સીએમએ ગૌરી-ગૌરાની પૂજા કરી રાજ્યના લોકોની સુખ-સમૃદ્ધિની કામના કરી


  • Published By :
  • Published Date : 2022-10-25 11:59:38

સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દિવાળીના બીજા દિવસે દુર્ગ જિલ્લાના જાજનગીરીમાં મુલાકાત લઈ ગૌરી-ગોરાની પૂજા કરી હતી. ગૌરી-ગૌરાની પૂજા કરી સીએમએ લોકોના સુખ સમૃદ્ધિની કામના કરી હતી.   

પરંપરા મુજબ સીએમએ કરી ગૌરી-ગૌરાની પૂજા           

અનેક રાજ્યની અલગ અલગ પરંપરા હોતી હોય છે. ત્યારે છત્તીસગઢમાં પરંપરા મુજબ મુખ્યમંત્રીએ ગૌરા-ગૌરીની પૂજા કરી રાજ્યના લોકોની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વીરેન્દ્ર ઠાકુરે મુખ્યમંત્રીના હાથ પર ચાબુક મારી હતી. આ પરંપરાની પાછળ એવી લોકમાન્યતા છે કે ગૌરી-ગૌરા પૂજાના અવસર પર જો આવી રીતે મારવામાં આવે તો દુષ્ટતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ પરંપરા કરી રાજ્યની સમૃદ્ધિ માટે સીએમ કામના કરે છે.

  

દિવાળીની તમામને પાઠવી શુભકામના 

મુખ્યમંત્રીએ તમામ લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે રોશનીનો તહેવાર તમામના જીવનમાં રોશની કરતો રહે. લોકોની વચ્ચે આવી મને ખૂબ આનંદ થાય છે અને આપની સાથે દિવાળીનો આનંદ વહેંચી મારું દિલ પ્રસન્ન થઈ જાય છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .