આ રાજ્યના મુખ્યમંત્રીએ બદલ્યું નહેરૂ પાર્કનું નામ! સીએમના પુત્રના નામથી ઓળખાશે પાર્ક, જાણો કયા રાજ્યની છે આ ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-20 15:41:03

જે રાજ્યમાં ભાજપની સરકાર હોય ત્યાંના સ્થળોનું નામ બદલવામાં ન આવે તે વાત થોડી અજીબ લાગશે. અનેક રાજ્યોની જગ્યાનું નામકરણ થઈ ગયું છે. ભાજપ સરકારની સૌથી મોટી સિદ્ધિઓ જો ગણવામાં આવે તો જગ્યાઓના નામ બદલવામાં લગભગ તેમણે મહારત હાંસલ કરી લીધી છે. આ વાત એટલા માટે કહેવાઈ રહી છે કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તો નેહરુ પાર્કનું નામ પોતાના દીકરાના નામે જ રાખી દીધું છે. 


દીકરાના નામ પર રાખ્યું પાર્કનું નામ!   

અનેક એવી જગ્યાઓ છે જેનું નામ ભાજપ સરકાર દ્વારા બદલવામાં આવ્યું છે. થોડા સમય પહેલા દિલ્હી ખાતે આવેલા નહેરૂ મ્યુઝિયમનું નામ બદલવામાં આવ્યું હતું. મ્યુઝિયમનું નામ બદલી પ્રધાનમંત્રી મ્યુઝિયમ કરવામાં આવ્યું છે. પીએમના નામે હવેથી ઓળખાશે. આ વાત તો જૂની થઈ ગઈ પરંતુ હવે ફરી એક જગ્યાનું નામ બદલી દેવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે નહેરૂ પાર્કનું નામ બદલી દીધું છે. દીકરાના નામ માટે જાણે પાર્કનું નામ બદલી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કાર્તિકેય અને કુણાલએ સીએમના દીકરાના નામ છે. જેના નામ પર કથિત રીતે પાર્કના નામ રાખવામાં આવ્યા છે એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. 


નહેરૂ પાર્કનું બદલાયું નામ!

મધ્યપ્રદેશના બુધનીમાં આ પાર્ક છે તેવી વિગતો મળી છે. બુધની એટલે એ જ વિસ્તાર જ્યાંથી શિવરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય છે. ત્યાંના પાર્કનું નામ મોટા દીકરા કાર્તિકિયના નામ પર રાખી દેવામાં આવ્યું છે. થોડા સમય પહેલા કાર્તિકેય પાર્કનું નામ નેહરુ પાર્ક હતું. આ મામલો સામે આવતા કોંગ્રેસ સમર્થિત સાંસદ અજયસિંહે વિરોધ ઉઠાવ્યો હતો. જો કે સામે ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે જવાબ રજૂ કર્યો હતો. 


કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ! 

કોંગ્રેસના નેતાએ સવાલો કર્યા હતા કે શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય કુણાલે મહારાષ્ટ્ર માટે શું યોગદાન આપ્યું છે? તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિનું નામ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જવાહરલાલ નેહરુ સામે કાર્તિકેય કુણાલની શું વિસાત?


ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસ સવાલ કરે અને ભાજપ ચૂપ રહે તેવું શા માટે બને? ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો હતો કે ત્યાંના રહેવાસી લોકોએ નામકરણ કર્યું  છે તો કોંગ્રેસને તકલીફ ન હોવી જોઈએ. ભાજપના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે દેશભરમાં સાર્વજનિક સ્થળોના નામ એક જ પરિવારના નામ પરથી છે તો કોંગ્રેસે એકવાર આ મામલે વિચારવું જોઈએ. ત્યારે આ મામલે તમારૂં શું કહેવું છે એ કમેન્ટમાં જણાવો.  

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.