સીએમએ ગૌરી-ગૌરાની પૂજા કરી રાજ્યના લોકોની સુખ-સમૃદ્ધિની કામના કરી


  • Published By :
  • Published Date : 2022-10-25 11:59:38

સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દિવાળીના બીજા દિવસે દુર્ગ જિલ્લાના જાજનગીરીમાં મુલાકાત લઈ ગૌરી-ગોરાની પૂજા કરી હતી. ગૌરી-ગૌરાની પૂજા કરી સીએમએ લોકોના સુખ સમૃદ્ધિની કામના કરી હતી.   

પરંપરા મુજબ સીએમએ કરી ગૌરી-ગૌરાની પૂજા           

અનેક રાજ્યની અલગ અલગ પરંપરા હોતી હોય છે. ત્યારે છત્તીસગઢમાં પરંપરા મુજબ મુખ્યમંત્રીએ ગૌરા-ગૌરીની પૂજા કરી રાજ્યના લોકોની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વીરેન્દ્ર ઠાકુરે મુખ્યમંત્રીના હાથ પર ચાબુક મારી હતી. આ પરંપરાની પાછળ એવી લોકમાન્યતા છે કે ગૌરી-ગૌરા પૂજાના અવસર પર જો આવી રીતે મારવામાં આવે તો દુષ્ટતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ પરંપરા કરી રાજ્યની સમૃદ્ધિ માટે સીએમ કામના કરે છે.

  

દિવાળીની તમામને પાઠવી શુભકામના 

મુખ્યમંત્રીએ તમામ લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે રોશનીનો તહેવાર તમામના જીવનમાં રોશની કરતો રહે. લોકોની વચ્ચે આવી મને ખૂબ આનંદ થાય છે અને આપની સાથે દિવાળીનો આનંદ વહેંચી મારું દિલ પ્રસન્ન થઈ જાય છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.