વધતા કોરોનાને લઈ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2022-12-25 08:08:47

વિશ્વમાં કોરોના અંગેની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીન, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં કોરોના વકરી રહ્યો છે. વિદેશથી આવતા લોકો પર ભારત સરકાર નજર રાખી રહી છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવેલા પત્રમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિત હોસ્પિટલમાં જરૂરી સાધનો રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ભાર રાખ્યો છે.  


વેન્ટિલેટર, ઓક્સિજનની વ્યવસ્થા કરવા આપી સૂચના 

એક તરફ કોરોના સંક્રમણ ઓછુ થઈ રહ્યું હોય તેવું લાગતું હતું. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થયો છે. વિશ્વભરના દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7ને કારણે ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટને ઘાતક માનવામાં આવે છે. કોરોનાની લહેરમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની અછત સર્જાઈ હતી. જેને કારણે લોકોના મોત થયા હતા. ત્યારે કોરોનાને લઈ આ વખતે લોકોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ધ્યાન રાખવા માટે  કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાને લઈ યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.


કેન્દ્ર સરકારે પત્રમાં શું લખ્યું છે 

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવામાં આવ્યું છે કે હાલ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં છે. પરંતુ આવનાર સમયમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. આવનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર રહેવું પડશે. તૈયારીઓ અત્યારથી જ કરી દેવી જોઈએ. 






અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.