દેશને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની સોગાદ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે શરૂ થઈ ટ્રેન સેવા


  • Published By :
  • Published Date : 2023-01-15 12:12:31

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી દોડવાની છે. આ ટ્રેન દેશની આઠમી વંદે ભારત ટ્રેન છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન 698 કિલોમીટરની સફર માત્ર 8 કલાકમાં પૂરી કરશે. લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ ટ્રેન નવા ભારતના સંકલ્પો અને સામર્થ્યનું પ્રતીક છે.

 

સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે શરૂ થઈ વંદે ભારત ટ્રેન

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ 8મી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમએ તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમને જોડતી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ટ્રેન 2023ની પ્રથમ ટ્રેન છે. આપણા દેશે માત્ર 15 દિવસની અંદર બીજી વંદે ભારત ટ્રેનને દોડાવી છે. 


આત્મનિર્ભર તરફ ભારત આગળ વધી રહ્યું છે - પીએમ મોદી 

વધુમાં પીએમે કહ્યું કે આ એ ભારતનું પ્રતિક છે જે ગુલામીની માનસિકતાથી બહાર નીકળી આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની કુમાર, કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડી તેમજ તેલંગાણાના રાજ્યપાલ પણ ઉપસ્થિત હતા. 


આ રૂટ પર દોડે છે વંદે ભારત ટ્રેન 

આજે જે વંદે ભારત ટ્રેન શરૂ થઈ તે 8મી હતી. અગાઉ શરૂ થયેલી વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો પહેલી ટ્રેન 15 ફેબ્રુઆરી 2015ના રોજ શરૂ થઈ હતી જે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલતી હતી. બીજી વંદે ભારત ટ્રેનનો રૂટ દિલ્હીથી કટડા સુધી શરૂ કરવામાં આવી હતી. ત્રીજી ટ્રેન મુંબઈથી અમદાવાદની વચ્ચે,  ચોથી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી અમ્બ અન્દૌરા સુધી, પાંચમી ટ્રેન મૈસુર અને ચૈન્નઈ વચ્ચે ચાલી હતી. છઠ્ઠી ટ્રેન નાગપુરથી બિલાસપુર વચ્ચે, સાતમી ટ્રેન હાવડાથી ન્યુ જલપાઈગુડી વચ્ચે દોડતી હતી. અને આઠમી ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.