સીએમએ ગૌરી-ગૌરાની પૂજા કરી રાજ્યના લોકોની સુખ-સમૃદ્ધિની કામના કરી


  • Published By :
  • Published Date : 2022-10-25 11:59:38

સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દિવાળીના બીજા દિવસે દુર્ગ જિલ્લાના જાજનગીરીમાં મુલાકાત લઈ ગૌરી-ગોરાની પૂજા કરી હતી. ગૌરી-ગૌરાની પૂજા કરી સીએમએ લોકોના સુખ સમૃદ્ધિની કામના કરી હતી.   

પરંપરા મુજબ સીએમએ કરી ગૌરી-ગૌરાની પૂજા           

અનેક રાજ્યની અલગ અલગ પરંપરા હોતી હોય છે. ત્યારે છત્તીસગઢમાં પરંપરા મુજબ મુખ્યમંત્રીએ ગૌરા-ગૌરીની પૂજા કરી રાજ્યના લોકોની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વીરેન્દ્ર ઠાકુરે મુખ્યમંત્રીના હાથ પર ચાબુક મારી હતી. આ પરંપરાની પાછળ એવી લોકમાન્યતા છે કે ગૌરી-ગૌરા પૂજાના અવસર પર જો આવી રીતે મારવામાં આવે તો દુષ્ટતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ પરંપરા કરી રાજ્યની સમૃદ્ધિ માટે સીએમ કામના કરે છે.

  

દિવાળીની તમામને પાઠવી શુભકામના 

મુખ્યમંત્રીએ તમામ લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે રોશનીનો તહેવાર તમામના જીવનમાં રોશની કરતો રહે. લોકોની વચ્ચે આવી મને ખૂબ આનંદ થાય છે અને આપની સાથે દિવાળીનો આનંદ વહેંચી મારું દિલ પ્રસન્ન થઈ જાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.