કોરોના સંક્રમણ ઘટતા ચીન સરકારે અનેક વિસ્તારોમાં હળવા કર્યા પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2022-12-04 11:27:50

ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. જેને કારણે ચીન સરકારે ઝિરો કોવિડ નીતિને અમલમાં લાવી દીધી હતી. જેને કારણે કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ નીતિનો ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોએ રસ્તા પર આવી ચીન સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીધો છે.

China Coronavirus: ચીનમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ  કેસ નોંધાયા

ચીનમાં આજે કોરોનાના નવા કેસ 40 હજારને પાર, અનેક શહેરોમાં લોકડાઉનનો વિરોધ  ઉગ્ર બન્યો | TV9 Gujarati

વિરોધ વધતા ચીન સરકારે હળવા કર્યા પ્રતિબંધ 

શિયાળાની શરૂઆત થતા ચીનમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. વધતા કોરોના કેસને કારણે ચીન સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. કોરોના સંક્રમણને કાબુમાં લાવવા ચીન સરકારે કડક પ્રતિબંધો લાદી દીધા હતા. જેને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. પરંતુ ચીન સરકારને આને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સફેદ કાગળ લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચીન સરકારની નીતિ વિરુદ્ધ નારેબાજી કરી હતી.

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના સંક્રમણ, ચોંગકિંગમાં લોકોની અવરજવર પર  પ્રતિબંધ | Corona infection is spreading rapidly in China ban on movement  of people in Chongqing

પ્રતિબંધ હળવા થવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ શકે 

વધતા વિરોધને કારણે જ્યાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યાના નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે. બીજિંગમાં કોરોના ટેસ્ટ કરતા ડોમને હટાવી દેવામાં આવ્યા છે. શેનઝોંગમાં પણ ભરવા માટે કોરોના રિપોર્ટ બતાવો ફરજિયાત નથી. પ્રતિબંધો હટાવાથી લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલા હળવા પ્રતિબંધોને કારણે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થયો છે. ત્યાંના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રતિબંધો હટાવાથી લાખોની સંખ્યમાં લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે અને લોકોના મોત થઈ શક્ છે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.