'ઈન્ડિયા: ધ મોદી ક્વેશન'નો ફરી છેડાયો વિવાદ! અમેરિકાના પ્રવાસ પહેલા વોશિંગટનમાં થશે ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ!


  • Published By :
  • Published Date : 2023-06-13 16:51:29

ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો થયા હતા જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈ બીબીસી દ્વારા ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. ત્યારે આ ડોક્ટુમેન્ટરીને લઈ વિવાદ છેડાઈ ગયો છે. એક સમય એવો હતો જ્યારે આ વિવાદ ખતમ થવાનું નામ નતું લઈ રહ્યું. પરંતુ થોડા સમયથી આ મામલો શાંત થઈ ગયો હોત એવું લાગી રહ્યું હતું પરંતુ આજે આ વિવાદ ફરી છેડાયો છે. પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે ત્યારે વોશિંગટનમાં રાઈટ્સ ગ્રુપ દ્વારા બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. 


અમેરિકાના પ્રવાસે જવાના છે પીએમ મોદી!  

21 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે પીએમ મોદી જવાના છે. તેમના પ્રવાસ પહેલા બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ ફરી છેડાઈ ગયો છે. ગોધરા કાંડ પર આધારીત ડોક્યુમેન્ટરી ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્યનનું સ્ક્રીનિંગ કરવામાં આવશે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. યુએસની મુલાકાત પેહલા બે માનવાધિકાર જૂથો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 20 જૂનના રોજ ડોક્યુમેન્ટરીનું ખાનગી સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રીનિંગ દરમિયાન નીતિ નિર્માતાઓ, પત્રકારો તેમજ વિશ્લેષકો હાજરી આપી શકે છે.       


ભારતમાં ડોક્યુમેન્ટરીને લઈ છેડાયો હતો વિવાદ!

મહત્વનું છે કે આ ફિલ્મને લઈ ભારતમાં વિવાદ છેડાયો હતો. કેન્દ્ર સરકારના આદેશ બાદ તે ડોક્યુમેન્ટરીને યુટ્યુબ અને ટ્વિટરથી હટાવી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ અનેક યુનિવર્સિટીઓમાં પણ થયું હતું ત્યારે આદેશ બાદ વિવિધ યુનિવર્સિટી વહીવટીતંત્રોએ વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવાની પરવાનગી નકારી કાઢી હતી. ઉલ્લેખનિય છે કે ડોક્યુમેન્ટરી બહાર આવી તે બાદ બીબીસીની અનેક ઓફિસોમાં સીબીઆઈની રેડ પડી હતી. ત્યારે ફરી એક વખત ડોક્યુમેન્ટરી ચર્ચામાં આવી છે.  





પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.