વેક્સિનને લઈ કેન્દ્ર સરકારે હાથ ઉંચા કર્યા, કહ્યું કોવિડ-19ની વેક્સિનથી થયેલા મોત માટે સરકાર જવાબદાર નથી


  • Published By :
  • Published Date : 2022-11-30 10:00:51

સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. અનેક લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા. કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા કોરોના વેક્સિન લગાડવામાં આવી હતી. ભારતમાં પણ વેક્સિન લેવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કરોડો લોકોએ વેક્સિન લીધી હતી. પરંતુ અનેક લોકો વેક્સિન લીધા બાદ મોતને ભેટ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના રસીની આડઅસરથી કોઈનું મૃત્યુ થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. 

The supply of COVID-19 vaccines has improved, but has demand for it  saturated in India? | ORF

સરકારે વેક્સિનને લઈ હાથ ઉંચા કર્યા 

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા વેક્સિન લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન લેવા માટે અનુરોધ પણ કરવામાં આવતો હતો. પરંતુ વેક્સિન લીધા બાદ અનેક લોકોના મોત પણ થયા હતા. ત્યારે હાલ રસી મુકાવ્યા બાદ બે યુવતીના મોત થયા હતા. મૃતકોને વળતર ચુકવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી હતી જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે બધું જાણ્યા પછી પણ રસી લે છે અને તેમને પરેશાની થાય, તો સરકારને દોષિત ના ઠેરાવી શકાય. કોરોના રસી લીધા બાદ કોઈનું મોત થાય છે તો સરકાર જવાબદાર નથી. 


વેક્સિન લેવું ફરજિયાત ન હતું - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ

દેશમાં ધીરે ધીરે કોરોના કેસના આંકડા ઘટી રહ્યા છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના વેક્સિન લઈ કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સરકારે પ્રયાસ કર્યો હતો. વેક્સિન લેવા લોકોને જાગૃત પણ કરાયા હતા. પરંતુ કોરોના કેસ ઘટતા સુપ્રીમ કોર્ટના વેક્સિન લીધા બાદ મૃત્યુ પામનાર લોકોને વળતર ચુકવવાની અરજી કરવામાં આવી હતી. જે બાદ સરકારે વેક્સિન ફરજીયાત છે તે અંગે યુ-ટર્ન લઈ લીધો હતો. સરકારે એફિડેવિટ રજુ કરતા કહ્યું કે લોકોને રસીની આડઅસરની માહિતી અપાઈ ગઈ હતી. બધુ જાણ્યા બાદ લોકોએ વેક્સિન મુકાવી છે. અને જો એ બાદ લોકોના મોત થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. કોરોના રસી લેવી કાયદાકીય રીતે ફરજીયાત કરવામાં આવી નથી.               




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.