કોરોના સંક્રમણ ઘટતા ચીન સરકારે અનેક વિસ્તારોમાં હળવા કર્યા પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2022-12-04 11:27:50

ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. જેને કારણે ચીન સરકારે ઝિરો કોવિડ નીતિને અમલમાં લાવી દીધી હતી. જેને કારણે કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ નીતિનો ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોએ રસ્તા પર આવી ચીન સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીધો છે.

China Coronavirus: ચીનમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ  કેસ નોંધાયા

ચીનમાં આજે કોરોનાના નવા કેસ 40 હજારને પાર, અનેક શહેરોમાં લોકડાઉનનો વિરોધ  ઉગ્ર બન્યો | TV9 Gujarati

વિરોધ વધતા ચીન સરકારે હળવા કર્યા પ્રતિબંધ 

શિયાળાની શરૂઆત થતા ચીનમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. વધતા કોરોના કેસને કારણે ચીન સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. કોરોના સંક્રમણને કાબુમાં લાવવા ચીન સરકારે કડક પ્રતિબંધો લાદી દીધા હતા. જેને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. પરંતુ ચીન સરકારને આને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સફેદ કાગળ લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચીન સરકારની નીતિ વિરુદ્ધ નારેબાજી કરી હતી.

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના સંક્રમણ, ચોંગકિંગમાં લોકોની અવરજવર પર  પ્રતિબંધ | Corona infection is spreading rapidly in China ban on movement  of people in Chongqing

પ્રતિબંધ હળવા થવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ શકે 

વધતા વિરોધને કારણે જ્યાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યાના નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે. બીજિંગમાં કોરોના ટેસ્ટ કરતા ડોમને હટાવી દેવામાં આવ્યા છે. શેનઝોંગમાં પણ ભરવા માટે કોરોના રિપોર્ટ બતાવો ફરજિયાત નથી. પ્રતિબંધો હટાવાથી લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલા હળવા પ્રતિબંધોને કારણે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થયો છે. ત્યાંના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રતિબંધો હટાવાથી લાખોની સંખ્યમાં લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે અને લોકોના મોત થઈ શક્ છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .