પેશાબકાંડમાં ભોગ બનનાર યુવકના મુખ્યમંત્રીએ ધોયા પગ, યુવકની માગી માફી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 13:59:56

છેલ્લા એક બે દિવસથી સિધીમાં થયેલા પેશાબકાંડની વાતો થઈ રહી છે. ભાજપના કાર્યકરે આદિવાસી યુવક પર પેશાબ કરી લીધો હતો. જે બાદ લોકોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ શુક્લાની ગેરકાયદેસર વાળી મિલકત પર બુલડોઝર ફેરવી દીધું હતું અને તેની ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારે જે વ્યક્તિ પર પ્રવેશ શુક્લાએ પેશાબ કર્યો હતો તેના પગ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ધોયા છે. ભોગ બનેલા યુવકને સરકારી આવાસ બોલાવ્યા અને સીએમે તેમને ખુરસી પર બેસાડી તેમના પગ ધોયા અનેે કપાળ પર તિલક પણ કર્યું હતું.


મુખ્યમંત્રીએ કર્યું ભોગ બનનાર આદિવાસી યુવકનું સ્વાગત 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભાજપના કાર્યકર્તાએ આદિવાસી યુવક પર પેશાબ કરી રહ્યો હતો. વીડિયો સામે આવતા સમગ્ર દેશમાં તેની ચર્ચા થતી હતી. આ મામલે ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે મુખ્યમંત્રીની મુલાકાત કરવા આ કાંડમાં ભોગ બનેલા આદિવાસી યુવક પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડી, ખુરશી પર બેસાડ્યા, પગ ધોયા, માથે તિલક કર્યું અને આરતી કરી. આ અંગે શિવરાજસિંહે કહ્યું કે "આ ઘટનાથી દુઃખી છું. હું તમારી માફી માગુ છું. તમારા જેવા લોકો મારા માટે ભગવાન સમાન છે." 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.