દિલ્હી,પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં વધશે ઠંડી


  • Published By :
  • Published Date : 2023-01-03 09:23:34

દેશના વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.  પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત ઉત્તરભારતમાં ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર પાંચ દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી વધી શકે છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. 

jagran


રાજસ્થાનમાં પણ અનુભવાશે ઠંડી

શિયાળાની ઠંડી દેશભરમાં અનુભવાઈ રહી છે. વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાપમાન ગગડવાને કારણે હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તરભારતના રાજ્યોમાં રહેતા લોકોને આગામી દિવસોમાં ઠંડી સહન કરવાનો વારો આવવાનો છે. રાજસ્થાનમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે. 


શ્રીનગરમાં હજી ગગડશે તાપમાનનો પારો

મધ્યપ્રદેશમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આવનાર દિવસોમાં ત્યાં પણ ઠંડીનો અનુભવ થવાનો છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો 4-5 દિવસો સુધી તાપમાન ગગડી શકે છે. સૌથી વધુ ઠંડીનો ચમકારો શ્રીનગરમાં જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઠંડી ફરી એક વખત વધી રહી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.