વેક્સિનને લઈ કેન્દ્ર સરકારે હાથ ઉંચા કર્યા, કહ્યું કોવિડ-19ની વેક્સિનથી થયેલા મોત માટે સરકાર જવાબદાર નથી


  • Published By :
  • Published Date : 2022-11-30 10:00:51

સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. અનેક લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા. કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા કોરોના વેક્સિન લગાડવામાં આવી હતી. ભારતમાં પણ વેક્સિન લેવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કરોડો લોકોએ વેક્સિન લીધી હતી. પરંતુ અનેક લોકો વેક્સિન લીધા બાદ મોતને ભેટ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના રસીની આડઅસરથી કોઈનું મૃત્યુ થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. 

The supply of COVID-19 vaccines has improved, but has demand for it  saturated in India? | ORF

સરકારે વેક્સિનને લઈ હાથ ઉંચા કર્યા 

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા વેક્સિન લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન લેવા માટે અનુરોધ પણ કરવામાં આવતો હતો. પરંતુ વેક્સિન લીધા બાદ અનેક લોકોના મોત પણ થયા હતા. ત્યારે હાલ રસી મુકાવ્યા બાદ બે યુવતીના મોત થયા હતા. મૃતકોને વળતર ચુકવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી હતી જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે બધું જાણ્યા પછી પણ રસી લે છે અને તેમને પરેશાની થાય, તો સરકારને દોષિત ના ઠેરાવી શકાય. કોરોના રસી લીધા બાદ કોઈનું મોત થાય છે તો સરકાર જવાબદાર નથી. 


વેક્સિન લેવું ફરજિયાત ન હતું - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ

દેશમાં ધીરે ધીરે કોરોના કેસના આંકડા ઘટી રહ્યા છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના વેક્સિન લઈ કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સરકારે પ્રયાસ કર્યો હતો. વેક્સિન લેવા લોકોને જાગૃત પણ કરાયા હતા. પરંતુ કોરોના કેસ ઘટતા સુપ્રીમ કોર્ટના વેક્સિન લીધા બાદ મૃત્યુ પામનાર લોકોને વળતર ચુકવવાની અરજી કરવામાં આવી હતી. જે બાદ સરકારે વેક્સિન ફરજીયાત છે તે અંગે યુ-ટર્ન લઈ લીધો હતો. સરકારે એફિડેવિટ રજુ કરતા કહ્યું કે લોકોને રસીની આડઅસરની માહિતી અપાઈ ગઈ હતી. બધુ જાણ્યા બાદ લોકોએ વેક્સિન મુકાવી છે. અને જો એ બાદ લોકોના મોત થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. કોરોના રસી લેવી કાયદાકીય રીતે ફરજીયાત કરવામાં આવી નથી.               




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.