કેન્દ્રે CJIને તેમના અનુગામીનું નામ આપવા ભલામણ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:27:22

કેન્દ્ર સરકારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને પોતાના અનુગામીનું નામ આપવા પત્ર લખ્યો છે. દેશના CJI યુયુ લલીતનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેના પછી કોણ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનશે તેનું નામ આપવા માટે કેન્દ્ર સરકારે યુયુ લલીતને નામ આપવા માટે ભલામણ કરી હતી. 


નિવૃત થયા પહેલા અનુગામીની કરવાની હોય છે ભલામણ 

ભારતના ન્યાયમૂર્તિઓ અને સુપ્રીમ કોર્ટના જજના MoP એટલે કે મેમોરેન્ડમ ઓફ પ્રોસેજર ઓફ એપોઈન્ટમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી પોતાના અનુગામી વિશે ભલામણ કરવા માટે જાણ કરી હતી. 


યુયુ લલીત એક મહિના બાદ નિવૃત થઈ જશે 

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને નિવૃત થવામાં હવે એક મહિનાનો જ સમય બાકી છે ત્યારે તેમના અનુગામી કોણ થશે તે મામલે પ્રશ્ન છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 27 ઓગસ્ટે શપથ અપાવ્યા હતા. દેશના પૂર્વ ન્યાયમૂર્તિ એનવી રમન્ના 26 ઓગસ્ટના રોજ નિવૃત થયા હતા ત્યાર બાદ યુયુ લલીતે CJI તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .