ છે કે જેની મદદથી કથિત રીતે કાશ્મીરમાં કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા.  


અનેક એપ્લિકેશનને કરાઈ બ્લોક!

આતંકવાદને નાબુદ કરવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આતંકવાદીને નાબુદ કરવા કેન્દ્ર સરકારે અનેક એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા જે મોબાઈલ એપ્લિકેશનને રદ્ કરવામાં આવી છે તેમાં ક્રાયપવાઈઢર, એનિગ્મા, સેફસ્વિસ, વિકરમે, મીડિયાફાયર, એલિમેન્ટ, સેકન્ડ લાઈન, જાંગી, થ્રેમા વગેરે સામેલ છે. 


એપ્લિકેશનના માધ્યમથી આતંકવાદીઓ કરતા હતા સંપર્ક!

મળતી માહિતી અનુસાર આતંકવાદી સંપર્ક કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.  એજન્સીઓ આ એપ્લિકેશન પર નજર રાખતી હતી. એજન્સીની ચેનલો તેમજ એપ્લિકેશન પર નજર રાખતા હતા. એક વાતચીત એજન્સીની નજરે આવી જે બાદ એપ્લિકેશન વિશે ખબર પડી. એપ્લિકેશનના અનેક ફિચર એવા હતા જેને ટ્રેક કરવામાં મુશ્કેલી થતી હતી. જે બાદ એપ્લિકેશનને બેન કરવામાં આવી હતી.   

   

થોડા સમય પહેલા અનેક એપ્લિકેશન કરાઈ હતી બ્લોક!

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ભારતે ચીનની અનેક એપ્લિકેશનને બ્લોક કરી દીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ સમાન ગણાતી એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. ગયા વર્ષે લગભગ 250 જેટલી ચીનની એપ્લિકેશનને સરકાર દ્વારા બેન કરવામાં આવી હતી. જેમાં ટિકટોક, શેયરિટ, વીચેટ, હેલો, યૂસી ન્યુઝ જેવી અનેક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હવે વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.