પેશાબકાંડમાં ભોગ બનનાર યુવકના મુખ્યમંત્રીએ ધોયા પગ, યુવકની માગી માફી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 13:59:56

છેલ્લા એક બે દિવસથી સિધીમાં થયેલા પેશાબકાંડની વાતો થઈ રહી છે. ભાજપના કાર્યકરે આદિવાસી યુવક પર પેશાબ કરી લીધો હતો. જે બાદ લોકોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ શુક્લાની ગેરકાયદેસર વાળી મિલકત પર બુલડોઝર ફેરવી દીધું હતું અને તેની ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારે જે વ્યક્તિ પર પ્રવેશ શુક્લાએ પેશાબ કર્યો હતો તેના પગ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ધોયા છે. ભોગ બનેલા યુવકને સરકારી આવાસ બોલાવ્યા અને સીએમે તેમને ખુરસી પર બેસાડી તેમના પગ ધોયા અનેે કપાળ પર તિલક પણ કર્યું હતું.


મુખ્યમંત્રીએ કર્યું ભોગ બનનાર આદિવાસી યુવકનું સ્વાગત 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભાજપના કાર્યકર્તાએ આદિવાસી યુવક પર પેશાબ કરી રહ્યો હતો. વીડિયો સામે આવતા સમગ્ર દેશમાં તેની ચર્ચા થતી હતી. આ મામલે ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે મુખ્યમંત્રીની મુલાકાત કરવા આ કાંડમાં ભોગ બનેલા આદિવાસી યુવક પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડી, ખુરશી પર બેસાડ્યા, પગ ધોયા, માથે તિલક કર્યું અને આરતી કરી. આ અંગે શિવરાજસિંહે કહ્યું કે "આ ઘટનાથી દુઃખી છું. હું તમારી માફી માગુ છું. તમારા જેવા લોકો મારા માટે ભગવાન સમાન છે." 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.