દેશની પ્રથમ નેઝલ વેક્સિન આ તારીખે થશે લોન્ચ, ભારતની કંપની દ્વારા બનાવામાં આવી છે વેક્સિન


  • Published By :
  • Published Date : 2023-01-22 11:44:56

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનને લઈ લોકો જાગૃત થઈ રહ્યા છે અને વેક્સિન લેવા જઈ રહ્યા છે. ત્યારે દેશમાં બનેલી પહેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિન 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવા જઈ રહી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે. 

Worlds first corona nasal vaccine which can be a booster of any vaccine

26 જાન્યુઆરીએ નેઝલ વેક્સિન થશે લોન્ચ

દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત 26 જાન્યુઆરીથી દેશમાં બનેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક કૃષ્ણા એલાએ આ અંગેની જાણકારી આપી હતી.  

Gujarat Corona Cases: After 63 Days Gujarat Registered Highest Daily Cases  | Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા  મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

ડિસેમ્બર મહિનામાં કંપની દ્વારા આ અંગે કરાઈ હતી જાહેરાત 

નેઝલ વેક્સિન લાવવા અંગેની જાહેરાત ભારત બાયોટેક દ્વારા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. કંપની સરકારને આ વેક્સિન 325 રુપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરને  પ્રતિ ડોઝે 800 રુપિયાની કિંમતે વેચશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.ઉપરાંત થોડા સમય પહેલા દેશના વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ વેક્સિન એવા લોકોને જ આપવામાં આવશે જેમણે હજી બુસ્ટર ડોઝ નથી લીધો.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.