વેક્સિનને લઈ કેન્દ્ર સરકારે હાથ ઉંચા કર્યા, કહ્યું કોવિડ-19ની વેક્સિનથી થયેલા મોત માટે સરકાર જવાબદાર નથી


  • Published By :
  • Published Date : 2022-11-30 10:00:51

સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. અનેક લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા. કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા કોરોના વેક્સિન લગાડવામાં આવી હતી. ભારતમાં પણ વેક્સિન લેવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કરોડો લોકોએ વેક્સિન લીધી હતી. પરંતુ અનેક લોકો વેક્સિન લીધા બાદ મોતને ભેટ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના રસીની આડઅસરથી કોઈનું મૃત્યુ થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. 

The supply of COVID-19 vaccines has improved, but has demand for it  saturated in India? | ORF

સરકારે વેક્સિનને લઈ હાથ ઉંચા કર્યા 

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા વેક્સિન લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન લેવા માટે અનુરોધ પણ કરવામાં આવતો હતો. પરંતુ વેક્સિન લીધા બાદ અનેક લોકોના મોત પણ થયા હતા. ત્યારે હાલ રસી મુકાવ્યા બાદ બે યુવતીના મોત થયા હતા. મૃતકોને વળતર ચુકવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી હતી જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે બધું જાણ્યા પછી પણ રસી લે છે અને તેમને પરેશાની થાય, તો સરકારને દોષિત ના ઠેરાવી શકાય. કોરોના રસી લીધા બાદ કોઈનું મોત થાય છે તો સરકાર જવાબદાર નથી. 


વેક્સિન લેવું ફરજિયાત ન હતું - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ

દેશમાં ધીરે ધીરે કોરોના કેસના આંકડા ઘટી રહ્યા છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના વેક્સિન લઈ કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સરકારે પ્રયાસ કર્યો હતો. વેક્સિન લેવા લોકોને જાગૃત પણ કરાયા હતા. પરંતુ કોરોના કેસ ઘટતા સુપ્રીમ કોર્ટના વેક્સિન લીધા બાદ મૃત્યુ પામનાર લોકોને વળતર ચુકવવાની અરજી કરવામાં આવી હતી. જે બાદ સરકારે વેક્સિન ફરજીયાત છે તે અંગે યુ-ટર્ન લઈ લીધો હતો. સરકારે એફિડેવિટ રજુ કરતા કહ્યું કે લોકોને રસીની આડઅસરની માહિતી અપાઈ ગઈ હતી. બધુ જાણ્યા બાદ લોકોએ વેક્સિન મુકાવી છે. અને જો એ બાદ લોકોના મોત થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. કોરોના રસી લેવી કાયદાકીય રીતે ફરજીયાત કરવામાં આવી નથી.               




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.