કેન્દ્ર સરકારે વધુ 14 એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ! જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ એપ્લિકેશનની મદદ કરતા હતા પાકિસ્તાનનો સંપર્ક!


  • Published By :
  • Published Date : 2023-05-01 15:20:04

ભારતમાં અનેક વખત આતંકવાદી હુમલા થતા રહ્યા છે. જેને લઈ અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આતંકવાદ પર કાબુ મેળવવા ભારત સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે. અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે 14 મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરી દીધી છે. આ એપ્લિકેશન એ છે કે જેની મદદથી કથિત રીતે કાશ્મીરમાં કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા.  


અનેક એપ્લિકેશનને કરાઈ બ્લોક!

આતંકવાદને નાબુદ કરવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આતંકવાદીને નાબુદ કરવા કેન્દ્ર સરકારે અનેક એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા જે મોબાઈલ એપ્લિકેશનને રદ્ કરવામાં આવી છે તેમાં ક્રાયપવાઈઢર, એનિગ્મા, સેફસ્વિસ, વિકરમે, મીડિયાફાયર, એલિમેન્ટ, સેકન્ડ લાઈન, જાંગી, થ્રેમા વગેરે સામેલ છે. 


એપ્લિકેશનના માધ્યમથી આતંકવાદીઓ કરતા હતા સંપર્ક!

મળતી માહિતી અનુસાર આતંકવાદી સંપર્ક કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.  એજન્સીઓ આ એપ્લિકેશન પર નજર રાખતી હતી. એજન્સીની ચેનલો તેમજ એપ્લિકેશન પર નજર રાખતા હતા. એક વાતચીત એજન્સીની નજરે આવી જે બાદ એપ્લિકેશન વિશે ખબર પડી. એપ્લિકેશનના અનેક ફિચર એવા હતા જેને ટ્રેક કરવામાં મુશ્કેલી થતી હતી. જે બાદ એપ્લિકેશનને બેન કરવામાં આવી હતી.   

   

થોડા સમય પહેલા અનેક એપ્લિકેશન કરાઈ હતી બ્લોક!

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ભારતે ચીનની અનેક એપ્લિકેશનને બ્લોક કરી દીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ સમાન ગણાતી એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. ગયા વર્ષે લગભગ 250 જેટલી ચીનની એપ્લિકેશનને સરકાર દ્વારા બેન કરવામાં આવી હતી. જેમાં ટિકટોક, શેયરિટ, વીચેટ, હેલો, યૂસી ન્યુઝ જેવી અનેક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હવે વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.