વધતા કોરોનાને લઈ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2022-12-25 08:08:47

વિશ્વમાં કોરોના અંગેની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીન, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં કોરોના વકરી રહ્યો છે. વિદેશથી આવતા લોકો પર ભારત સરકાર નજર રાખી રહી છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવેલા પત્રમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિત હોસ્પિટલમાં જરૂરી સાધનો રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ભાર રાખ્યો છે.  


વેન્ટિલેટર, ઓક્સિજનની વ્યવસ્થા કરવા આપી સૂચના 

એક તરફ કોરોના સંક્રમણ ઓછુ થઈ રહ્યું હોય તેવું લાગતું હતું. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થયો છે. વિશ્વભરના દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7ને કારણે ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટને ઘાતક માનવામાં આવે છે. કોરોનાની લહેરમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની અછત સર્જાઈ હતી. જેને કારણે લોકોના મોત થયા હતા. ત્યારે કોરોનાને લઈ આ વખતે લોકોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ધ્યાન રાખવા માટે  કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાને લઈ યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.


કેન્દ્ર સરકારે પત્રમાં શું લખ્યું છે 

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવામાં આવ્યું છે કે હાલ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં છે. પરંતુ આવનાર સમયમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. આવનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર રહેવું પડશે. તૈયારીઓ અત્યારથી જ કરી દેવી જોઈએ. 






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.