દિલ્હી,પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં વધશે ઠંડી


  • Published By :
  • Published Date : 2023-01-03 09:23:34

દેશના વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.  પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત ઉત્તરભારતમાં ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર પાંચ દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી વધી શકે છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. 

jagran


રાજસ્થાનમાં પણ અનુભવાશે ઠંડી

શિયાળાની ઠંડી દેશભરમાં અનુભવાઈ રહી છે. વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાપમાન ગગડવાને કારણે હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તરભારતના રાજ્યોમાં રહેતા લોકોને આગામી દિવસોમાં ઠંડી સહન કરવાનો વારો આવવાનો છે. રાજસ્થાનમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે. 


શ્રીનગરમાં હજી ગગડશે તાપમાનનો પારો

મધ્યપ્રદેશમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આવનાર દિવસોમાં ત્યાં પણ ઠંડીનો અનુભવ થવાનો છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો 4-5 દિવસો સુધી તાપમાન ગગડી શકે છે. સૌથી વધુ ઠંડીનો ચમકારો શ્રીનગરમાં જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઠંડી ફરી એક વખત વધી રહી છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.