પેશાબકાંડમાં ભોગ બનનાર યુવકના મુખ્યમંત્રીએ ધોયા પગ, યુવકની માગી માફી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 13:59:56

છેલ્લા એક બે દિવસથી સિધીમાં થયેલા પેશાબકાંડની વાતો થઈ રહી છે. ભાજપના કાર્યકરે આદિવાસી યુવક પર પેશાબ કરી લીધો હતો. જે બાદ લોકોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ શુક્લાની ગેરકાયદેસર વાળી મિલકત પર બુલડોઝર ફેરવી દીધું હતું અને તેની ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારે જે વ્યક્તિ પર પ્રવેશ શુક્લાએ પેશાબ કર્યો હતો તેના પગ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ધોયા છે. ભોગ બનેલા યુવકને સરકારી આવાસ બોલાવ્યા અને સીએમે તેમને ખુરસી પર બેસાડી તેમના પગ ધોયા અનેે કપાળ પર તિલક પણ કર્યું હતું.


મુખ્યમંત્રીએ કર્યું ભોગ બનનાર આદિવાસી યુવકનું સ્વાગત 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભાજપના કાર્યકર્તાએ આદિવાસી યુવક પર પેશાબ કરી રહ્યો હતો. વીડિયો સામે આવતા સમગ્ર દેશમાં તેની ચર્ચા થતી હતી. આ મામલે ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે મુખ્યમંત્રીની મુલાકાત કરવા આ કાંડમાં ભોગ બનેલા આદિવાસી યુવક પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડી, ખુરશી પર બેસાડ્યા, પગ ધોયા, માથે તિલક કર્યું અને આરતી કરી. આ અંગે શિવરાજસિંહે કહ્યું કે "આ ઘટનાથી દુઃખી છું. હું તમારી માફી માગુ છું. તમારા જેવા લોકો મારા માટે ભગવાન સમાન છે." 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.