સીએમએ ગૌરી-ગૌરાની પૂજા કરી રાજ્યના લોકોની સુખ-સમૃદ્ધિની કામના કરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-25 11:59:38

સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દિવાળીના બીજા દિવસે દુર્ગ જિલ્લાના જાજનગીરીમાં મુલાકાત લઈ ગૌરી-ગોરાની પૂજા કરી હતી. ગૌરી-ગૌરાની પૂજા કરી સીએમએ લોકોના સુખ સમૃદ્ધિની કામના કરી હતી.   

પરંપરા મુજબ સીએમએ કરી ગૌરી-ગૌરાની પૂજા           

અનેક રાજ્યની અલગ અલગ પરંપરા હોતી હોય છે. ત્યારે છત્તીસગઢમાં પરંપરા મુજબ મુખ્યમંત્રીએ ગૌરા-ગૌરીની પૂજા કરી રાજ્યના લોકોની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વીરેન્દ્ર ઠાકુરે મુખ્યમંત્રીના હાથ પર ચાબુક મારી હતી. આ પરંપરાની પાછળ એવી લોકમાન્યતા છે કે ગૌરી-ગૌરા પૂજાના અવસર પર જો આવી રીતે મારવામાં આવે તો દુષ્ટતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ પરંપરા કરી રાજ્યની સમૃદ્ધિ માટે સીએમ કામના કરે છે.

  

દિવાળીની તમામને પાઠવી શુભકામના 

મુખ્યમંત્રીએ તમામ લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે રોશનીનો તહેવાર તમામના જીવનમાં રોશની કરતો રહે. લોકોની વચ્ચે આવી મને ખૂબ આનંદ થાય છે અને આપની સાથે દિવાળીનો આનંદ વહેંચી મારું દિલ પ્રસન્ન થઈ જાય છે.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.