બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:19:53

રાજસ્થાનના પાલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર સવારે સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ આ ઘટનામાં મળતી માહિતી અનુસાર કોઈ વ્યક્તિના મોત નથી થયા. આ ઘટના રજકિયાવાસ-બોમદરાની વચ્ચે સર્જાઈ હતી. આ ટ્રેન બાંદ્રાથી જોધપુર જઈ રહી હતી.


ટ્રેનના 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા બની દુર્ઘટના 

બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ સાથે આ દુર્ઘટના ઘટી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ અનુસાર આ ઘટના 3 વાગ્યેને 27 મિનીટ પર થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના જણાવ્યા અનુસાર 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા કંપન સર્જાયું હતું. આ ઘટનાને કારણે ટ્રેન 2-3 મિનીટ રોકાઈ હતી. ઘટનાને જોવા નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે 8 સ્લીપર કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. થોડા સમયની અંદર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.