દિલ્હી,પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં વધશે ઠંડી


  • Published By :
  • Published Date : 2023-01-03 09:23:34

દેશના વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.  પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત ઉત્તરભારતમાં ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર પાંચ દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી વધી શકે છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. 

jagran


રાજસ્થાનમાં પણ અનુભવાશે ઠંડી

શિયાળાની ઠંડી દેશભરમાં અનુભવાઈ રહી છે. વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાપમાન ગગડવાને કારણે હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તરભારતના રાજ્યોમાં રહેતા લોકોને આગામી દિવસોમાં ઠંડી સહન કરવાનો વારો આવવાનો છે. રાજસ્થાનમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે. 


શ્રીનગરમાં હજી ગગડશે તાપમાનનો પારો

મધ્યપ્રદેશમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આવનાર દિવસોમાં ત્યાં પણ ઠંડીનો અનુભવ થવાનો છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો 4-5 દિવસો સુધી તાપમાન ગગડી શકે છે. સૌથી વધુ ઠંડીનો ચમકારો શ્રીનગરમાં જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઠંડી ફરી એક વખત વધી રહી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.