બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:19:53

રાજસ્થાનના પાલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર સવારે સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ આ ઘટનામાં મળતી માહિતી અનુસાર કોઈ વ્યક્તિના મોત નથી થયા. આ ઘટના રજકિયાવાસ-બોમદરાની વચ્ચે સર્જાઈ હતી. આ ટ્રેન બાંદ્રાથી જોધપુર જઈ રહી હતી.


ટ્રેનના 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા બની દુર્ઘટના 

બાંદ્રાથી જોધપૂર જતી સૂર્યનગરી એક્સપ્રેસ સાથે આ દુર્ઘટના ઘટી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ અનુસાર આ ઘટના 3 વાગ્યેને 27 મિનીટ પર થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના જણાવ્યા અનુસાર 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા કંપન સર્જાયું હતું. આ ઘટનાને કારણે ટ્રેન 2-3 મિનીટ રોકાઈ હતી. ઘટનાને જોવા નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે 8 સ્લીપર કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. થોડા સમયની અંદર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .