દેશની પ્રથમ નેઝલ વેક્સિન આ તારીખે થશે લોન્ચ, ભારતની કંપની દ્વારા બનાવામાં આવી છે વેક્સિન


  • Published By :
  • Published Date : 2023-01-22 11:44:56

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનને લઈ લોકો જાગૃત થઈ રહ્યા છે અને વેક્સિન લેવા જઈ રહ્યા છે. ત્યારે દેશમાં બનેલી પહેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિન 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવા જઈ રહી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે. 

Worlds first corona nasal vaccine which can be a booster of any vaccine

26 જાન્યુઆરીએ નેઝલ વેક્સિન થશે લોન્ચ

દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત 26 જાન્યુઆરીથી દેશમાં બનેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક કૃષ્ણા એલાએ આ અંગેની જાણકારી આપી હતી.  

Gujarat Corona Cases: After 63 Days Gujarat Registered Highest Daily Cases  | Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા  મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

ડિસેમ્બર મહિનામાં કંપની દ્વારા આ અંગે કરાઈ હતી જાહેરાત 

નેઝલ વેક્સિન લાવવા અંગેની જાહેરાત ભારત બાયોટેક દ્વારા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. કંપની સરકારને આ વેક્સિન 325 રુપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરને  પ્રતિ ડોઝે 800 રુપિયાની કિંમતે વેચશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.ઉપરાંત થોડા સમય પહેલા દેશના વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ વેક્સિન એવા લોકોને જ આપવામાં આવશે જેમણે હજી બુસ્ટર ડોઝ નથી લીધો.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.