'ઈન્ડિયા: ધ મોદી ક્વેશન'નો ફરી છેડાયો વિવાદ! અમેરિકાના પ્રવાસ પહેલા વોશિંગટનમાં થશે ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ!


  • Published By :
  • Published Date : 2023-06-13 16:51:29

ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો થયા હતા જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈ બીબીસી દ્વારા ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. ત્યારે આ ડોક્ટુમેન્ટરીને લઈ વિવાદ છેડાઈ ગયો છે. એક સમય એવો હતો જ્યારે આ વિવાદ ખતમ થવાનું નામ નતું લઈ રહ્યું. પરંતુ થોડા સમયથી આ મામલો શાંત થઈ ગયો હોત એવું લાગી રહ્યું હતું પરંતુ આજે આ વિવાદ ફરી છેડાયો છે. પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે ત્યારે વોશિંગટનમાં રાઈટ્સ ગ્રુપ દ્વારા બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. 


અમેરિકાના પ્રવાસે જવાના છે પીએમ મોદી!  

21 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે પીએમ મોદી જવાના છે. તેમના પ્રવાસ પહેલા બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ ફરી છેડાઈ ગયો છે. ગોધરા કાંડ પર આધારીત ડોક્યુમેન્ટરી ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્યનનું સ્ક્રીનિંગ કરવામાં આવશે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. યુએસની મુલાકાત પેહલા બે માનવાધિકાર જૂથો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 20 જૂનના રોજ ડોક્યુમેન્ટરીનું ખાનગી સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રીનિંગ દરમિયાન નીતિ નિર્માતાઓ, પત્રકારો તેમજ વિશ્લેષકો હાજરી આપી શકે છે.       


ભારતમાં ડોક્યુમેન્ટરીને લઈ છેડાયો હતો વિવાદ!

મહત્વનું છે કે આ ફિલ્મને લઈ ભારતમાં વિવાદ છેડાયો હતો. કેન્દ્ર સરકારના આદેશ બાદ તે ડોક્યુમેન્ટરીને યુટ્યુબ અને ટ્વિટરથી હટાવી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ અનેક યુનિવર્સિટીઓમાં પણ થયું હતું ત્યારે આદેશ બાદ વિવિધ યુનિવર્સિટી વહીવટીતંત્રોએ વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવાની પરવાનગી નકારી કાઢી હતી. ઉલ્લેખનિય છે કે ડોક્યુમેન્ટરી બહાર આવી તે બાદ બીબીસીની અનેક ઓફિસોમાં સીબીઆઈની રેડ પડી હતી. ત્યારે ફરી એક વખત ડોક્યુમેન્ટરી ચર્ચામાં આવી છે.  





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.