'ઈન્ડિયા: ધ મોદી ક્વેશન'નો ફરી છેડાયો વિવાદ! અમેરિકાના પ્રવાસ પહેલા વોશિંગટનમાં થશે ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ!


  • Published By :
  • Published Date : 2023-06-13 16:51:29

ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો થયા હતા જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈ બીબીસી દ્વારા ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. ત્યારે આ ડોક્ટુમેન્ટરીને લઈ વિવાદ છેડાઈ ગયો છે. એક સમય એવો હતો જ્યારે આ વિવાદ ખતમ થવાનું નામ નતું લઈ રહ્યું. પરંતુ થોડા સમયથી આ મામલો શાંત થઈ ગયો હોત એવું લાગી રહ્યું હતું પરંતુ આજે આ વિવાદ ફરી છેડાયો છે. પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે ત્યારે વોશિંગટનમાં રાઈટ્સ ગ્રુપ દ્વારા બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. 


અમેરિકાના પ્રવાસે જવાના છે પીએમ મોદી!  

21 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે પીએમ મોદી જવાના છે. તેમના પ્રવાસ પહેલા બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ ફરી છેડાઈ ગયો છે. ગોધરા કાંડ પર આધારીત ડોક્યુમેન્ટરી ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્યનનું સ્ક્રીનિંગ કરવામાં આવશે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. યુએસની મુલાકાત પેહલા બે માનવાધિકાર જૂથો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 20 જૂનના રોજ ડોક્યુમેન્ટરીનું ખાનગી સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રીનિંગ દરમિયાન નીતિ નિર્માતાઓ, પત્રકારો તેમજ વિશ્લેષકો હાજરી આપી શકે છે.       


ભારતમાં ડોક્યુમેન્ટરીને લઈ છેડાયો હતો વિવાદ!

મહત્વનું છે કે આ ફિલ્મને લઈ ભારતમાં વિવાદ છેડાયો હતો. કેન્દ્ર સરકારના આદેશ બાદ તે ડોક્યુમેન્ટરીને યુટ્યુબ અને ટ્વિટરથી હટાવી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ અનેક યુનિવર્સિટીઓમાં પણ થયું હતું ત્યારે આદેશ બાદ વિવિધ યુનિવર્સિટી વહીવટીતંત્રોએ વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવાની પરવાનગી નકારી કાઢી હતી. ઉલ્લેખનિય છે કે ડોક્યુમેન્ટરી બહાર આવી તે બાદ બીબીસીની અનેક ઓફિસોમાં સીબીઆઈની રેડ પડી હતી. ત્યારે ફરી એક વખત ડોક્યુમેન્ટરી ચર્ચામાં આવી છે.  





દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.