પેશાબકાંડમાં ભોગ બનનાર યુવકના મુખ્યમંત્રીએ ધોયા પગ, યુવકની માગી માફી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-06 13:59:56

છેલ્લા એક બે દિવસથી સિધીમાં થયેલા પેશાબકાંડની વાતો થઈ રહી છે. ભાજપના કાર્યકરે આદિવાસી યુવક પર પેશાબ કરી લીધો હતો. જે બાદ લોકોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ શુક્લાની ગેરકાયદેસર વાળી મિલકત પર બુલડોઝર ફેરવી દીધું હતું અને તેની ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારે જે વ્યક્તિ પર પ્રવેશ શુક્લાએ પેશાબ કર્યો હતો તેના પગ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ધોયા છે. ભોગ બનેલા યુવકને સરકારી આવાસ બોલાવ્યા અને સીએમે તેમને ખુરસી પર બેસાડી તેમના પગ ધોયા અનેે કપાળ પર તિલક પણ કર્યું હતું.


મુખ્યમંત્રીએ કર્યું ભોગ બનનાર આદિવાસી યુવકનું સ્વાગત 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભાજપના કાર્યકર્તાએ આદિવાસી યુવક પર પેશાબ કરી રહ્યો હતો. વીડિયો સામે આવતા સમગ્ર દેશમાં તેની ચર્ચા થતી હતી. આ મામલે ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે મુખ્યમંત્રીની મુલાકાત કરવા આ કાંડમાં ભોગ બનેલા આદિવાસી યુવક પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડી, ખુરશી પર બેસાડ્યા, પગ ધોયા, માથે તિલક કર્યું અને આરતી કરી. આ અંગે શિવરાજસિંહે કહ્યું કે "આ ઘટનાથી દુઃખી છું. હું તમારી માફી માગુ છું. તમારા જેવા લોકો મારા માટે ભગવાન સમાન છે." 



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.