ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં વધી રહ્યો છે મોતનો આંકડો


  • Published By :
  • Published Date : 2022-11-24 11:32:09

ઈન્ડોનેશિયામાં થોડા દિવસો પહેલા 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો ધારાશાયી થઈ ગઈ હતી. અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. આ આંકડો સતત વધી રહ્યો છે. અધિકારીક રિપોર્ટના હિસાબથી આ ઘટનામાં 271થી અધિક લોકોના મૃત્યુ થયા છે જ્યારે અંદાજીત 151 જેટલા લોકો લાપતા થઈ ગયા છે. આ ઘટનામાં અંદાજીત 1083 જેટલા લોકો ઘાયલ થયા છે તમામ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. 

Indonesia earthquake: Rescuers battle aftershocks as survivor search  continues - BBC News

Indonesia earthquake: Search for survivors as death toll soars - BBC News

એક બાળકનું કરાયું રેસ્ક્યું 

સોમવારે પશ્ચિમ જાવા ક્ષેત્રમાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો હજી પણ ઝરઝરીત ઈમારતોની નીચે દબાઈ ગયા છે. રાહત બચાવની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બુધવાર રાત્રે એક બાળક ઈમારતોની નીચેથી જીવતો મળી આવ્યો. બાળકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .