બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:19:53

રાજસ્થાનના પાલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર સવારે સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ આ ઘટનામાં મળતી માહિતી અનુસાર કોઈ વ્યક્તિના મોત નથી થયા. આ ઘટના રજકિયાવાસ-બોમદરાની વચ્ચે સર્જાઈ હતી. આ ટ્રેન બાંદ્રાથી જોધપુર જઈ રહી હતી.


ટ્રેનના 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા બની દુર્ઘટના 

બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ સાથે આ દુર્ઘટના ઘટી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ અનુસાર આ ઘટના 3 વાગ્યેને 27 મિનીટ પર થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના જણાવ્યા અનુસાર 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા કંપન સર્જાયું હતું. આ ઘટનાને કારણે ટ્રેન 2-3 મિનીટ રોકાઈ હતી. ઘટનાને જોવા નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે 8 સ્લીપર કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. થોડા સમયની અંદર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.