ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં વધી રહ્યો છે મોતનો આંકડો


  • Published By :
  • Published Date : 2022-11-24 11:32:09

ઈન્ડોનેશિયામાં થોડા દિવસો પહેલા 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો ધારાશાયી થઈ ગઈ હતી. અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. આ આંકડો સતત વધી રહ્યો છે. અધિકારીક રિપોર્ટના હિસાબથી આ ઘટનામાં 271થી અધિક લોકોના મૃત્યુ થયા છે જ્યારે અંદાજીત 151 જેટલા લોકો લાપતા થઈ ગયા છે. આ ઘટનામાં અંદાજીત 1083 જેટલા લોકો ઘાયલ થયા છે તમામ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. 

Indonesia earthquake: Rescuers battle aftershocks as survivor search  continues - BBC News

Indonesia earthquake: Search for survivors as death toll soars - BBC News

એક બાળકનું કરાયું રેસ્ક્યું 

સોમવારે પશ્ચિમ જાવા ક્ષેત્રમાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો હજી પણ ઝરઝરીત ઈમારતોની નીચે દબાઈ ગયા છે. રાહત બચાવની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બુધવાર રાત્રે એક બાળક ઈમારતોની નીચેથી જીવતો મળી આવ્યો. બાળકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.