કેન્દ્ર સરકારે વધુ 14 એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ! જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ એપ્લિકેશનની મદદ કરતા હતા પાકિસ્તાનનો સંપર્ક!


  • Published By :
  • Published Date : 2023-05-01 15:20:04

ભારતમાં અનેક વખત આતંકવાદી હુમલા થતા રહ્યા છે. જેને લઈ અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આતંકવાદ પર કાબુ મેળવવા ભારત સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે. અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે 14 મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરી દીધી છે. આ એપ્લિકેશન એ છે કે જેની મદદથી કથિત રીતે કાશ્મીરમાં કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા.  


અનેક એપ્લિકેશનને કરાઈ બ્લોક!

આતંકવાદને નાબુદ કરવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આતંકવાદીને નાબુદ કરવા કેન્દ્ર સરકારે અનેક એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા જે મોબાઈલ એપ્લિકેશનને રદ્ કરવામાં આવી છે તેમાં ક્રાયપવાઈઢર, એનિગ્મા, સેફસ્વિસ, વિકરમે, મીડિયાફાયર, એલિમેન્ટ, સેકન્ડ લાઈન, જાંગી, થ્રેમા વગેરે સામેલ છે. 


એપ્લિકેશનના માધ્યમથી આતંકવાદીઓ કરતા હતા સંપર્ક!

મળતી માહિતી અનુસાર આતંકવાદી સંપર્ક કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.  એજન્સીઓ આ એપ્લિકેશન પર નજર રાખતી હતી. એજન્સીની ચેનલો તેમજ એપ્લિકેશન પર નજર રાખતા હતા. એક વાતચીત એજન્સીની નજરે આવી જે બાદ એપ્લિકેશન વિશે ખબર પડી. એપ્લિકેશનના અનેક ફિચર એવા હતા જેને ટ્રેક કરવામાં મુશ્કેલી થતી હતી. જે બાદ એપ્લિકેશનને બેન કરવામાં આવી હતી.   

   

થોડા સમય પહેલા અનેક એપ્લિકેશન કરાઈ હતી બ્લોક!

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ભારતે ચીનની અનેક એપ્લિકેશનને બ્લોક કરી દીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ સમાન ગણાતી એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. ગયા વર્ષે લગભગ 250 જેટલી ચીનની એપ્લિકેશનને સરકાર દ્વારા બેન કરવામાં આવી હતી. જેમાં ટિકટોક, શેયરિટ, વીચેટ, હેલો, યૂસી ન્યુઝ જેવી અનેક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હવે વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.