કેન્દ્રે CJIને તેમના અનુગામીનું નામ આપવા ભલામણ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:27:22

કેન્દ્ર સરકારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને પોતાના અનુગામીનું નામ આપવા પત્ર લખ્યો છે. દેશના CJI યુયુ લલીતનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેના પછી કોણ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનશે તેનું નામ આપવા માટે કેન્દ્ર સરકારે યુયુ લલીતને નામ આપવા માટે ભલામણ કરી હતી. 


નિવૃત થયા પહેલા અનુગામીની કરવાની હોય છે ભલામણ 

ભારતના ન્યાયમૂર્તિઓ અને સુપ્રીમ કોર્ટના જજના MoP એટલે કે મેમોરેન્ડમ ઓફ પ્રોસેજર ઓફ એપોઈન્ટમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી પોતાના અનુગામી વિશે ભલામણ કરવા માટે જાણ કરી હતી. 


યુયુ લલીત એક મહિના બાદ નિવૃત થઈ જશે 

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને નિવૃત થવામાં હવે એક મહિનાનો જ સમય બાકી છે ત્યારે તેમના અનુગામી કોણ થશે તે મામલે પ્રશ્ન છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 27 ઓગસ્ટે શપથ અપાવ્યા હતા. દેશના પૂર્વ ન્યાયમૂર્તિ એનવી રમન્ના 26 ઓગસ્ટના રોજ નિવૃત થયા હતા ત્યાર બાદ યુયુ લલીતે CJI તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.