દેશને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની સોગાદ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે શરૂ થઈ ટ્રેન સેવા


  • Published By :
  • Published Date : 2023-01-15 12:12:31

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી દોડવાની છે. આ ટ્રેન દેશની આઠમી વંદે ભારત ટ્રેન છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન 698 કિલોમીટરની સફર માત્ર 8 કલાકમાં પૂરી કરશે. લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ ટ્રેન નવા ભારતના સંકલ્પો અને સામર્થ્યનું પ્રતીક છે.

 

સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે શરૂ થઈ વંદે ભારત ટ્રેન

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ 8મી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમએ તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમને જોડતી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ટ્રેન 2023ની પ્રથમ ટ્રેન છે. આપણા દેશે માત્ર 15 દિવસની અંદર બીજી વંદે ભારત ટ્રેનને દોડાવી છે. 


આત્મનિર્ભર તરફ ભારત આગળ વધી રહ્યું છે - પીએમ મોદી 

વધુમાં પીએમે કહ્યું કે આ એ ભારતનું પ્રતિક છે જે ગુલામીની માનસિકતાથી બહાર નીકળી આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની કુમાર, કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડી તેમજ તેલંગાણાના રાજ્યપાલ પણ ઉપસ્થિત હતા. 


આ રૂટ પર દોડે છે વંદે ભારત ટ્રેન 

આજે જે વંદે ભારત ટ્રેન શરૂ થઈ તે 8મી હતી. અગાઉ શરૂ થયેલી વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો પહેલી ટ્રેન 15 ફેબ્રુઆરી 2015ના રોજ શરૂ થઈ હતી જે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલતી હતી. બીજી વંદે ભારત ટ્રેનનો રૂટ દિલ્હીથી કટડા સુધી શરૂ કરવામાં આવી હતી. ત્રીજી ટ્રેન મુંબઈથી અમદાવાદની વચ્ચે,  ચોથી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી અમ્બ અન્દૌરા સુધી, પાંચમી ટ્રેન મૈસુર અને ચૈન્નઈ વચ્ચે ચાલી હતી. છઠ્ઠી ટ્રેન નાગપુરથી બિલાસપુર વચ્ચે, સાતમી ટ્રેન હાવડાથી ન્યુ જલપાઈગુડી વચ્ચે દોડતી હતી. અને આઠમી ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.