વધતા કોરોનાને લઈ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2022-12-25 08:08:47

વિશ્વમાં કોરોના અંગેની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીન, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં કોરોના વકરી રહ્યો છે. વિદેશથી આવતા લોકો પર ભારત સરકાર નજર રાખી રહી છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવેલા પત્રમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિત હોસ્પિટલમાં જરૂરી સાધનો રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ભાર રાખ્યો છે.  


વેન્ટિલેટર, ઓક્સિજનની વ્યવસ્થા કરવા આપી સૂચના 

એક તરફ કોરોના સંક્રમણ ઓછુ થઈ રહ્યું હોય તેવું લાગતું હતું. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થયો છે. વિશ્વભરના દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7ને કારણે ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટને ઘાતક માનવામાં આવે છે. કોરોનાની લહેરમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની અછત સર્જાઈ હતી. જેને કારણે લોકોના મોત થયા હતા. ત્યારે કોરોનાને લઈ આ વખતે લોકોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ધ્યાન રાખવા માટે  કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાને લઈ યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.


કેન્દ્ર સરકારે પત્રમાં શું લખ્યું છે 

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવામાં આવ્યું છે કે હાલ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં છે. પરંતુ આવનાર સમયમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. આવનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર રહેવું પડશે. તૈયારીઓ અત્યારથી જ કરી દેવી જોઈએ. 






ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે